Tag: ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને બેસ્ટ સેલિંગ લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.

તેમના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડતા, લાઈફ કોચ તરીકે તેમની વ્યાપક પ્રશંસા અને સિદ્ધિઓ છે. તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે.

તેઓ ભારત અને ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે પણ જાણીતા છે. લેખક તરીકે, ડૉ. કૃપેશે બેસ્ટ સેલર નવલકથા શ્રેણી “ભગવદ ગીતા ફોર લાઈફ”, “જીવન મેં ગૂંજે ગીતા” તેમજ “ધ લવ ગાથા” લખી છે. તેમના જાણીતા પુસ્તકો અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યા છે કાનો?: લીરીક્સ બુક તેમજ અધુરા પ્રેમની કહાની છે. તેમના પુસ્તકો કૃપ પબ્લિશિંગ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત થાય છે.

ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા સાહિત્ય ઉત્સવ “કૃપ લિટરેચર ફેસ્ટિવલ”નું નેતૃત્વ કરી રહ્યા છે.

  • મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

    મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

    અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું. જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ નયના શશીકાંત, ડૉ. પૂજા ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ‘યા દેવી સર્વભુતે’ ના ભાવથી દેવી સ્વરૂપ વૃદ્ધ માતાઓનું પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા તથા ગૂંજે ગીતા પ્રસ્તુત કરી જેમાં ગીતા પઠન માટે પચાસ થી પણ વધુ વડિલો જોડાયા.

    આ કાર્યક્રમમાં લેખક ડૉ. કૃપેશના  પુસ્તક ‘અર્જુન ઉવાચ : મા પર્વ’ ના મુખ પૃષ્ઠનું લોકાર્પણ વૃદ્ધ માતાઓના વરદ હસ્તે થયું. આ પ્રસંગે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, આશાપુરા ફાઉન્ડેશન વતી રાગીણીબેન વ્યાસ અને હસ્મીતાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. દેવી પુજાના હૃદયસ્પર્શી આયોજનમાં માતાઓએ પોતાના અનુભવને વ્યક્ત કરતા કહ્યું કે “આજના સમયમાં સંયુક્ત કુટુંબનું આદર્શ પૂરું પાડતું આ પરિવાર જયારે અમારું પૂજન કરી આ સંસ્કારોને જીવંત રાખતું હોય ત્યારે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ. એક માતા પિતાની ફરજ બને છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય જેથી ભવિષ્યમાં અમારી જેમ કોઈને નિસહાય ના રહેવું પડે. ખાસ કરીને આ બંને બાળકો કે જે માતૃ પૂજા કરી રહ્યા છે તેમના થી આજની પેઢીને શીખ લેવી જોઈએ.” તો આ પ્રસંગે વક્તવ્ય આપતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “મા પર્વ માં અમે સૌ મારા આગામી પુસ્તક ‘અર્જુન ઉવાચ:મા પર્વ’ માં સૂચિત સનાતન ધર્મ અનુસાર માતાના અગિયાર સ્વરૂપો પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે દેવી સ્વરૂપ માતાઓના આશીર્વાદ લઇ અને કચ્છમાં નવ જેટલા ગુંજે ગીતા કેન્દ્રો શરુ કરવાની અભિલાષા છે. કે જેથી આવનરી પેઢીમાં પોતાના માતા પિતા પ્રત્યેના કૃતજ્ઞતાના ભાવને જીવંત રાખી શકાય.” સંસ્થાનો આ સંકલ્પ પૂર્ણ થાય એટલે વડીલોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી.

  • ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

    ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

    ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા હાલમાં ચાલી રહેલા ‘મા પર્વ’ અંતર્ગત માતૃભૂમિને વંદન કરવા ગુજરાત દિવસ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતના વિડિયોનું શ્રી ત્રિકમદાસજી મહારાજને હસ્તે સચ્ચિદાનંદ મંદિર લોકાર્પણ કરાયું. ગુજરાત અને તેની વિશેષતાઓનું ગુણગાન ધરાવતા આ ગીતને ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર એ શબ્દો તથા સંગીતથી શણગાર્યું છે તેમજ કચ્છી કલાકારો યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ પર્વ ઠક્કર, વાચા ઠક્કર તથા ડોકટરે કંઠ આપ્યું છે.

    આ વિડિયોનું શુટિંગ ગોવર્ધન ધામ તેમજ ભીમાસર ખાતે થયેલુ છે તથા ગુજરાતની ગરિમા એવા પર્યટન સ્થળોને પણ તેમાં સાંકળવામાં આવ્યા છે. આ ગીતના ફિલ્માંકન વિશે વાત કરતા ડૉ. કૃપેશે કહ્યું કે “હાલ ચાલી રહેલ ત્રીસ દિવસીય આ ઉત્સવમાં અમે મારા પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ માં દર્શાવેલ માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરીએ છીએ ત્યારે માતૃભાષા થકી માતૃભૂમિની આરાધના કરવાની તક અમને મળી એ અમારું સૌભાગ્ય છે અને ગુજરાત દિવસના શુભ અવસર પર આ વીડિઓ રજુ કરી જન્મભૂમિ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છે.” બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા ત્રિકમદાસજી મહારાજ એ કહ્યું કે, “અંજારના આ બંને બાળકો સનાતન મૂલ્યોને ફક્ત કચ્છ કે ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારત અને વિશ્વકક્ષાએ ઉજાગર કરે છે ત્યારે ગુજરાત દિવસ નિમિતે તેમનું આ કાર્ય કચ્છ માટે ગૌરવની વાત છે.”

    કૃપ ફિલ્મ્સ દ્વારા કચ્છના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં આવ્યા છે તેમજ કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ દ્વારા વિશ્વભરમાં બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર આ ગીતને નિ:શુલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ કચ્છી કલાકારો કચ્છનાં વિવિધ પયર્ટન તથા ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરવા પોતાના ગીતોનું ત્યાં ફિલ્માંકન કરી તેને વિશ્વભરમાં પહોંચાડે છે.

  • ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

    ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

    હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત ત્રીસ દિવસીય તહેવારમાં માતાના અગિયાર સ્વરૂપોની પૂજા સાથે મધર્સ ડે ની ઉજવણી થાય છે ત્યારે અંજારના શિષ્યોએ માતાના સ્વરૂપ એવા તેમના ગુરૂનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

    કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ તેમના ગુરુ કલ્પનાબેન મહેતાના પૂજન સાથે કરી ત્યાર બાદ બાળ કલાકારો પર્વ અને વાચા એ તેમના ગુરૂ રીચાબેન ચાવડાની પૂજા કરી તથા શિક્ષિકાઓ શીતલબેન રબારી, ભાવનાબેન ભાવસાર, વૈશાલીબેન ભટ્ટ અને અંકિતાબેન જોશીની તેમના શિષ્યોએ આચાર્ય દેવો ભવ: ની ભાવનાથી પૂજન અને તુલસી માતા વડે સત્કાર કર્યું. આ સાથે ભાવવિભોર થયી ગયેલા ગુરૂ-શિષ્યોએ તેમની લાગણીઓ વ્યક્ત કરી. ત્યાર બાદ ગૂંજે ગીતા કાર્યક્રમ દ્વારા ગીતા માતાની આરાધના કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ ગિટાર પર ગીતા પ્રસ્તુત કરી. આ પ્રસંગ વિશે વાત કરતા ડોકટરે કહ્યું કે “મા પર્વમાં સૌ સાથે મળીને સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે. ત્યારે શિક્ષિકા કે જેઓ માતાની જેમ જ કાળજીપૂર્વક શિક્ષા અને જ્ઞાન આપી બાળકના ચારિત્ર્ય ઘડતરમાં યોગદાન આપે છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા બાળકો શીખે એ આજના સમયની માંગ છે.”

    આ ઉપરાંત કાર્યક્રમમાં ગર્ભ સંસ્કાર અને માતૃપૂજાના મહત્વ વિશે ડૉ. પૂજા ઠક્કર એ, તો માતૃભાષાના ઋણ વિશે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’ એ સમજ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝી આઈડી એ મા પર્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા તમામ ડીજીટલ સેવાઓ નિ:શુલ્ક આપી યોગદાન આપ્યું છે.

  • મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

    મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

    હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયો તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

    ૧૫ એપ્રિલથી 14 મે સુધી ચાલી રહેલા વૈશ્વિક ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત સંસ્થા સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો કરી રહી છે ત્યારે ગૌમાતા માટે મોટી નાગલપર મુકામે આવેલી શ્રી સચિદાનંદ મંદિરની વ્રજ ગૌશાળામાં ગૌ પૂજા અને ગૂંજે ગીતાનું આયોજન થયું. આ કાર્યક્રમ નાના બાળકોને ગાય માતાની પૂજાના મહત્વ વિશેની સમજ આપવામાં આવી; ત્યાર બાદ સૌએ સાથે મળીને ગાય માતાની પૂજા કરી તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પાંચ વર્ષીય પર્વ ઠક્કર, દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ નયના શશીકાંત દ્વારા ગૂંજે ગીતા રજુ કરવામાં આવી જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમના આયોજન બદલ મહંત શ્રી ત્રીકમદાસજી મહારાજે શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, ટીએચઓ. ડૉ. રાજીવભાઈ અંજારિયા તથા કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા ઉપસ્થિત રહ્યા અને ગૌ પૂજા કરી સૌને પ્રોત્સાહન આપ્યું. મા પર્વ વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે “ભારતીય સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોમાં ‘ગાવો વિશ્વાસ્ય માતર:’ એમ ગાયને માતા કહી છે. ગૌ પૂજા દ્વારા બાળકો ગાય માતાની પૂજા કરતાં શીખે અને ગાયનું મહિમા સમજે એ ઉદેશ્યથી આ પ્રવૃતિ કરવામાં આવે છે.” વધુમાં એક મ્યુઝીક થેરાપીસ્ટ તરીકે પોતાના અનુભવો વ્યક્ત કરતા એમણે ઉમેર્યું કે “ભક્તિ સંગીતની મન ઉપર હકારાત્મક અસરો ફક્ત મનુષ્યોમાં જ નહિ ગાયો પર પણ થાય છે માટે જયારે ગાય માતા સમક્ષ સંગીતમય રીતે ગીતા પઠન થાય એ તેમના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી બની શકે.” ગૌશાળામાં ગૌ પૂજા અને ગીતા પાઠને લોકોએ નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો છે જેના પરિણામે આ પ્રવૃતિઓ ભવિષ્યમાં પણ થતી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

    કૃપ મ્યુઝીક એ ગીતાના અધ્યાયને વિશ્વભરમાં બસોથી પણ વધુ પ્લેટફોર્મ પર નિશુલ્ક લોન્ચ કરી આ કાર્યમાં યોગદાન આપ્યું છે. સફળ સંચાલન માટે ડૉ. પૂજા ઠક્કર તથા વૈશાલીબેન ભટ્ટ એ જહેમત ઉઠાવી જેમાં સ્વયંસેવકો અંકુર સેવક, અંજલી સેવક, કલરવ રાઠોડ અને યશ ટાંક એ સેવા આપી.

  • માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

    માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ.

    આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને  મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.

    આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ગ્લોબલ ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડરના નિમણુકથી કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ, વાચા, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશને તેમના માતા પિતાના નામ સહીત આમંત્રિત મહાનુભાવોના હસ્તે એમ્બેસેડર ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડૉ. કૃપેશે જાહેરાત કરી કે “માતૃદેવો ભવ: અને પિતૃ દેવો ભવઃ ના સનાતન સંસ્કારને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા હવેથી તેઓ ટ્રસ્ટના સર્વે કાર્યોમાં ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે ઓળખાશે. આ મહિના દમિયાન તેમના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત સનાતન સંસ્કૃતિ પ્રમાણે માતાના વિવિધ રૂપોની સેવા ગૂંજે ગીતા, ગૌ પૂજા, હેલ્થ કેમ્પ, સ્વછતા પર્વ તથા શબ્દવંદના કાર્યક્રમ થકી કરશે.” આ સાથે જ તેમણે પોતાના નામને માતા પિતાના નામ સાથે જોડવાની પ્રથાની સમગ્ર વિશ્વમાં પહેલ કરી તથા સંસ્થા સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આ પ્રથામાં જોડાઈ માતા પિતાના નામ સાથે સામાજિક કર્યો કરવા આમંત્રણ આપ્યું. ગિફ્ટ ઓફ ટાઇમના કેન્દ્રીય વિચાર વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે “ગીવ વાચા સંસ્થા ‘સમયદાન’ આપવામાં માને છે. સ્વયંસેવકો પોતાનો કિમતી સમય સંસ્થાને દાન કરી કલા અને કૌશલ્યો થકી માતાના નામ સાથે જોડાઈ સેવા કરે છે, માટે તેઓ અમારા ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર બને છે.”

    માતૃ પૂજાનું પ્રારંભ આમંત્રિત માતાઓના પૂજન અને તુલસી દ્વારા સત્કાર સાથે કરવામાં આવી. અત્રે નોંધનીય છે કે અહલ્યા કન્યા છાત્રાલયની વીસથી પણ વધુ બાળાઓએ તેમની પાલક માતા સેજલબેન મનવરની પૂજા કરી સર્વેને પ્રેરણા આપી હતી. ૧૫ એપ્રિલ થી ૧૪ મે સુધી ચાલનારા આ પર્વમાં દર રવિવારે માતૃ પૂજાનું આયોજન કરવામાં આવશે. કૃપ મ્યુઝીક દ્વારા આ પર્વના ગીતો લવ યુ મા, નારી હૈ નારાયણી, ભક્તિ યોગ, ધન્ય ધરા ગુજરાતની, ઐ વતન, વંદે માતરમ અને મિસ યુ મા  ને વિશ્વભરમાં વિનામૂલ્યે લોન્ચ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મહિના માટે કૃપ ફિલ્મ પ્રોડક્શનએ પોતાની યુટ્યુબ ચેનલ પણ નિશુલ્ક આપવાની જાહેરાત કરી.

    આ કાર્યક્રમનું આયોજન ડો. પૂજા પ્રવિણા જગદીશભાઈના નેતૃત્વ હેઠળ થયું જેમાં અંજલીબેન સેવક, કલરવભાઈ રાઠોડ અને યશભાઈ ટાંક જહેમત ઉઠાવી હતી.

  • હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

    હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

    હાલમાં હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે અંજારમાં ગીવ વાચા સેન્ટરનું શુભારંભ શાળા નંબર 14 ખાતે કરવામાં આવ્યું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ અને અંજારના બાળ કલાકારોએ હાજરી આપી હતી. સનાતન સંસ્કારોથી બાળકો અને યુવાનોના ચરિત્ર ઘડતર માટે કાર્યરત આ સેન્ટરનું ઉદ્ઘાટન બાળકોને હસ્તે જ કરવામાં આવ્યું. જેમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, યંગેસ્ટ ચેન્જમેકર વાચા ઠક્કર તથા અન્ય બાળકો સાથે ગીવ વાચાના ટ્રસ્ટીઓ ડૉ. કૃપેશ તથા શ્રીમતી નયનાબેન, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા અને આમંત્રિત અતિથીઓને હસ્તે સંસ્થાના કેન્દ્રસ્થાને રહેલા પંચેશ્વરની છવીનું અનાવરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા પઠન દ્વારા કરવામાં આવી; જેમાં આમંત્રિત સૌ લોકો જોડાયા હતા. ત્યાર બાદ બાળ કલાકારોએ ગૂંજે ગીતા રજુ કરી.

    પંચેશ્વર વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. કૃપેશ ઠક્કરએ કહ્યું કે ‘વર્ષોથી ભગવાનના કલા સ્વરૂપને કેન્દ્રમાં રાખી વિવિધ કલાઓના સમન્વયથી થતી પ્રવૃતિઓને આવરી લેતી આ છબીમાં શ્રી કૃષ્ણના મુરલીધર સ્વરૂપને, નૃત્યના દેવ નટરાજને, વિદ્યાના દેવી માતા સરસ્વતીને, મહાલેખક ભગવાન શ્રી ગણેશને અને સ્વાસ્થ્યના ભગવાન ધન્વન્તરીનો સમાવેશ કરવામાં આવ્યો છે” વધુમાં તેમણે ઉમેર્યું કે આ સેન્ટરમાં દર રવિવારે જન સામાન્ય માટે ‘ગૂંજે ગીતા કેન્દ્ર’ ના માધ્યમથી ગીતાના અધ્યાયોને સંગીતમય રીતે ગાવાની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ‘પર્વ કી પાઠશાલા’ અંતર્ગત ભારતીય તહેવારો વિષેની વિસ્તૃત સમજ સહજ રીતે આપી મુલ્યલક્ષી શિક્ષણ અને સંસ્કૃતિ સંવર્ધનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવશે તથા વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. આ કેન્દ્રમાં જી.એલ.સી.સી. કચ્છના સ્વયંસેવકો વૈશાલીબેન ભટ્ટ, અંજલીબેન સેવક, ડૉ. કૃપાલી પલણ, ડૉ. પૂજા ઠક્કર અને ડૉ. કૃપેશ સેવા આપવા જોડાયા છે.

    આ સાથે જ હનુમાન જન્મોત્સવના ભાગ રૂપે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘હનુમાન મંત્ર’ આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું. આ આલ્બમ કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વભરમાં વિવિધ પ્લેટફોર્મ પર નિ:શુલ્ક રિલીસ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં જી.એલ.સી.સી. અંજારના સ્વયંસેવકો શ્રી અમૃતભાઈ સ્પંદન, કલરવભાઈ રાઠોડ અને શંકર ગોસ્વામીએ નોંધપાત્ર યોગદાન આપ્યું.

  • રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

    રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

    હાલમાં જ રામનવમીના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું. આ રામભક્તિ ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર તથા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર તથા સુર ગુજરાત કે સિઝન ૨ અમેરિકાની વિજેતા રીતિ એ પોતાની કલાનું યોગદાન આપ્યું.

    સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા ભુજ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી દિનેશ કામત, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના માન. નવિનભાઇ વ્યાસ, સંસ્કૃત ભારતીના ન્યાસી. ડૉ. પંકજ શાહ, સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ દેશમુખ, ફ્રેન્ડસ ગ્રુપના રાહુલભાઇ ગોર અને કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિગીતનું વિમોચન કરવામાં આવ્યું; વિમોચનના આયોજનમાં અમિતભાઈ ગોર એ સહયોગ આપ્યો. લોકાર્પણ બાદ ભક્તિગીતનો વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેને ઉપસ્થિત દર્શકોએ વધાવી લીધું. આ ગીતના વીડિઓમાં અંજાર રઘુનાથજી મંદિર, અંજારની પ્રખ્યાત ભવ્ય રથયાત્રા તથા સ્વામિનારાયણ તળાવના નયનરમ્ય દ્રશ્યોને દિગ્દર્શક ડૉ. કૃપેશ એ સુંદર રીતે કેમેરામાં કંડાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તથા કૃપ ફિલ્મ્સની સમગ્ર ટીમએ આ વિડિયોનું શુટિંગ વિનામૂલ્યે કરી યોગદાન આપ્યું છે. બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા સંગીતકાર ડૉ. કૃપેશ એ જણાવ્યું કે આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સાથે અવગત કરાવવા આ બાળકો સતત આવા ભક્તિગીતો રજુ કરી અન્ય બાળકો અને યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે જે આજના સમયની માંગ છે. રામ નવમી સાથેની યાદોને વાગોળતા તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૧૯ રામ નવમીના તેમના ગીત “મંગલ ભવન અમંગલ હારી” અને “રામ ધૂન” માં ફક્ત એક વર્ષની વયે બાળ ગાયક અને અદાકાર તરીકે પદાર્પણ કરીને જ પર્વ ઠક્કર યંગેસ્ટ સીંગર અને એક્ટર ઇન વર્લ્ડ બન્યો છે.

    આ પ્રસંગે સંસ્થના ટ્રસ્ટી શ્રી નયનાબેન ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન રામ ધૂન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેવામાં આવ્યો છે. આ સાથે જ કચ્છને વિશ્વસ્તરે અગ્રીમ લાવવા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના ઉદેશ્ય મુજબ કચ્છના વિવિધ દર્શનીય સ્થળોને મ્યુઝીક વિડીયોમાં લેવામાં આવે છે. અગાઉ પણ આ બેન્ડ દ્વારા રચિત ‘રામ રાખે તેમ રહીએ’ ગીતમાં વાંઢાય ના રામ મંદિર ને, ‘મંગલ ભવન અમંગલહારી’ ગીતમાં મકલેશ્વર મંદિરને કેમેરામાં કંડારવામાં આવ્યા હતા. કચ્છના કલાકારોને વિશ્વ ફલક પર લઇ જવા ના ઉદેશ્ય સાથે તેમણે ઉમેર્યું કે આવનારા સમયમાં કચ્છના વિવિધ ધાર્મિક સ્થળોને અધ્યતન ટેકનોલોજીના ઉપકરણોથી ફિલ્માંન્કિત કરી ભક્તીગીતોના સથવારે વિશ્વભરમાં પહોંચાડવા માટે જી.એલ.સી.સી. અને ગિવ વાચા કચ્છના અન્ય કલાકરોને પણ આમંત્રિત કરે છે. ડૉ. પુજાબેન ઠક્કરે વધુમાં ઉમેર્યું કે ટ્રસ્ટના આ કાર્યને સહયોગ આપી માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે કૃપ ગ્રુપ ઓફ કંપનીઝ સદા તત્પર રહેશે.

  • ડોક્ટર ડે વિશેષ: કચ્છના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે

    ડોક્ટર ડે વિશેષ: કચ્છના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે

    • થઇ જશે, ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ જેવી ફિલ્મોનું મ્યુઝિક લોન્ચ કર્યુ
    • એકેડેમી દ્વારા ઉભરતા ગાયક કલકારોને આગળ લાવવા માર્ગદર્શન અને મદદ કરાય છે
    • ડો. કૃપેશ ઠક્કર પોતે ગાયક, ગીતકાર અને સંગીતકાર છે, તેમના 100 ગીત લોન્ચ થયા છે

    આજે 1લી જુલાઇના રોજ વિશ્વ ડોક્ટર ડેની ઉજવણી સમગ્ર દુનિયામાં વિવિધ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ એક એવા ડોક્ટરની કે જેમણે કચ્છમાં રહી સંગીતને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અંજારના ડો. કૃપેશ ઠક્કરની કૃપ મ્યુઝિક કંપની દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન 17 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ડોક્ટર ઠક્કરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સહયોગ સ્થાપી ભાવિ ગાયક અને વાદકને આગળ લાવવા પ્રયાસો કર્યા છે. સાથે-સાથે તેઓ સામાજિક સેવાકાર્યો પણ કરી રહ્યા છે. તો જાણીતો સૂર ગુજરાત કે જેવો મ્યુઝિક શો પણ ચલાવી રહ્યા છે.

    અંજારમાં ક્લિનિક ચલાવે છે સંગીતકાર ડોક્ટર

    અંજાર શહેરના બસ સ્ટેશન પાસે આવેલા વર્ધમાન નગર ખાતે ડો. કૃપેશ ઠક્કરના નામે ક્લિનિક ધરાવતા તબીબ દ્વારા સંગીત ક્ષેતે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે પૂછતાં ઉત્સાહથી ભરપૂર ડોકટર ઠક્કરે કહ્યું કે મારી સમજ શક્તિની સાથે જ સંગીત પ્રેમ મને આ ક્ષેત્રમાં સફળતા તરફ દોરી રહ્યો છે.

    કેવી રીતે ડોક્ટરની સાથે સંગીતજ્ઞ બન્યા?

    વિગતે જણાવતા તેમણે કહ્યું હતું કે જામનગરથી MBBS પાસ કર્યા બાદ બે વર્ષ અમેરિકા ગયો, જ્યાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી અને ખાનગી કંપનીમાં જોબ શરૂ કરી હતી. આ દરમિયાન વર્ષ 2013માં ગ્રીન કાર્ડ મળી રહ્યું હતું. પરંતુ સંગીત પ્રત્યેનો પ્રેમ અને પરિવાર માટે દેશ પરત ફરી આવ્યો. અહીં આવ્યા બાદ ક્લિનિક શરૂ કરવાની સાથે મારું મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવા હું મુંબઈ ગયો, જ્યાં દેશની નામાંકિત ટી-સિરિઝ જેવી કંપનીમાં ગયો, જ્યાં મારા મ્યુઝિક આલ્બમનું લોન્ચિંગ થયું. પરંતુ આ માટે સારી એવી રકમ ચૂકવવી પડી હતી.

    મ્યુઝિક કંપનીની સ્થાપના કેવી રીતે થઈ?

    દરમિયાન તબીબી પ્રેક્ટિસ સાથે સંગીત ક્ષેત્રે પણ કંઈક પ્રગતિ કરવાના ઇરાદે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંપર્કમાં રહ્યો. ત્યારબાદ મારા કૃષ્ણ ભક્તિ પર આધારિત મ્યુઝિક આલ્બમના લોન્ચ માટે ગુજરાતમાં મ્યુઝિક કંપની વિશે શોધ કરી. પરંતુ આવી કોઈ જ કંપની અહીં અસ્તિત્વમાં નહોતી, તેથી મેં મારું આલ્બમ રિલીઝ કરવા નવી મ્યુઝિક કંપની બનાવી અને વર્ષ 2015ની 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે જાહેર ઇવેન્ટ મારફતે પ્રથમ આલ્બમ રિલીઝ કર્યું. તેનો ફાયદો એ રહ્યો કે હવે મારે ગુજરાત બહાર જવાની જરૂર નહોતી અને જે નવા ગાયક કલાકારો હતા. તેમજ પોતાના ગીતને મ્યુઝિક સ્ટ્રીમિંગ પર લોન્ચ નહોતા કરી શકતા એવા કલાકરોના ગીત પણ કંપની દ્વારા લૉન્ચ કરવાની શરૂઆત કરી.

    કંપની દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યા બાદ હિટ નીવડ્યું

    કંપની શરૂ થયાના એક જ વર્ષમાં 2016માં મને ગુજરાતી ફિલ્મ “થઈ જશે”ના મ્યુઝિક લોન્ચ કરવાનો મોકો મળ્યો અને તેને માર્કેટમાં મૂક્યું હતું. તેમાં એ ફિલ્મના બે ગીત સુપરહિટ નીવડ્યા. તેના બાદ અત્યાર સુધી 17 ગુજરાતી ફિલ્મના મ્યુઝિક મારી કંપનીએ લોન્ચ કર્યા છે. જેમાં મુખત્વે ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે.

    મ્યુઝિક લોન્ચ ક્યાં અને કેવી રીતે થાય છે?

    પ્રત્યુત્તર ડોકટર ઠક્કરે કહ્યું કે એના માટે મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપલબ્ધ છે. જેમકે હંગામા મ્યુઝિક, જિયો સાવન, ગાના ડોટ કોમ અને વિદેશી કંપની પણ ખરી જેમાં હવે અનેક દેશમાં પણ પ્રવેશી ચુકી છે. તેમાં એમેઝોન, એપલ અને સ્પોટીફાઈ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર આલ્બમ કે સોંગ રિલીઝ કરવામાં આવે છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ તેને મુકવામાં આવે છે. તેમાં મારી યુ-ટ્યુબ ચેનલ પર 1.90 લાખ સબસ્ક્રાઇબર છે, ત્યાં સોંગ મુકવાનો હું કોઈજ ચાર્જ લેતો નથી. આ માટે કલાકારને સોશિયલ મીડિયા પર ક્યાં અને કેટલા રૂપિયા ખર્ચ કરવા તેની સલાહ પણ મારી કંપની આપે છે.

    સંગીત અને ડોક્ટરી જ નહીં અન્ય સેવાઓમાં પણ પ્રવૃત્ત

    કૃપ મ્યુઝિક કંપનીના સંચાલન સાથે ગિવ વાચા ફાઉન્ડેશનનું પણ સહયોગી મિત્રો સાથે સંચાલન કરવામાં આવે છે. નોન ડોનેશન સંસ્થા અંતર્ગત મ્યુઝિક એકેડેમી ચાલે છે. જેમાં વિશ્વમાં વસતા ગુજરાતી સંગીતપ્રેમીઓને ગાયન અને વાદનની તાલીમ આપવામાં આવે છે. સાથે સ્ટેજ પરફોર્મન્સનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ માટે તબીબ જાતે જ પ્રશિક્ષણ આપે છે અને સાથી સંગીત શિક્ષક પણ સહયોગ આપે છે.

    સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે

    આ સિવાય તેઓ સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે. તેમાં બે વિભાગમાં વિજેતા જાહેર કરવામાં આવે છે. 3 સગીર વયના અને 3 વયસ્ક કુલ 6 વિજેતા ઉમેદવારને પ્રમાણ પત્ર સાથે કૃપ મ્યુઝિક સાથે મ્યુઝિક આલ્બમમાં મોકો અપાય છે. 2015ની વિજેતા મુન્દ્રાની આર્ચી મિસ્ત્રીને કમિન્ટમેન્ટ ગુજરાતી ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો હતો. ત્યારબાદ 2016માં અમદાવાદ ખાતે આયોજિત નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આર્ચીએ ઇનોગ્રેશન વખતે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ વેળાએ દેશના અભિષેક બચ્ચન સહિતના દિગગજો હાજર રહ્યા હતા. હવે ગુજરાતી ચેનલ સાથે રહીને ટૂંક સમયમાં સૂર ગુજરાત કે શો શરૂ કરવામાં આવશે. તેની સાથે હેલ્થ કેમ્પ જેવી સોશિયલ એક્ટિવિટી સાથે પણ ડોક્ટર જોડાયેલા છે.

  • ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

    ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

    આ પુસ્તક વિષે વાત કરતા લેખકે જણાવ્યું કે ‘અર્જુન ઉવાચ’ એ ફક્ત પુસ્તક નહીં પણ મારી અનુભવેલી આધ્યાત્મિક યાત્રા છે. એક સંવાદ છે પિતા અને પુત્રીનું, ‘ક્યાં છે કાનો? પ્રશ્નથી ‘અહં બ્રહ્મસ્મિ’ ના ઉત્તર સુધીનો. આ એવી યાત્રા છે જે મારી સમજ અનુસાર ગીતાનું પથદર્શન છે તથા કૃષ્ણનું અવલંબન છે. આ કથા છે સાત ગીતોની અને તેના સર્જન માટે પ્રેરણા સ્ત્રોત સમી એ સાત ઘટનાઓની. જીવનની ઘટમાળને ગીતાના દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરી કઈ રીતે સુસાધ્ય બનાવી શકાય તેનો આ પ્રયોગ છે; આ પુસ્તક એટલે પિતાએ પુત્રીને આપેલી સનાતન ધર્મના સંદેશની ભેંટ.

    આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરભાઈ એ ડૉ. કૃપેશ અને તેમના સમગ્ર પરિવારનું સન્માન કર્યું હતું. તેમણે ડોક્ટરને ‘કચ્છના યુવાઓ માટે આદર્શ વ્યક્તિ’ કહીને સરાહના આપી અને કહ્યું “આજે જયારે સરકારે ભગવદગીતાનો શિક્ષણમાં સમાવેશ કર્યું છે ત્યારે ગીતાના સારને બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં આ પુસ્તક રૂપે રજુ કરી આપે સમયની માંગ પૂરી કરી છે.” ડૉ. કાન્તીભાઈ એ ડોક્ટર અને તેમના પરિવારને “માત્ર સંસ્કૃતિ અને સંસ્કારો માટે જીવતા પરિવાર” તરીકે સંબોધી શુભકામનાઓ આપી તો અર્જુન ઉવાચ પુસ્તક વિષે વાત કરતા શ્રી મદનકુમારે કહ્યું કે “આમ તો ભગવાન ઉવાચ એવું હતું પણ અહી અર્જુન ઉવાચ કહીને કૃપેશ ભાઈએ ક્રાંતિ કરી છે.” આ ઉપરાંત એમણે જી.એલ.સી.સી.ના કાર્યોને બિરદાવતા સતત ગતિશીલ રહેવા પ્રોત્સાહન આપ્યું. શ્રી જયંતીભાઈ એ લેખક વિશે વાત કરતા ઉમેર્યું કે “માતૃભાષાનું ઋણ તેમને વિદેશથી અહી ખેંચી લાવ્યું છે.”

    જી.એલ.સી.સી. ના  વૈશ્વિક પ્રોજેક્ટ વિષે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને જણાવ્યું કે ‘સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રની પ્રવૃતિઓ થકી સંસ્કૃતિ સંવર્ધન કરવા અને નવોદિત કલાકારોને મંચ આપવા માટે જી.એલ.સી.સી. ની કચ્છની શાખાનું ગઠન કરી કચ્છને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો હવે સમય આવી ગયો છે.’ તેમણે તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી દિવાળીબેન જે. ઠક્કરના સ્મરણાર્થે દર વર્ષે ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ ઉજવવાની જોગવાઈ પણ કરી છે.

    કાર્યક્રમમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, તથા ડૉ. કૃપેશ દ્વારા ભક્તિ સંગીત રજુ કરવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકો એ વધાવી લીધું.આ ઉપરાંત ‘કૃપ ટોક્સ’ શો માં નાના બાળકોએ કાવ્ય પઠન કર્યું તથા ‘ફ્યુચર ઓફ પોએટ્રી’માં કવિતાના ભવિષ્યમાં ઓડિયો અને વિઝ્યુઅલ સ્વરૂપના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આપ્યું. આ સાથે જ “છાંવ જૈસે પાપા” પોએટ્રી ઓડીઓનું પણ આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીવ વાચા પબ્લિકેશન તરફથી હવે કચ્છમાં રહીને જ પોએટ્રી આલ્બમ તથા ઓડીઓ બુક બનાવવાની સગવડ પ્રાપ્ત થશે એવી જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમના આયોજનમાં ઇશાન ઠક્કર, બોની ઠક્કર, વિરલ ઠક્કર, હિતેશ ઠક્કર, અંજલી સેવક તથા કલરવ રાઠોડએ જહેમત ઉઠાવી.

  • ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.

    કાર્યક્રમની શરૂઆત ‘કૃપ ટોક્સ શો’ દ્વારા કરવામાં આવી. આ શો માં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અને કવિઓએ ‘નારી’ વિષય પર લખેલી કવિતાઓ પ્રસ્તુત કરી હતી. ઉભરતા રચનાકારોને મંચ આપવાના ઉદેશ્યથી ગિવ વાચા સંસ્થા અને કૃપ પબ્લિકેશન દ્વારા ‘નારી હૈ નારાયણી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જેમાં કચ્છ અને ગુજરાતની વિવિધ શાળા અને કોલેજના ૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉપરાંત જાણીતા સાહિત્યકારો પોતાની કવિતાઓ આપી છે.

    ‘બાતેં અનકહી’ માં જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશે ફિલ્મો અને આલ્બમમાં ગીત લખવાની બારીકીઓના સ્વાનુભવનો વિદ્યાર્થીઓ અને મેહમાનોને પરિચય કરાવ્યો તથા બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ’ ના લેખક તરીકે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સાથે જ ‘વુમન્સ પર્વ’ અને ‘નારી હૈ નારાયણી’ બુકના થીમ સોંગ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધું હતું.

    અંતે ‘નારી હૈ નારાયણી’ પુસ્તક અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ ગીતનું લોન્ચિંગ અતિથી વિશેષ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર, તોલાની ઇન્સ્ટીટ્યુટના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માની, કવિયત્રી પદ્માબેન મોટવાની, ગાયિકા અને લેખિકા ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર તથા ડૉ. કૃપેશ ઠક્કરના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપ મ્યુઝિક કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાની તક આપતાં ‘કૃપ પાર્ટનર પ્રોગ્રામ’ ની જાહેરાત પણ કરવામાં આવી.

    આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના રીડર્સ એન્ડ રાઈટર્સ ક્લબના આગેવાનો સુશ્રી વિમ્મી સદારંગાની, શ્રી સંદીપભાઈ જાની તથા પ્રોફેસર ડૉ. પ્રતીક અંબસાના તેમજ અંજલી સેવક અને કલરવ રાઠોડે જહેમત ઉઠાવી. અત્રે નોંધનીય છે કે સાહિત્યક્ષેત્રે પ્રથમવાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કવિતા પ્રકાશિત કરવાની તક મળી છે.