Tag: ચલો રામ બને

  • ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે મધર્સ ડે ને સનાતન સંસ્કારો સાથે ઉજવતા ત્રીસ દિવસીય ઉત્સવ ‘મા પર્વ’ નો શુભારંભ થયો. જેમાં બાળકોએ ‘માતૃ પૂજા’ કરી અને ભારતીય પરંપરા ની મહેક ફેલાવી. છેલ્લા દસ વર્ષથી ઉજવાતા આ ઉત્સવના દ્રષ્ટા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં બાળકોને ભગવાન શ્રી રામની દ્રષ્ટિએ માતાનું મહત્વ શીખવ્યું. તો આયુર્વેદ તબીબ અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ની મજા માણી.

    MAA PARV 2024

    લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ ની પ્રેરણા થઈ સાકાર

    માતાના અગિયાર સ્વરૂપોની વંદના કરતું આ ઉત્સવ ડૉ. કૃપેશ ના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત છે. જેમાં ‘મધર્સ ડે, સનાતન વે’ ના સૂત્ર સાથે માતા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ માતા, માતૃભૂમિ, ભારત માતા, લોક માતા, ધરતી માતા અને દેવી એમ અગિયાર સ્વરૂપોની વંદના કરતાં ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન થાય છે.

    ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય

    આ પર્વમાં સૌ લોકો પોતાની માતાના નામ સાથે ‘ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર’ તરીકે જોડાય છે. તો વૈશ્વિક એમ્બેસેડર બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના ગીતો ‘લવ યુ મા’, ‘તું છે ઓ મા’ અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ થીમ સોંગ તરીકે ભારે લોકચાહના સાથે સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.

    ARJUN UVACHA: MAA PARV BOOK
    DR. KRUPESH NAYNA SHASHIKANT – GLOBAL GIFT OF TIME AMBASSADOR

    ‘મા પર્વ’ નો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય

    ‘મા પર્વ’ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “દસ વર્ષ પહેલા માતાના નામ સાથે ઓળખ આપી ‘માતૃ દેવો ભવઃ’ ની સનાતન પરંપરા સાર્થક કરવા ‘કૃપેશ નયના શશીકાંત’ તરીકે એક વ્યક્તિથી શરૂ થયેલ આ કાર્ય સાત દેશોમાં વસતા લાખો લોકો સુધી પહોંચ્યું એ ઘટના જ ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય આપે છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે “પુસ્તકમાં વર્ણવેલા માતાના અગિયાર રૂપ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ આ માસ દરમિયાન વિવિધ શહેરોમાં ઉજવણી કરશે. તેમજ અન્ય દેશોમાં સ્વયંસેવકો આ કાર્યને વેગ આપશે.” આ પ્રસંગે ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “માતાના નામ સાથે સંતાનની ઓળખની આપણી ભારતીય પરંપરા આજના યુગમાં ભુલાઈ ગઈ છે, ત્યારે આ પહેલમાં અન્ય લોકો પણ જોડાઈને આપણા મૂલ્યો તરફ પાછા ફર્યા છે; એ જોઈ ખૂબ ગર્વ થાય છે.” આ માસ દરમિયાન થતી માતાના વિવિધ રૂપોની વંદનામાં ગૂંજે ગીતા, વ્હાલ વૃદ્ધત્વને, ગૌ શાલા મેં ગૂંજે ગીતા, શબ્દવંદના, ગુરુ પૂજા અને ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવી પ્રવૃત્તિઓ લોકપ્રિય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પર્વમાં માતા પર આધારિત ડૉ. કૃપેશના કચ્છી પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા જા અગિયાર રૂપ’ નું કૃપ પબ્લિશિંગ દ્વારા લોકાર્પણ થશે.

  • શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

    શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

    લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ’અર્જુન ઉવાચ: ચલો રામ બને’ ની પ્રેરણા થઈ સાકાર

    હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

    શ્રી રામને ભજવાથી રામ બનવા સુધીની આ યાત્રા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ થી પ્રેરિત છે. આ કાર્યશાળામાં બાળકોએ ભગવાન શ્રી રામના ગુણ ‘ધૈર્ય’ નું જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ આયુર્વેદ તબીબ અને જીએલસીસી અંજારના પ્રમુખ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃતિઓની મજા માણી. તો ડૉ. કૃપેશ એ શ્રી રામ ધૂન અને મંત્રો થકી બાળકોને મ્યુઝિક થેરાપી પણ આપી.

    આ યાત્રા વિષે વાત કરતાં ડૉક્ટર દંપતી એ જણાવ્યું કે “આ પુસ્તકમાં વર્ણવેલા ભગવાન શ્રી રામના વિવિધ ગુણો પર આધારિત આવી દસ કાર્યશાળાઓ લઈ અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ પ્રથમ ચરણમાં કચ્છ ભ્રમણ કરી અને ગુજરાત યાત્રા કરશે. આ ઉપરાંત તરુણો અને યુવાનો માટે પણ શાળા-કોલેજોમાં આવા સેમિનાર યોજાશે.” આ સંકલ્પ વિષે વાત કરતાં ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “ભગવાન શ્રી રામને સમર્પિત વિવિધ કાર્યો ‘રામ નવમી પર્વ’ રૂપે છેલ્લા દસ વર્ષોથી ચાલે છે. જેમાં સામાજિક સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના કંઠે રજૂ થયેલ શ્રી રામના વિવિધ ગીતો, મંત્રો અને ધૂન ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તો હવે સમાજમાં અન્ય બાળકોને પણ સનાતન ધર્મના મૂલ્યો થી અવગત કરાવવા આવી કાર્યશાળાઓ ખૂબ ઉપયોગી બનશે.” તો આ યાત્રાના દ્રષ્ટા ડૉ. કૃપેશ એ ઉમેર્યું કે, “વિવિધ તહેવારોને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે ઉજવતી પર્વ કી પાઠશાળા એ બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે. ત્યારે હવે તેમાં શ્રી રામચરિતમાનસ નો અભ્યાસક્રમ આવી કાર્યશાળાઓ થકી ભણાવવામાં આવશે.”

    આ કાર્યક્રમને અંતે બાળકોએ સાથે મળી તૈયાર કરેલ ‘ચલો રામ બને’ ની પ્રતિકૃતિ વાલીઓ સમક્ષ રજૂ કરી. જેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બાળકોને સનાતન મૂલ્યો શિખવતી આ પહેલને વધાવી લીધી. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે અંજલી સેવક, કલરવ રાઠોડ, વૈશાલીબેન ભટ્ટ, નૈરુતીબેન શેઠિયા અને સંસ્થાના અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી. તો ઇઝી આઈડી અને કૃપ મ્યુઝિક એ આર્થિક સહયોગ પૂરો પાડયો. અત્રે ઉલ્લેખનીય છે કે ‘પર્વ કી પાઠશાળા’ અંતર્ગત ઉત્સવોને સનાતન મૂલ્યો સાથે ઉજવતી આવી પ્રવૃતિઓનું આયોજન આ કેન્દ્રમાં અવારનવાર થતું રહે છે.

  • ‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

    ‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

    વિશ્વભરમાં જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અનેકવિધ રીતે ઉજવણી થઈ ત્યારે હાલમાં અંજારના ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘ચલો રામ બને’ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું. જેમાં સંસ્થામાં તાલીમ લઈ રહેલા બાળકોએ પ્રાર્થના અને રામ ભજન પ્રસ્તુત કરી પ્રસંગની શરૂઆત કરી ત્યાર બાદ સૌ બાળ રામભક્તોને હસ્તે લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચઃ ચલો રામ બને’ ના મુખપૃષ્ઠનું લોકર્પણ થયું. વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર થકી ‘રામ’ બનવાની આ પુસ્તકની વિચારધારાને પ્રદર્શિત કરતાં બાળકોએ  રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી પ્રભુ રામના પ્રસંગોને જીવંત કર્યા. બાળકોમાં રામના ગુણો અને સમર્પણને સૌ આમંત્રિત મહેમાનોએ ભાવવિભોર થઈ આવકાર્યા હતાં.

    આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કરએ કહ્યું કે “સમગ્ર ભારતવર્ષ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આજની પેઢી રામ બનીને સૌને પ્રેરણા આપતી હોય તે ગૌરવ લેવા જેવી વાત છે. આ બાળકોએ રામ બનીને કળિયુગમાં પણ સતયુગના દર્શન કરાવ્યા છે.” તો પુસ્તક વિશે વાત કરતાં લેખક ડૉ. કૃપેશએ જણાવ્યું કે “અર્જુન ઉવાચઃ ચલો રામ બને” પુસ્તકમાં ત્રેતાયુગ અને કળિયુગના સમન્વય સાથે રામ બનવાના જે આદર્શો રજૂ થયા છે એનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળ્યું. આ પુસ્તકમાં ભગવાન રામનું વ્યક્તિત્વ અને જીવનદર્શનને સરળ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છે જે બાળકો, યુવાનો તેમજ દરેક વયના વાચકો માટે પ્રેરક બની રહેશે.”

    અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતે માતાઓએ રામચરિત માનસની ચોપાઈ સાથે સુંદર નૃત્ય રજૂ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી.