Category: Music

  • મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

    મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

    હાલમાં જ મહાશિવરાત્રી ના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી; જેમાં ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય- ડીજે મિક્ષ’ ભક્તિ ગીતનું લોકાર્પણ થયું.

    આ શિવભક્તિનું મહિમા દર્શાવતા ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પાંચ વર્ષીય પર્વ ઠક્કર, ધ યંગેસ્ટ ઓથર તથા ધ નોટેશન ગર્લ નામે પ્રખ્યાત દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગુજરાતના જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કરએ પોતાની કલાનું યોગદાન આપ્યું. મહાશિવરાત્રી નિમિતે ભદ્રેશ્વર મધ્યે નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિરે ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રદ્યુમનસિંહ જાડેજા, રસિકભાઈ પરમાર, ભગવાનજી ઠક્કર, ભરતભાઈ ગુપ્તા, જગદીશભાઈ ગણાત્રા, જીતેન્દ્ર ઠક્કર, રમુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, હનુભા જાડેજા, ચતુરસિંહ જાડેજા, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિ ગીતનું વિમોચન કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ આ કલાકારો દ્વારા આ ભક્તિ ગીતની રજૂઆત પણ કરવામાં આવી જેને વિશાળ જન-મેદનીએ ઉત્સાહભેર આવકાર્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ સાથે જ તેમણે આ ગીતના વીડિઓમાં ચોખંડા મહાદેવ મંદિરના નયનરમ્ય દ્રશ્યોને કંડારવાની જાહેરાત પણ કરી હતી.

  • વેલેન્ટાઈન દિવસે આ નવું ગીત બનશે પ્રેમનો પર્યાય

    વેલેન્ટાઈન દિવસે આ નવું ગીત બનશે પ્રેમનો પર્યાય

    વિશ્વ ફલકને વેલેન્ટાઈન ડે જ્યારે પ્રેમના રંગો થી પરિપૂર્ણ કરે છે ત્યારે બધાજ યુગલો એનાં રંગોમાં તરબોળ બને છે. જ્યાં નજર કરો ત્યાં લાલ રંગની થીમ જોવા મળશે અને ‘ દિલો ‘ નો ડેકોરેશન; પછી એ ગિફ્ટ શોપ હોય, હોટેલ કે રેસ્ટોરન્ટ હોય, શૉપિંગ મોલ હોય; લોકોના કપડાઓ અને પહેરવેશ થી કરીને તેમના પ્રોફાઈલ પીચર અને સ્ટેટસ સુધી બધે જ આ થીમ પ્રવર્તમાન હોયછે. આ ફેસ્ટિવલમાં લોકોને ચોકલેટ, ટેડી બેર, બુકે જેવા ગિફ્ટ મટીરીયલની જરૂરિયાત હોય છે અને હોય છે રોજ શેરકરવા માટે પ્રેમસભર ગીતોની રજૂઆત…

    વર્ષો થી ચાલી આવતા રોમેન્ટિક હિટ્સ ની સાથે સાથે લોકોને નવા ગીતોની પણ અપેક્ષા હોય છે. એવામાં કૃપ મ્યુઝીક અને ગિવ વાચા દ્વારા લોન્ચ થતું આ અપકમિંગ સોંગ “ના હુએ જુદા” લોકોના દિલો પર તેનાં લીરિક્સ અને સુથીંગ મ્યુઝીક નો જાદુ ચલાવશે.

    ગિવ વાચા ફાઉન્ડેશન તથા ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક દ્વારા લોંચ થનારું આ ગીત ખાસ વેલેન્ટાઇન ડે નિમિતે ૧૦ ફેબ્રુઆરી ના રોજ ગાના, સ્પોટિફાઈ, વિંક, જીયો સાવન જેવા બસ્સો જેટલા મ્યુઝીક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે જેનું બ્રાન્ડીંગ ગુજરાતની જાણીતી PR સર્વિસ આપતી કંપની Esy ID સંભાળશે.

    ગિવ વાચા વર્ષોથી વેલેન્ટાઈન ડે પર્વ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની થીમ સાથે ઉજવે છે જેમા વિવિધ સત્કાર્મો કરવાનુ અને ‘રાધાકૃષ્ણ’ ના પ્રેમને પ્રતિક રુપે ઉજવવાનું ધ્યેય હોય છે. નવ વર્ષ પહેલા પણ ગિવ વાચા અને કૃપ મ્યુઝિક દ્વારા વેલેન્ટાઈન ડે ના દિવસે “ક્યાં છે કાનો” આલ્બમ લોન્ચ કરવમાં આવ્યું હતું. આ નવીન કોન્સેપ્ટ લોકોમાં ખુબ પ્રચલિત થયુ છે.આ વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા “ના હુએ જુદા” ગીત રિલીઝ કરશે.

    આ ગીતના લીરિસિસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ડૉ. કૃપેશ એ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું છે કે “આપણા સનાતન ધર્મએ હમેશાં પ્રેમને ફક્ત સાંસારીક બાબત નહીં પણ એક દિવ્ય ભાવ સ્વરુપે પ્રગટ કર્યું છે જે ‘રાધા-કૃષ્ણ’ અને ‘સીતા-રામ’ ની ગાથામાં જોઇ શકાય. આજની યુવાપેઢીને પ્રેમના ભૌતિક અને સાંસારીક દ્રષ્ટિબિંદુ સાથે અધ્યાત્મિક દ્રષ્ટિકોણ સમજાવવા માટે તથા રાધા અને કૃષ્ણના પ્રેમને વાચા આપવા ‘ના હુએ જુદા’ સોન્ગ લખ્યું છે. કારણ કે દ્વારિકા ગમન પછી ભલે કૃષ્ણ અને રાધા સાથે ના રહી શક્યા પણ એમનું અતુટ અને દિવ્ય પ્રેમ થકી આજ પણ એ જુદા થયા નથી! એમનુ નામ આજે પણ સાથે જ લેવાય છે. આ એમનું સોન્ગ છે, એમના માટે બનાવેલું છે અને એમને જ સમર્પિત કરું છું.”

    રાધા અને કૃષ્ણના પ્રેમ અને ભક્તિને આ ગીત દ્વારા ઍક નવા સ્વરુપમાં જોવા મળશે. આ ગીત ‘ધ કૃપ’ આલ્બમ ના સાત ગીતોમાંનુ એક છે. આ આલ્બમ ના લોંચિંગ દ્વારા નવોદિત પોપ મ્યુઝિક બેન્ડ ‘ધ કૃપ’ સંગીતક્ષેત્રે પદાર્પણ કરશે. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ હિન્દી ગીતને ખાસ ગુજરાત અને કચ્છના લોકો માટે ગુજરાતી અને કચ્છી વર્ઝનમાં પણ બનાવવામાં આવશે.

  • ગાંધીધામમાં સતનામ વાહેગુરુ મંત્ર આલ્બમનું લોકાર્પણ થયું

    ગાંધીધામમાં સતનામ વાહેગુરુ મંત્ર આલ્બમનું લોકાર્પણ થયું

    બાળ કલાકારોના કંઠથી સજ્જ મંત્ર આલ્બમ યુ-ટ્યુબ ઉપર મુકાયું

    ગાંધીધામ તા. ૧૨ : અહીના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જયંતી નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા “સતનામ વાહેગુરુ મંત્ર” આલ્બમનું લોકાર્પણ કરાયું હતું.

    આ આલ્બમમાં પાંચ વર્ષીય યુવા ગાયક પર્વ ઠક્કર, ૧૦ વર્ષીય વાચા ઠક્કર અને ગીતકાર-સંગીતકાર ડો. કૃપેશે પોતાના સુરોનો સ્વર રેલાવ્યો છે. ગુરુદ્વારા ના મંત્રી સતપાલ સિંઘ, અમૃતસર ના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ, કૃપ મ્યુઝીક ના ચેરપર્સન ડો. પૂજા ઠક્કરના હસ્તે ગીતનું લોન્ચિંગ કરાયું હતું. ઉપપ્રમુખ ગુરુદિપ સિંઘ અને રાજેશ ઇસરાણીએ બાળ કલાકારોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે આ કલાકારોના પર્વ ફ્યૂઝન બેન્ડે સતનામ મંત્રની એક ઝલક પ્રસ્તુત કરી હતી. મંત્ર કૃપ મ્યુઝિક દ્વારા યૂટ્યુબ માધ્યમ દ્વારા મુકાયું હતું. નોંધપાત્ર છે કે પાંચ વર્ષ અગાઉ આ સંસ્થા દ્વારા ગુરૂ નાનક જયંતિ નિમિતે ધુન અને ફિલ્મ રજુ કરાઈ હતી. જેને બહોળા પ્રમાણમાં લોકચાહના મળી હતી.

  • ‘મારું ગુજરાત છે’ ગીતનું લોકાર્પણ

    ‘મારું ગુજરાત છે’ ગીતનું લોકાર્પણ

    અંજારના કલાકારો દ્વારા ગુજરાત દિવસ નિમિત્તે “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે’ ગીત રજૂ કરવામા આવ્યું હતુ. આ ગીતનું લોકાર્પણ અંજાર ટાઉનહોલ ખાતે વાસણભાઈ આહીર અને માલતીબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતુ. ગુજરાતની ગૌરવગાથા વર્ણવતા આ ગીતના ગીતકાર, સંગીતકાર અને દિગ્દર્શક ડો. કૃપેશ ઠકકર છે જયારે ગાયક તરીકે પાંચ વર્ષના પર્વ ઠકકર, ૧૦ વર્ષની વાચા ઠકકર તેમજ ડો. કૃપેશ ઠક્કરે કંઠ આપ્યો છે આ ગીતના વીડિયો માટે મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વાદ સાથે ગોવર્ધન પર્વત ખાતે શૂટિંગની વ્યવસ્થા કરી આપી હતી. ગીતને તૈયાર કરવા માટે ગિવ વાચા ફાઉન્ડેશનના ડો. પૂજા ઠકકર તેમજ અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભારતીય જનતા મજદૂર ટ્રેડ યુનિયન કાઉન્સિલના બ્રિજેન ગોંડલિયા તેમજ કિશનગિરિએ લોકાર્પણવિધિની જવાબદારી ઉઠાવી હતી.

  • ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ‘સતનામ વાહેગુરુ નાનક’ ધૂન પણ ગુરુદ્વારામાં રજૂ : બાળગાયિકાનું સન્માન કરાયું

    ગાંધીધામના ગુરુદ્રારા ખાતે ગુરુનાનક જયંતી નિમિત્તે ‘સુખ યા આનંદ’ ટૂંકી ફિલ્મ અને “સતનામ વાહેગુરુ ધૂન’ મ્યુઝિક્લ વીડિયો અંજાર સ્થિત કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયા હતા. ૭ વર્ષીય ગાયક વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ ઠક્કરે ‘સતનામ વાહેગુરુ ઘૂન’ના બે વીડિયો તૈયાર કર્યા છે જેમાં એકમાં ૧૦૮ વખત ધૂન ગાઇ છે. આ પ્રસંગે ગાંધીધામ ગુરુદ્રારા સમિતિના ખજાનચી શીતલસિંઘે બાળગાયિકા વાચાનું સન્માન કર્યું હતું.

    ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું. કે, તેમના દ્વારા લિખિત અને નિર્મિત ‘સુખ યા આનંદ’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઇ જેમાં ગુરુનાનક દેવના એક દોહા “મેરો મેરો સભી ક્હતે હૈ, હિત સોં બાધ્યો ચિત, અંતકાલ સંગી નહીં કોઉ, યહ અચરજ કી રીત ‘ના સંદેશને વણી લેવાયો છે. ભૌતિક સુખ માટે સાચા આનંદને ભૂલી જનારા લોકોને ઇશ્વરે આપેલા જીવનનો સદુપયોગ કરવાનો સંદેશ લોકો સમક્ષ રજૂ કરાયો છે. ફિલ્મમાં સુરતના થિયેટરના જાણીતા પારસી ક્લાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે. ફરઝાને તેના લોકપ્રિય “પારસી બાવા કરે ધમાલ’ના કિરદાર પારસી બાવામાં લોકોનું મન જીત્યું છે. આ પહેલાં આ પિતા-પુત્રી દ્વારા આ જ વર્ષમાં રામધૂન, હૈ નમન, શહીદોને સલામ તેમજ ગયા અઠવાડિયે જલારામ ધૂન (વીડિયો) રજૂ કર્યો છે.

  • જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    અંજાર કચ્છ સ્થિત કૃપ મ્યુઝીક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા આ જલારામ જયંતી નિમિતે “જલારામ ધૂન” મ્યુસિક વીડિઓ અને “જલારામ બાપા કે પરચે” નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

    અંજાર સ્થિત 2 વર્ષના પર્વ ઠક્કર એ ગાયક 7 વર્ષીય વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ સાથે વીડિઓ માં અભિનય કર્યો છે. વીડિઓનું શુટિંગ ભુજ રવાણી ફળિયાના જલારામ મંદિર તેમજ માંડવીના દરિયા કાંઠે અને અંજારમાં કરવામાં આવ્યું છે. વીડિઓ માં ડો. શશીકાંત ઠક્કર, નયનાબેન ઠક્કર તેમજ ડો. પૂજા ઠક્કર પણ સામેલ છે. આમ એક જ કુટુંબ ના 6 સભ્યો દ્વારા અનોખી રીતે જલારામ જયંતી ઉજવવા નો આ નવતર પ્રયાસ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત ની સાથે સાથે ડો. કૃપેશ ઠક્કર દ્વારા લેખિત અને નિર્મિત શોર્ટ ફિલ્મ “જલારામ બાપા કે પરચે” પણ રિલીસ કરવામાં આવી જેમાં જલાબાપા ના પરચા ના પ્રસંગ ને વણી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સુરતના થીએટરના જાણીતા પારસી કલાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે.

  • માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર

    માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર

    • મૂળ કચ્છના અને જામનગરની મૅડિકલ કૉલેજના વિદ્યાર્થી ડૉ.કૃપેશે ગાયકી ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું.
    • ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાઈ, કમ્પોઝ કરી ૨૦૦ થી પણ વધુ ગીતો લખવાનો અનોખો રૅકોર્ડ
    • કૉલેજના ગુરૂવર્ય પ્રોફેસરો પાસે મ્યુઝિક આલ્બમ લૉન્ચ કરાવી શિષ્યએ અનોખી ગુરૂદક્ષિણા આપી

    ઉભરતા ગાયકો માટે એક સુંદર પ્લૅટફોમ

    જન્માષ્ટ મીના આગામી ડૉ.કૃપેશ ઠક્કર દ્વારા ‘ક્યાં છે કાનો?’ ખાસ કૃષ્ણ ગીતો ઉપરનો આલ્બમ રજૂ થનાર છે, જેમાં ૪ ભાષામાં કૃષ્ણ ગીતો રજૂ થયાં છે. આ ઉપરાંત ‘સૂર ગુજરાત કે’ સંગીતમય કાર્યક્રમો દ્વારા ઉભરતા ગુજરાતી ગાયકોને એક સુંદર પ્લેટફોર્મ પુરૂ પાડવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. રાજ્યમાં તેમજ વિશ્વમાં અનેક શહેરોમાં સોશ્યલ મીડિયાના ઈન્ટરનેટ માધ્યમથી ગુજરાતી ગાયકો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે.

    મન ઉપર સંગીત રૂપી અનેરૂ સર્જન

    જામનગરની એમ. પી. શાહ મેડિક્લ કૉલેજ વિશ્વના અનેક નામી-પ્રતિષ્ઠિન સર્જનોની તબિબિ જગતમાં ભેંટ આપી. છે હવે, આજ એક ‘સંગીત સર્જકની ડૉ. કૃપેશ દરરૂપી ભેટ સંગીત જગતને આપ્યાનું ગૌરવ લઈ શકે છે. સામાન્ય રીતે એક ડૉક્ટરને કાતર લઇ શરીર ઉપર સર્જરી કરતાં જોવા એ સામાન્ય બાબત છે, પણ અમેરિકાનું ગ્રીનકાર્ડ છોડી માદરે વતનના સંગીતપ્રેમને લઈ એક ડૉક્ટર હાથમાં કાતરની જગ્યાએ ક્લમ અને મન ઉપર સંગીતરૂપી અનેક સર્જન કરતાં જોઈ ડૉ. કૃપેશને તેઓની સંગીતયાત્રા માટે બૅસ્ટ ઓફ લક…

    સંગીતનો શોખ એક સર્જનને પણ કેટલી હદે પાગલ કરી શકે છે, તેનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો છે જામનગરની એમ. પી. શાહ મૅડિકલ કૉલેજમાં અભ્યાસ કરી એમ.બી.બી.એસ. ડૉક્ટર બનેલા ડૉ.કૃપેશ ઠક્કર,.. જેઓએ ડૉક્ટરીની સાથે સાથે તેમના સંગીત પ્રત્યેના શોખને જીવંત રાખી ૨૦૦ થી વધુ ગુજરાતી તેમજ હિન્દી ગીતો લખ્યા અને કમ્પોઝ પણ કર્યા છે.

    કચ્છના માંડવી ગામમાં જન્મેલા કૃપેશ ઠક્કરના પિતા શશીકાંતભાઈ ઠક્કર ડૉક્ટર હોય, ‘વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા..’ ગુજરાતી કહેવતને સાર્થક કરતા કૃપેશભાઈએ પણ પિતાનો વારસો જાળવી રાખી મેડિકલ અભ્યાસની સાથે એમ.બી.બી.એસ. ડૉક્ટરી પાસ કરી, પણ સંગીત પ્રત્યેનો તેમનો લગાવ ડૉક્ટર બન્યા બાદ પણ છૂટયો નહીં અને આજે તેઓ ગુજરાતી ફિલ્મના એક અદના ગાયક તરીકે ઉભરી રહ્યાં છે.

    ઘો.૧૦ માં કવિતા લખવાનાં શોખ અને કુટુંબમાં વડિલો દ્વારા જાહેર કાર્યક્રમોમાં લોકગીતો રજૂ કરવાની વાતોથી પ્રેરાઈને ડૉ. કૃપેશે પણ ગાયકી ક્ષેત્રે ઝંપલાવ્યું. યુએસએમાં અભ્યાસ દરમિયાન સવારે એમ.એચ.એ. (માસ્ટર ઈન હૉસ્પિટલ ઍડમિનિસ્ટ્રેશન ના વર્ગો અને સાંજે રેકોર્ડિંગ ઍન્જિનિયરના વર્ગો સાથે-સાથે કર્યાં. રેકોર્ડિંગ ઍન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃપેશભાઈએ તેમના માદરે વતન કચ્છમાં રેકૉર્ડિંગ સ્ટુડિઓ રૂા.૨૦ લાખના અદ્યત્તન ઈન્ટિમેન્ટ્સ સાથે શરૂ કર્યો છે.

    જામનગરની એમ.પી. શાહે મૅડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન અનેક સહવિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસરો દ્વારા ડૉ. કૃપેશને ગાયકી ક્ષેત્રે પ્રોત્સાહન મળતું રહ્યું. ડૉકટર બન્યા બાદ તેમજ ગુજરાતી ફિલ્મોમાં ગાયક, કમ્પોઝર બન્યા પછી પણ કોલેજનું ઋણ અદા કરવા ડૉ.કૃપેશે તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ મ્યુઝિક આલ્બમ ‘રામધૂન’નું લૉન્ચિંગ તેમના જ વડિલ પ્રોફેસરો હસ્તે કર્યું હતું, આ આલ્બમમાં ડૉ. કૃપેશ ઉપરાંત તેમની ૬ વર્ષની પુત્રી વાચા ઠક્કરે પણ સૂર આપ્યો છે… રામધૂનમાં ‘રામચરિત માનસ’ની ચોપાઈના શ્લોક સુમધુર અવાજમાં સુંદર રીતે કમ્પોઝ કરી રજૂ કરાયા છે.

    ડૉ,કૃપેશ ઠકકરે ‘સાંજ સમાચાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગુજરાતી વૅડિંગ ઈન ગોવા’માં તેઓએ રોમેન્ટિક સોંગ લખ્યું છે તેમજ જુન મહિનામાં રિલિઝ થનારી ફિલ્મ ‘ફૅમિલી સર્કસ’ માં તેમના દ્વારા લખાયેલ ગીત જાણીતા બોલિવુડ ગાયક શાન દ્વારા ગાવામાં આવ્યું છે.

    ફિલ્મો ઉપરાંત તેઓ અનેક મ્યુઝિકલ કાર્યક્રમો દ્વારા બાળકો અને યુવાનોમાં રહેલી સંગીત પ્રત્યેની ધગરા બહાર લાવવા પ્રયત્નો કરે છે. ‘જન ગણ મન..’ ઍપિસોંડ તેઓનો પ્રખ્યાત શો છે, જેને યુ-ટ્યુબ ઉપર ૭૦ લાખથી વધુ યુ-ટ્યુબ યુઝરોએ જોયો છે.

    પાશ્ચાત્ય અને ભારતીય સંગીતના મિશ્રણથી યુવાઓને આપણી મૂળ સંસ્કૃતિ તરફ લઈ જવાનો મારો પ્રયત્ન છેઃ ડૉ. કૃપેશ

    ‘સાંજ સમાચાર’ સાથેની મુલાકાત દરમિયાન ડૉ.કૃપેશે જણાવ્યું હતું કે, પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહેલાં યુવાધન તેમજ બાળકોને સંપૂર્ણ રીતે આપણા પ્રાચીન સંગીત અને સાંસ્કૃતિક ધરોહર તરફ ઢાળવા ખૂબ કઠિન છે, ત્યારે મેં નવો માર્ગ અપનાવ્યો અને પાશ્ચાત્ય તેમજ ભારતીય સંગીતનું બૅલેન્સ કરી અલગ ફ્યુઝન દ્વારા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ ઢાવળા પ્રયત્ન કરૂ છું. મારા સંગીતમાં કૃષ્ણ ઉપરના જન્માષ્ટમી ગીતો હોય કે પછી ‘રામધૂન’ના શ્લોક હોય કે સમાજના વિવિધ સંબંધો પિતા-પુત્રી, ભાઈ-બહેન, પતિ-પત્નીને લગતાં પ્રેમ ઉપરના ગીતો હોય. હું પાશ્ચાત્ય સંગીત સાથે તેને લણી લઈ યુવાઓમાં વહેતા મકુંછું અને મારા આ પ્રયોગમાં મને સારી એવી સફળતા પણ મળી છે, આજેમારા દ્વારા લખાયેલા અને કમ્પોઝ કરાયેલા ગીતો યુ-ટ્યુબ ઉપર લાખો સંગીતપ્રેમીઓ માણી રહ્યાં છે.

  • સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    ‘સૂર ગુજરાત કે’ વિજેતા રહિ ચુકેલી આર્ચીના કંઠથી અનેકો થયા છે મંત્રમુગ્ધ

    અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

    શરુઆતમાં આર્ચીએ રાષ્ટ્રગીત લરકાર્યું હતુ. જેની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી, 12 દેશોની કબડ્ડી ટીમના કેપ્ટન, ઉચ્ચ અધિકારીઓ અને હજારોની માત્રામાં દર્શકોએ પણ સાથ પુરાવ્યો હતો. 13 વર્ષની આર્ચી મુન્દ્રાની સીપીએસ સ્કુલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. કૃપ મ્યુઝીક દ્રારા આયોજીત “સુર ગુજરાત કે’ નો ખિતાબ પણ તે મેળવી ચુકી છે ત્યારે આજ દિવસે આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ “કમીટમેન્ટ” માં તેણે ગાયેલુ “હે પ્રભુ’ ગીત લોંચ કરવામાં આવ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે તેના રીલીક્સ અને સંગીત અંજારના કૃપેશ ઠક્કર દ્વારા આપવામાં આવ્યા છે. કચ્છી પ્રતીભાઓ હવે ઉચ્ચપાયદાનો પર ઉઠી જિલ્લાનું વિવિધ સ્તર પર નામ રોશન કરી રહ્યા છે.

  • ગુજરાતના યુવા ડોકટરના નવા ઓડિયો આલ્બમ ‘ક્યાં છે કાનો? અંતરયાત્રા’ ની ભવ્ય રજુઆત

    ગુજરાતના યુવા ડોકટરના નવા ઓડિયો આલ્બમ ‘ક્યાં છે કાનો? અંતરયાત્રા’ ની ભવ્ય રજુઆત

    ગુજરાતના યુવા કલાકાર-ડો. કૃપેશ ઠક્કર કે જેઓએ જામનગરથી ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. અને પછી યુએસએ જઇને માસ્ટર ડિગ્રી મેળવીને રીસર્ચના ક્ષેત્રે પ્રેક્ટીસ કરી હતી, પરંતુ તેઓના મનમાં રહેલી સંગીત પ્રત્યેની લાગણી છુપી શકી નહીં, તેથી તેઓ ત્યાંથી રાજીનામું આપી ભારત પરત ફર્યા અને પોતાના મનમાં રહેલી સંગીતની લાગણીને એક ઓડિયો આલ્બમ “ક્યાં છે કાનો ? અંતરયાત્રા” થકી લોકો સમક્ષ રજુ કરી.

    ક્યાં છે કાનો? અંતરયાત્રા આલ્બમની રજુઆત (લોકાર્પણ) ડો. કૃપેશ ઠક્કરના માતા પિતાના હસ્તે કરવામાં આવી. ડો. કૃપેશ ઠક્કરના પ્રથમ આલ્બમ ક્યાં છે કાનો? અંતરયાત્રા ની અમદાવાદના એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે ભવ્ય રજુઆત કરવામાં આવી. આ આલ્બમમાં કુલ ૭ ગીતો છે. જેમાં ૪ ભાષા – ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનો સમાવેશ છે. ડો. કૃપેશ ઠક્કરને આ આલ્બમ માટેની પ્રેરણા શ્રીમદ્ ભાગવત ગીતામાંના શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુન વચ્ચેના સંવાદમાંથી મળી છે. આ સાથે ડો. કૃપેશ ઠક્કરે પોતાની મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિકની પણ જાહેરાત કરી હતી. જેનું આ પ્રથમ આલ્બમ છે.

    આ પ્રસંગે ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું કે, “હું મારા પ્રથમ આલ્બમની રજુઆતથી ઘણો ખુશ છું, આ આલ્બમની પ્રેરણા મને શ્રીમદ્‌ ભાગવત ગીતાના શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુનના સંવાદમાંથી મળી છે. આ આલ્બમના તમામ ગીતોમાં ભગવાનની શોધથી લઇને તેમને પામવા સુધીની અંતરયાત્રા અને ત્યારબાદ આવનારી પેઢીને થતાં પ્રશ્નોને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ આલ્બમમાં કુલ ૭ ગીતોમાં ૪ ભાષા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીને આવરી લેવામાં આવી છે. આ સાથે જ હું મારી પોતાની મ્યુઝિક કંપની લોન્ચ કરી રહ્યો છું અને આવનાર સમયમાં ગુજરાતમાં સિંગિગ કોમ્પિટિશન યોજી, તેમાંથી ૭ સિંગરને લઇને વધુ એક આલ્બમની રજુઆત કરવાનો અમારો વિચાર છે, સાથે સાથે ઉભરતા કવિની ગીત/ગઝલનો પણ સમાવેશ કરવામાં આવશે.”