Category: Literature

  • વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

    વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

    “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” પુસ્તકના મુખપૃષ્ઠનું લોકાર્પણ

    સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી. એ સાથે જ ક્લબફૂટ વોરિયર તરીકે જાણીતા બનેલા વિશ્વના યંગેસ્ટ સિંગર અને એક્ટર ૭ વર્ષીય પર્વ ઠક્કર ની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને આવરી લેતા ડૉ. કૃપેશ ઠક્કર ના આગામી પુસ્તક “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” ના મુખપૃષ્ઠનું ડૉ. શશીકાંત ઠક્કર, શ્રીમતી નયનાબેન ઠક્કર તેમજ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

    ARJUN UVACHA: NANAKDA PAGLA BHARE HARANFAD BOOK COVER

    આ કાર્યક્રમની શરૂઆતમાં કૃપ એકેડેમીના બાળ કલાકારોએ ‘મંગલમય સબ કર દેના’ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ સૌ લોકોએ એકત્ર થઈને આ બીમારીથી અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે ગૂંજે ગીતાનું પઠન કરી ઉત્સવ ઉજવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો અને માતાઓનું કાઉન્સેલિંગ કરતાં ડૉ. પૂજા ઠક્કર એ જણાવ્યું કે “છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા આ વૈશ્વિક કાર્યમાં વાચા ઠક્કર અમેરિકાની ક્લબફૂટ અવેરનેસ ગુડવિલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે ત્યારે આ વર્ષથી અમેરિકાની ટ્રાએન્ગલ ક્રિકેટ લીગની પાંચ ટીમના ખેલાડીઓ પણ તેની સાથે જોડાયા છે. તેઓ માર્ચ મહિનાથી શરુ થયેલ આ લીગની રમત દરમિયાન ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ ના લોગો વાળા ટીશર્ટ સાથે મેચ રમી લોક જાગૃતિમાં યોગદાન આપે છે. તેઓ આવનારા આઠ મહિના સુધી આ અભિયાનમાં કાર્યરત રહેશે.”

    તો સારવારના ભાગ રૂપે થતી મ્યુઝિક થેરાપી વિશે વાત કરતા મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ એ કહ્યું કે “સંગીત સાથે સારવાર અને ગીતા સાથે લોક જાગૃતિના આ અભિયાનના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત બાળ પર્વ ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ પ્રશસ્તિપત્ર આપી સરાહના આપી છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે.” પુસ્તક વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ ઉમેર્યું કે, “કોઈ બાળકના જીવન ચરિત્ર પર પુસ્તક લખાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. આ પુસ્તક અન્ય બાળકો તેમજ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમજ પર્વની આ પ્રેરણાત્મક યાત્રા ક્લબફૂટ વિશેની જાગૃતિ ફેલાવવામાં મોટું યોગદાન આપશે.”

    CLUBFOOT AWARENESS CAMPAIGN APPRECIATED BY DR. MOHAN PATEL

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ક્લબફૂટ જાગૃતિ માટે આ ફેમિલી બેન્ડના ગીતો અને આલ્બમ વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તો હાલમાં જ ક્લબફૂટ અવેરનેસ મંથ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુલાકાતે ગયેલ ડૉ. કૃપેશ ના આ કાર્યને ડૉ. મોહનભાઈ પટેલ એ વધાવી લીધું. આ કાર્યક્રમના આયોજનમાં જી.એલ.સી.સી. અંજારના કાર્યકરોએ જહેમત ઉઠાવી.

  • ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે મધર્સ ડે ને સનાતન સંસ્કારો સાથે ઉજવતા ત્રીસ દિવસીય ઉત્સવ ‘મા પર્વ’ નો શુભારંભ થયો. જેમાં બાળકોએ ‘માતૃ પૂજા’ કરી અને ભારતીય પરંપરા ની મહેક ફેલાવી. છેલ્લા દસ વર્ષથી ઉજવાતા આ ઉત્સવના દ્રષ્ટા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં બાળકોને ભગવાન શ્રી રામની દ્રષ્ટિએ માતાનું મહત્વ શીખવ્યું. તો આયુર્વેદ તબીબ અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ની મજા માણી.

    MAA PARV 2024

    લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ ની પ્રેરણા થઈ સાકાર

    માતાના અગિયાર સ્વરૂપોની વંદના કરતું આ ઉત્સવ ડૉ. કૃપેશ ના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત છે. જેમાં ‘મધર્સ ડે, સનાતન વે’ ના સૂત્ર સાથે માતા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ માતા, માતૃભૂમિ, ભારત માતા, લોક માતા, ધરતી માતા અને દેવી એમ અગિયાર સ્વરૂપોની વંદના કરતાં ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન થાય છે.

    ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય

    આ પર્વમાં સૌ લોકો પોતાની માતાના નામ સાથે ‘ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર’ તરીકે જોડાય છે. તો વૈશ્વિક એમ્બેસેડર બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના ગીતો ‘લવ યુ મા’, ‘તું છે ઓ મા’ અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ થીમ સોંગ તરીકે ભારે લોકચાહના સાથે સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.

    ARJUN UVACHA: MAA PARV BOOK
    DR. KRUPESH NAYNA SHASHIKANT – GLOBAL GIFT OF TIME AMBASSADOR

    ‘મા પર્વ’ નો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય

    ‘મા પર્વ’ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “દસ વર્ષ પહેલા માતાના નામ સાથે ઓળખ આપી ‘માતૃ દેવો ભવઃ’ ની સનાતન પરંપરા સાર્થક કરવા ‘કૃપેશ નયના શશીકાંત’ તરીકે એક વ્યક્તિથી શરૂ થયેલ આ કાર્ય સાત દેશોમાં વસતા લાખો લોકો સુધી પહોંચ્યું એ ઘટના જ ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય આપે છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે “પુસ્તકમાં વર્ણવેલા માતાના અગિયાર રૂપ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ આ માસ દરમિયાન વિવિધ શહેરોમાં ઉજવણી કરશે. તેમજ અન્ય દેશોમાં સ્વયંસેવકો આ કાર્યને વેગ આપશે.” આ પ્રસંગે ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “માતાના નામ સાથે સંતાનની ઓળખની આપણી ભારતીય પરંપરા આજના યુગમાં ભુલાઈ ગઈ છે, ત્યારે આ પહેલમાં અન્ય લોકો પણ જોડાઈને આપણા મૂલ્યો તરફ પાછા ફર્યા છે; એ જોઈ ખૂબ ગર્વ થાય છે.” આ માસ દરમિયાન થતી માતાના વિવિધ રૂપોની વંદનામાં ગૂંજે ગીતા, વ્હાલ વૃદ્ધત્વને, ગૌ શાલા મેં ગૂંજે ગીતા, શબ્દવંદના, ગુરુ પૂજા અને ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવી પ્રવૃત્તિઓ લોકપ્રિય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પર્વમાં માતા પર આધારિત ડૉ. કૃપેશના કચ્છી પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા જા અગિયાર રૂપ’ નું કૃપ પબ્લિશિંગ દ્વારા લોકાર્પણ થશે.

  • કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

    કાર્યક્રમની શરૂઆતમાં ગૂંજે ગીતા કેન્દ્ર, શાળા નંબર ૧૪ તથા ૧૭, અને શ્રી સહયોગ સરસ્વતી વિદ્યામંદિરના બાળકો તેમજ અહલ્યા કન્યા છાત્રાલય અને શાખાની બાળાઓ એ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાની પ્રાર્થના, દેશભક્તિ ગીત અને ગૂંજે ગીતા ની રજૂઆત કરી તો નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ગાંધીધામ અને અંજારની કન્યાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા. આ કાર્યક્રમમાં સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરતાં બાળ લેખકો ૬ વર્ષીય પર્વ ઠક્કર ના ‘સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પુસ્તક તો ૧૧ વર્ષીય વાચા ઠક્કરના ‘ગીતા વર્ડ સર્ચ – ઇંડિયન કલ્ચર ફોર કિડ્સ’ પુસ્તકનું આમંત્રિત મહાનુભાવોને હસ્તે લોકાર્પણ થયું. ત્યાર બાદ સૌ બાળકો માટે બાળ લેખિકા વાચા ઠક્કર ના ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક આધારિત કોયડાઓની પરીક્ષા યોજાઇ હતી.

    આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા એ કહ્યું કે “આ ગુજરાત બાળ સાહિત્ય પર્વ જ્યારે કચ્છના આંગણે ઉજવાઇ રહ્યું છે તે સમગ્ર કચ્છ માટે ગર્વની વાત છે, અને આ બંને બાળ સાહિત્યકારો એ લખેલા પુસ્તકો અન્ય બાળકોને બાળ સાહિત્ય તરફ વાળવામાં મહત્વનો યોગદાન આપશે. આ પુસ્તકો પર વિવિધ શાળાઓમાં પરીક્ષાઓ યોજવી જોઈએ.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ નયના શશીકાંત એ કહ્યું કે “કચ્છમાં સૌ પ્રથમ વખત બાળ સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ ઉત્સાહભેર જોડાઈને બાળકોને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે પ્રેરિત કરવાનું જે કર્તવ્ય પૂરું પાળ્યું છે તે સરાહનીય છે.”

    તો ફેસ્ટિવલ ડાયરેકટર ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “આ ઉત્સવ કચ્છથી શરૂ થઈ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ૭ ભાષાઓની મહેક ફેલાવશે અને સાહિત્ય થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને આગેકૂચ કરીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આયોજક સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો અને સમ્મિલિત શાળાઓ અને સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગોવિંદભાઈ દનીચા, વિરાજબેન દેસાઇ, તરલિકાબેન દેસાઇ, એન કે ધોરિયા, જિગ્નેશભાઈ અબોટી, સુમા મોહન, સંગીતાબેન ચાવડા, બાગેશ્રી ચંદે, તથા અમૃતભાઈ સ્પંદન એ ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની વ્યવસ્થા મેહુલભાઈ, કલરવભાઈ, વૈશાલીબેન, અંજલીબેન, કૈલાશબેન તથા રશ્મિબેનએ સંભાળી હતી.

  • ‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

    ‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

    વિશ્વભરમાં જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અનેકવિધ રીતે ઉજવણી થઈ ત્યારે હાલમાં અંજારના ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘ચલો રામ બને’ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું. જેમાં સંસ્થામાં તાલીમ લઈ રહેલા બાળકોએ પ્રાર્થના અને રામ ભજન પ્રસ્તુત કરી પ્રસંગની શરૂઆત કરી ત્યાર બાદ સૌ બાળ રામભક્તોને હસ્તે લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચઃ ચલો રામ બને’ ના મુખપૃષ્ઠનું લોકર્પણ થયું. વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર થકી ‘રામ’ બનવાની આ પુસ્તકની વિચારધારાને પ્રદર્શિત કરતાં બાળકોએ  રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી પ્રભુ રામના પ્રસંગોને જીવંત કર્યા. બાળકોમાં રામના ગુણો અને સમર્પણને સૌ આમંત્રિત મહેમાનોએ ભાવવિભોર થઈ આવકાર્યા હતાં.

    આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કરએ કહ્યું કે “સમગ્ર ભારતવર્ષ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આજની પેઢી રામ બનીને સૌને પ્રેરણા આપતી હોય તે ગૌરવ લેવા જેવી વાત છે. આ બાળકોએ રામ બનીને કળિયુગમાં પણ સતયુગના દર્શન કરાવ્યા છે.” તો પુસ્તક વિશે વાત કરતાં લેખક ડૉ. કૃપેશએ જણાવ્યું કે “અર્જુન ઉવાચઃ ચલો રામ બને” પુસ્તકમાં ત્રેતાયુગ અને કળિયુગના સમન્વય સાથે રામ બનવાના જે આદર્શો રજૂ થયા છે એનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળ્યું. આ પુસ્તકમાં ભગવાન રામનું વ્યક્તિત્વ અને જીવનદર્શનને સરળ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છે જે બાળકો, યુવાનો તેમજ દરેક વયના વાચકો માટે પ્રેરક બની રહેશે.”

    અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતે માતાઓએ રામચરિત માનસની ચોપાઈ સાથે સુંદર નૃત્ય રજૂ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી.

  • વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

    વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

    ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના ભાવ સાથે કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો જોડાયા.

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા સંચાલિત ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબએ કચ્છના સૌથી મોટા કચ્છી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય પર્વ’ ના આયોજન કરવાની જાહેરાત કરી. જેમાં કચ્છના જાણીતા સાહિત્યકારો, કલાકારો અને યુવા સર્જકો તેમજ વિવિધ સંસ્થાઓ જોડાઈ કચ્છની ધરા અને કચ્છી મિજાજને સાહિત્ય અને કલા થકી વૈશ્વીક સ્તરે ઉજાગર કરશે.

    હાલમાં જ્યારે આ સંસ્થાઓએ કચ્છી સાહિત્યને વિશ્વફલક પર રોશન કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટેની પ્રથમ બેઠકનું ભુજ ખાતે આયોજન થયું જેમાં કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો હાજર રહ્યા અને ફેસ્ટીવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર એ આ પર્વ માટે આપેલા ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ સૂત્રને હ્રદયસ્થ કરી સાહિત્ય, સંગીત, કલા અને શિક્ષણ થકી પોતાનું યોગદાન આપવા ઉત્સાહ દાખવ્યો. ડો. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કરના આ અભિયાનને કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા, જાણીતા સાહિત્યકાર શ્રી કૃષ્ણકાંત ભાટિયા અને ડૉ. રમેશ ભટ્ટ તથા સાહિત્યક્ષેત્રે સક્રિય કચ્છના નારીરત્નો એવા શ્રીમતી રમિલાબેન મહેતા, પુષ્પાબેન વૈદ્ય અને અરુણાબેન ઠક્કર એ ઉષ્માભેર આવકાર્યું.

    આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ લીટરેચરએન્ડ મ્યુઝિક ફેસ્ટીવલમાં સાહિત્યકારો અને કલાકારોને પોતાના સાહિત્યને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની દિશા મળી રહે એવો પ્રયાસ રહેશે. આ ભગીરથ કાર્યમાં જોડાવા સૌ કચ્છી સાહિત્યકારો, કલાકારો, યુવા સર્જકો, શાળા-કોલેજો અને સંસ્થાઓને આમંત્રણ આપું છું. આ સાથે જ વિશ્વના વિવિધ દેશોમાં વસતાં કચ્છી લોકોને પણ આ કાર્યમાં સાંકળી લેવામાં આવ્યા છે જે ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના સૂત્રને સાર્થક કરશે.”

    આ સંદર્ભે વાત કરતાં ડો. કાંતિ ગોર એ કહ્યું કે “આજના ડિજિટલ યુગમાં કચ્છી સાહિત્ય અને કચ્છી સહિત્યકારો બંને ડિજિટલી અપગ્રેડ થઈ વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા જઇ રહ્યા છે તે સરાહનીય છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે“આ ફેસ્ટીવલ અંતર્ગત કચ્છીયતને આવરી લેતા ઘણાં પુસ્તકો સંકલિત કરીને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે.” શ્રી મદનકુમાર એ ઉમેર્યું કે ‘આ સાહિત્ય સંગીત પર્વ એ સર્વ માટે છે જેમાં સૌ કોઈ જોડાઈ પોતાનું કચ્છી મિજાજ સાર્થક કરે એ જ ભાવના છે.” સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કર કહ્યું કે ‘કૃપ લીટરેચર ફેસ્ટીવલ’ તેમજ ‘કૃપ મ્યુઝિક ફેસ્ટીવલ’ અંતર્ગત થનારું આ પ્રથમ ચરણ છે. એવા જ અન્ય ભાષાઓના સાહિત્ય પર્વોનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.” આ પર્વના દ્રષ્ટા શ્રીમતી નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે “કચ્છી સાહિત્ય અને સંગીત પર્વમાં માતૃભાષા અને માતૃભૂમિ માટે કાર્ય કરતાં સૌ પોતાના માતા-પિતાના નામ સાથે જોડાઈ આ પહેલને વધુ મૂલ્યવાન બનાવશે.”

  • છ વર્ષીય પર્વ ઠક્કરએ સનાતન એક્ટીવિટી પુસ્તક દ્વારા સાહિત્ય ક્ષેત્રે કર્યું પદાર્પણ

    છ વર્ષીય પર્વ ઠક્કરએ સનાતન એક્ટીવિટી પુસ્તક દ્વારા સાહિત્ય ક્ષેત્રે કર્યું પદાર્પણ

    સાંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે થયું વિમોચન

    કચ્છ–અંજારના બાળ કલાકાર પર્વ ઠક્કર એ સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતું પોતાનું પ્રથમ પુસ્તક ‘પર્વ કી પાઠશાલા- સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પ્રકાશિત કર્યું. જેનું કચ્છના લોકલાડીલા સાંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે ભુજ ખાતે લોકાર્પણ થયું. ગાયક અને અદાકાર તરીકેની કારકિર્દી ઉપરાંત કલા ક્ષેત્રે વધુ એક સોપાન સર કરવા બદલ શ્રી વિનોદભાઇએ પર્વ ઠક્કરને પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કર્યું તો અંજાર શહેર વતી ધારાસભ્ય શ્રી ત્રિકામભાઈ છાંગાએ પણ શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.

    બીજા ધોરણમાં અભ્યાસ કરતાં પર્વ દ્વારા રચિત બાળકો માટેનું આ પુસ્તક સનાતન સંસ્કૃતિના રોચક કોયડાઓથી ભરપૂર છે. આઝાદી અજ્ઞાનતા સે મુહિમ અંતર્ગત આ પુસ્તકને પર્વ એ જનસેવા અર્થે ગિવ વાચા ફાઉન્ડેશનને સમર્પિત કરી ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટને ટેકો આપવા સમાજસેવાની પ્રવૃતિમાં સાહિત્ય થકી યોગદાન આપ્યું છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર ડૉ. કૃપેશ એ કહ્યું કે “વય નહીં પરંતુ વ્યક્તિત્વ મોટું હોવું જોઈએ. સિંગર અને એક્ટર હોવાની સાથે હવે જ્યારે પર્વ યંગેસ્ટ ઓથર બન્યો છે તેમજ આટલી નાની ઉમરે પોતાની કલા થકી સમાજ સેવા અને સંસ્કૃતિનું જતન કરી તે સનાતની હોવાની ફરજ બજાવે છે ત્યારે પિતા તરીકે ગર્વ થાય છે.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન એ કહ્યું કે “શબ્દવંદના અંતર્ગત લેખકો જ્યારે પોતાના પુસ્તકની આવક સંસ્થાને સમર્પિત કરી સેવાના સહભાગી બની શકે છે ત્યારે બાળ પર્વનું આ કર્મયોગ અન્ય લેખકો માટે પ્રેરણારૂપ બનશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકના વિમોચન સાથે પર્વ ઠક્કર ભારતના સૌથી નાની ઉમરના લેખક તરીકે પ્રસ્થાપિત થયો.

  • ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

    ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

    આ પુસ્તક વિષે વાત કરતા લેખકે જણાવ્યું કે ‘અર્જુન ઉવાચ’ એ ફક્ત પુસ્તક નહીં પણ મારી અનુભવેલી આધ્યાત્મિક યાત્રા છે. એક સંવાદ છે પિતા અને પુત્રીનું, ‘ક્યાં છે કાનો? પ્રશ્નથી ‘અહં બ્રહ્મસ્મિ’ ના ઉત્તર સુધીનો. આ એવી યાત્રા છે જે મારી સમજ અનુસાર ગીતાનું પથદર્શન છે તથા કૃષ્ણનું અવલંબન છે. આ કથા છે સાત ગીતોની અને તેના સર્જન માટે પ્રેરણા સ્ત્રોત સમી એ સાત ઘટનાઓની. જીવનની ઘટમાળને ગીતાના દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરી કઈ રીતે સુસાધ્ય બનાવી શકાય તેનો આ પ્રયોગ છે; આ પુસ્તક એટલે પિતાએ પુત્રીને આપેલી સનાતન ધર્મના સંદેશની ભેંટ.

    આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરભાઈ એ ડૉ. કૃપેશ અને તેમના સમગ્ર પરિવારનું સન્માન કર્યું હતું. તેમણે ડોક્ટરને ‘કચ્છના યુવાઓ માટે આદર્શ વ્યક્તિ’ કહીને સરાહના આપી અને કહ્યું “આજે જયારે સરકારે ભગવદગીતાનો શિક્ષણમાં સમાવેશ કર્યું છે ત્યારે ગીતાના સારને બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં આ પુસ્તક રૂપે રજુ કરી આપે સમયની માંગ પૂરી કરી છે.” ડૉ. કાન્તીભાઈ એ ડોક્ટર અને તેમના પરિવારને “માત્ર સંસ્કૃતિ અને સંસ્કારો માટે જીવતા પરિવાર” તરીકે સંબોધી શુભકામનાઓ આપી તો અર્જુન ઉવાચ પુસ્તક વિષે વાત કરતા શ્રી મદનકુમારે કહ્યું કે “આમ તો ભગવાન ઉવાચ એવું હતું પણ અહી અર્જુન ઉવાચ કહીને કૃપેશ ભાઈએ ક્રાંતિ કરી છે.” આ ઉપરાંત એમણે જી.એલ.સી.સી.ના કાર્યોને બિરદાવતા સતત ગતિશીલ રહેવા પ્રોત્સાહન આપ્યું. શ્રી જયંતીભાઈ એ લેખક વિશે વાત કરતા ઉમેર્યું કે “માતૃભાષાનું ઋણ તેમને વિદેશથી અહી ખેંચી લાવ્યું છે.”

    જી.એલ.સી.સી. ના  વૈશ્વિક પ્રોજેક્ટ વિષે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને જણાવ્યું કે ‘સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રની પ્રવૃતિઓ થકી સંસ્કૃતિ સંવર્ધન કરવા અને નવોદિત કલાકારોને મંચ આપવા માટે જી.એલ.સી.સી. ની કચ્છની શાખાનું ગઠન કરી કચ્છને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો હવે સમય આવી ગયો છે.’ તેમણે તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી દિવાળીબેન જે. ઠક્કરના સ્મરણાર્થે દર વર્ષે ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ ઉજવવાની જોગવાઈ પણ કરી છે.

    કાર્યક્રમમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, તથા ડૉ. કૃપેશ દ્વારા ભક્તિ સંગીત રજુ કરવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકો એ વધાવી લીધું.આ ઉપરાંત ‘કૃપ ટોક્સ’ શો માં નાના બાળકોએ કાવ્ય પઠન કર્યું તથા ‘ફ્યુચર ઓફ પોએટ્રી’માં કવિતાના ભવિષ્યમાં ઓડિયો અને વિઝ્યુઅલ સ્વરૂપના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આપ્યું. આ સાથે જ “છાંવ જૈસે પાપા” પોએટ્રી ઓડીઓનું પણ આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીવ વાચા પબ્લિકેશન તરફથી હવે કચ્છમાં રહીને જ પોએટ્રી આલ્બમ તથા ઓડીઓ બુક બનાવવાની સગવડ પ્રાપ્ત થશે એવી જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમના આયોજનમાં ઇશાન ઠક્કર, બોની ઠક્કર, વિરલ ઠક્કર, હિતેશ ઠક્કર, અંજલી સેવક તથા કલરવ રાઠોડએ જહેમત ઉઠાવી.

  • ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.

    કાર્યક્રમની શરૂઆત ‘કૃપ ટોક્સ શો’ દ્વારા કરવામાં આવી. આ શો માં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અને કવિઓએ ‘નારી’ વિષય પર લખેલી કવિતાઓ પ્રસ્તુત કરી હતી. ઉભરતા રચનાકારોને મંચ આપવાના ઉદેશ્યથી ગિવ વાચા સંસ્થા અને કૃપ પબ્લિકેશન દ્વારા ‘નારી હૈ નારાયણી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જેમાં કચ્છ અને ગુજરાતની વિવિધ શાળા અને કોલેજના ૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉપરાંત જાણીતા સાહિત્યકારો પોતાની કવિતાઓ આપી છે.

    ‘બાતેં અનકહી’ માં જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશે ફિલ્મો અને આલ્બમમાં ગીત લખવાની બારીકીઓના સ્વાનુભવનો વિદ્યાર્થીઓ અને મેહમાનોને પરિચય કરાવ્યો તથા બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ’ ના લેખક તરીકે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સાથે જ ‘વુમન્સ પર્વ’ અને ‘નારી હૈ નારાયણી’ બુકના થીમ સોંગ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધું હતું.

    અંતે ‘નારી હૈ નારાયણી’ પુસ્તક અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ ગીતનું લોન્ચિંગ અતિથી વિશેષ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર, તોલાની ઇન્સ્ટીટ્યુટના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માની, કવિયત્રી પદ્માબેન મોટવાની, ગાયિકા અને લેખિકા ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર તથા ડૉ. કૃપેશ ઠક્કરના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપ મ્યુઝિક કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાની તક આપતાં ‘કૃપ પાર્ટનર પ્રોગ્રામ’ ની જાહેરાત પણ કરવામાં આવી.

    આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના રીડર્સ એન્ડ રાઈટર્સ ક્લબના આગેવાનો સુશ્રી વિમ્મી સદારંગાની, શ્રી સંદીપભાઈ જાની તથા પ્રોફેસર ડૉ. પ્રતીક અંબસાના તેમજ અંજલી સેવક અને કલરવ રાઠોડે જહેમત ઉઠાવી. અત્રે નોંધનીય છે કે સાહિત્યક્ષેત્રે પ્રથમવાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કવિતા પ્રકાશિત કરવાની તક મળી છે.