Tag: વાચા ઠક્કર

વાચા ઠક્કર

વાચા ઠક્કર, ૧૧ વર્ષીય બાળ કલાકાર, ભારતીય પ્લેબેક સિંગર, અભિનેત્રી, લેખિકા અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત છે, ગુજરાતી અને હિન્દી ભક્તિ, દેશભક્તિ અને પૉપ મ્યુઝિકના ક્ષેત્રોમાં તેના યોગદાન માટે વખાણવામાં આવે છે. તે ગીતા જયંતિ પર્વ, કૃપ લિટરેચર ફેસ્ટીવલ અને કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ માટે એમ્બેસેડર અને કલાકાર તરીકે સેવા આપે છે. “જન ગણ મન” ગીત સાથે સંગીતના ક્ષેત્રમાં તેની નોંધપાત્ર સફર ૩ વર્ષની નાની ઉંમરે શરૂ થઈ, જેને પ્રભાવશાળી ૩૦ મિલિયન વ્યુઝ મળ્યા છે. વાચા ઠક્કરની પ્રતિભા તેના અવાજની શક્તિથી પણ આગળ છે; તે મ્યુઝિક વીડિયોમાં અભિનય માટે પણ જાણીતી છે. તે પર્વ ફ્યુઝન બેન્ડની સભ્ય પણ છે. વાચા ઠક્કર અત્યારે સાહિત્ય ક્ષેત્રે સક્રિય છે. ગીતા જયંતિ પર્વ અને ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલમાં તેની બાળકો માટેની પુસ્તકો ‘સનાતન વર્ડ સર્ચ’ અને ‘ગીતા વર્ડ સર્ચ’ લોન્ચ કરવામાં આવી હતી.

  • વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

    વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

    “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” પુસ્તકના મુખપૃષ્ઠનું લોકાર્પણ

    સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી. એ સાથે જ ક્લબફૂટ વોરિયર તરીકે જાણીતા બનેલા વિશ્વના યંગેસ્ટ સિંગર અને એક્ટર ૭ વર્ષીય પર્વ ઠક્કર ની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને આવરી લેતા ડૉ. કૃપેશ ઠક્કર ના આગામી પુસ્તક “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” ના મુખપૃષ્ઠનું ડૉ. શશીકાંત ઠક્કર, શ્રીમતી નયનાબેન ઠક્કર તેમજ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

    ARJUN UVACHA: NANAKDA PAGLA BHARE HARANFAD BOOK COVER

    આ કાર્યક્રમની શરૂઆતમાં કૃપ એકેડેમીના બાળ કલાકારોએ ‘મંગલમય સબ કર દેના’ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ સૌ લોકોએ એકત્ર થઈને આ બીમારીથી અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે ગૂંજે ગીતાનું પઠન કરી ઉત્સવ ઉજવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો અને માતાઓનું કાઉન્સેલિંગ કરતાં ડૉ. પૂજા ઠક્કર એ જણાવ્યું કે “છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા આ વૈશ્વિક કાર્યમાં વાચા ઠક્કર અમેરિકાની ક્લબફૂટ અવેરનેસ ગુડવિલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે ત્યારે આ વર્ષથી અમેરિકાની ટ્રાએન્ગલ ક્રિકેટ લીગની પાંચ ટીમના ખેલાડીઓ પણ તેની સાથે જોડાયા છે. તેઓ માર્ચ મહિનાથી શરુ થયેલ આ લીગની રમત દરમિયાન ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ ના લોગો વાળા ટીશર્ટ સાથે મેચ રમી લોક જાગૃતિમાં યોગદાન આપે છે. તેઓ આવનારા આઠ મહિના સુધી આ અભિયાનમાં કાર્યરત રહેશે.”

    તો સારવારના ભાગ રૂપે થતી મ્યુઝિક થેરાપી વિશે વાત કરતા મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ એ કહ્યું કે “સંગીત સાથે સારવાર અને ગીતા સાથે લોક જાગૃતિના આ અભિયાનના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત બાળ પર્વ ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ પ્રશસ્તિપત્ર આપી સરાહના આપી છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે.” પુસ્તક વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ ઉમેર્યું કે, “કોઈ બાળકના જીવન ચરિત્ર પર પુસ્તક લખાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. આ પુસ્તક અન્ય બાળકો તેમજ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમજ પર્વની આ પ્રેરણાત્મક યાત્રા ક્લબફૂટ વિશેની જાગૃતિ ફેલાવવામાં મોટું યોગદાન આપશે.”

    CLUBFOOT AWARENESS CAMPAIGN APPRECIATED BY DR. MOHAN PATEL

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ક્લબફૂટ જાગૃતિ માટે આ ફેમિલી બેન્ડના ગીતો અને આલ્બમ વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તો હાલમાં જ ક્લબફૂટ અવેરનેસ મંથ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુલાકાતે ગયેલ ડૉ. કૃપેશ ના આ કાર્યને ડૉ. મોહનભાઈ પટેલ એ વધાવી લીધું. આ કાર્યક્રમના આયોજનમાં જી.એલ.સી.સી. અંજારના કાર્યકરોએ જહેમત ઉઠાવી.

  • ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે મધર્સ ડે ને સનાતન સંસ્કારો સાથે ઉજવતા ત્રીસ દિવસીય ઉત્સવ ‘મા પર્વ’ નો શુભારંભ થયો. જેમાં બાળકોએ ‘માતૃ પૂજા’ કરી અને ભારતીય પરંપરા ની મહેક ફેલાવી. છેલ્લા દસ વર્ષથી ઉજવાતા આ ઉત્સવના દ્રષ્ટા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં બાળકોને ભગવાન શ્રી રામની દ્રષ્ટિએ માતાનું મહત્વ શીખવ્યું. તો આયુર્વેદ તબીબ અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ની મજા માણી.

    MAA PARV 2024

    લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ ની પ્રેરણા થઈ સાકાર

    માતાના અગિયાર સ્વરૂપોની વંદના કરતું આ ઉત્સવ ડૉ. કૃપેશ ના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત છે. જેમાં ‘મધર્સ ડે, સનાતન વે’ ના સૂત્ર સાથે માતા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ માતા, માતૃભૂમિ, ભારત માતા, લોક માતા, ધરતી માતા અને દેવી એમ અગિયાર સ્વરૂપોની વંદના કરતાં ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન થાય છે.

    ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય

    આ પર્વમાં સૌ લોકો પોતાની માતાના નામ સાથે ‘ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર’ તરીકે જોડાય છે. તો વૈશ્વિક એમ્બેસેડર બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના ગીતો ‘લવ યુ મા’, ‘તું છે ઓ મા’ અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ થીમ સોંગ તરીકે ભારે લોકચાહના સાથે સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.

    ARJUN UVACHA: MAA PARV BOOK
    DR. KRUPESH NAYNA SHASHIKANT – GLOBAL GIFT OF TIME AMBASSADOR

    ‘મા પર્વ’ નો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય

    ‘મા પર્વ’ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “દસ વર્ષ પહેલા માતાના નામ સાથે ઓળખ આપી ‘માતૃ દેવો ભવઃ’ ની સનાતન પરંપરા સાર્થક કરવા ‘કૃપેશ નયના શશીકાંત’ તરીકે એક વ્યક્તિથી શરૂ થયેલ આ કાર્ય સાત દેશોમાં વસતા લાખો લોકો સુધી પહોંચ્યું એ ઘટના જ ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય આપે છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે “પુસ્તકમાં વર્ણવેલા માતાના અગિયાર રૂપ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ આ માસ દરમિયાન વિવિધ શહેરોમાં ઉજવણી કરશે. તેમજ અન્ય દેશોમાં સ્વયંસેવકો આ કાર્યને વેગ આપશે.” આ પ્રસંગે ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “માતાના નામ સાથે સંતાનની ઓળખની આપણી ભારતીય પરંપરા આજના યુગમાં ભુલાઈ ગઈ છે, ત્યારે આ પહેલમાં અન્ય લોકો પણ જોડાઈને આપણા મૂલ્યો તરફ પાછા ફર્યા છે; એ જોઈ ખૂબ ગર્વ થાય છે.” આ માસ દરમિયાન થતી માતાના વિવિધ રૂપોની વંદનામાં ગૂંજે ગીતા, વ્હાલ વૃદ્ધત્વને, ગૌ શાલા મેં ગૂંજે ગીતા, શબ્દવંદના, ગુરુ પૂજા અને ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવી પ્રવૃત્તિઓ લોકપ્રિય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પર્વમાં માતા પર આધારિત ડૉ. કૃપેશના કચ્છી પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા જા અગિયાર રૂપ’ નું કૃપ પબ્લિશિંગ દ્વારા લોકાર્પણ થશે.

  • શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

    શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

    લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ’અર્જુન ઉવાચ: ચલો રામ બને’ ની પ્રેરણા થઈ સાકાર

    હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

    શ્રી રામને ભજવાથી રામ બનવા સુધીની આ યાત્રા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ થી પ્રેરિત છે. આ કાર્યશાળામાં બાળકોએ ભગવાન શ્રી રામના ગુણ ‘ધૈર્ય’ નું જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ આયુર્વેદ તબીબ અને જીએલસીસી અંજારના પ્રમુખ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃતિઓની મજા માણી. તો ડૉ. કૃપેશ એ શ્રી રામ ધૂન અને મંત્રો થકી બાળકોને મ્યુઝિક થેરાપી પણ આપી.

    આ યાત્રા વિષે વાત કરતાં ડૉક્ટર દંપતી એ જણાવ્યું કે “આ પુસ્તકમાં વર્ણવેલા ભગવાન શ્રી રામના વિવિધ ગુણો પર આધારિત આવી દસ કાર્યશાળાઓ લઈ અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ પ્રથમ ચરણમાં કચ્છ ભ્રમણ કરી અને ગુજરાત યાત્રા કરશે. આ ઉપરાંત તરુણો અને યુવાનો માટે પણ શાળા-કોલેજોમાં આવા સેમિનાર યોજાશે.” આ સંકલ્પ વિષે વાત કરતાં ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “ભગવાન શ્રી રામને સમર્પિત વિવિધ કાર્યો ‘રામ નવમી પર્વ’ રૂપે છેલ્લા દસ વર્ષોથી ચાલે છે. જેમાં સામાજિક સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના કંઠે રજૂ થયેલ શ્રી રામના વિવિધ ગીતો, મંત્રો અને ધૂન ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તો હવે સમાજમાં અન્ય બાળકોને પણ સનાતન ધર્મના મૂલ્યો થી અવગત કરાવવા આવી કાર્યશાળાઓ ખૂબ ઉપયોગી બનશે.” તો આ યાત્રાના દ્રષ્ટા ડૉ. કૃપેશ એ ઉમેર્યું કે, “વિવિધ તહેવારોને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે ઉજવતી પર્વ કી પાઠશાળા એ બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે. ત્યારે હવે તેમાં શ્રી રામચરિતમાનસ નો અભ્યાસક્રમ આવી કાર્યશાળાઓ થકી ભણાવવામાં આવશે.”

    આ કાર્યક્રમને અંતે બાળકોએ સાથે મળી તૈયાર કરેલ ‘ચલો રામ બને’ ની પ્રતિકૃતિ વાલીઓ સમક્ષ રજૂ કરી. જેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બાળકોને સનાતન મૂલ્યો શિખવતી આ પહેલને વધાવી લીધી. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે અંજલી સેવક, કલરવ રાઠોડ, વૈશાલીબેન ભટ્ટ, નૈરુતીબેન શેઠિયા અને સંસ્થાના અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી. તો ઇઝી આઈડી અને કૃપ મ્યુઝિક એ આર્થિક સહયોગ પૂરો પાડયો. અત્રે ઉલ્લેખનીય છે કે ‘પર્વ કી પાઠશાળા’ અંતર્ગત ઉત્સવોને સનાતન મૂલ્યો સાથે ઉજવતી આવી પ્રવૃતિઓનું આયોજન આ કેન્દ્રમાં અવારનવાર થતું રહે છે.

  • શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

    શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

    અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

    શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતમાં ડૉ. કૃપેશના હ્રદયસ્પર્શી શબ્દો, મોર્ડન સંગીત અને દિગ્દર્શન સાથે વાચાનો મધુર અવાજ અને બંને બાળકોનો શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે. આ ગીતનું ફિલ્માંકન કચ્છની ધરોહર એવા ભૂજિયા ડુંગર પર થયેલું છે. ઉપરાંત આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પણ શ્રદ્ધાંજલિ આપી ભાગ લીધો હતો. આ ગીત માટે આ પરિવારને ગુજરાત અને ભારતની નામાંકિત સંસ્થાઓએ પુરસ્કાર અને પ્રોત્સાહન પણ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીતને યુટ્યુબ પર પંદર લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. તો વિવિધ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દસ લાખથી વધુ લોકોએ માણ્યું છે. કચ્છી કલાકારોના આ ગીતને વ્યાપક પ્રમાણમાં લોકચાહના મળતા, તેનું ગુજરાતી ગીત ‘શહીદો ને સલામ’ પણ વિશ્વસ્તરે લોન્ચ કરવામાં આવ્યું.

    ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “આવનારી પેઢી આઝાદી માટે શહીદોએ આપેલ બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ના ચૂકે એ હેતુથી અમે આ ગીત વિશ્વભરમાં વસતા ભારતીયો સુધી લઈ જવા પ્રયત્ન કર્યો છે”.

  • કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

    કાર્યક્રમની શરૂઆતમાં ગૂંજે ગીતા કેન્દ્ર, શાળા નંબર ૧૪ તથા ૧૭, અને શ્રી સહયોગ સરસ્વતી વિદ્યામંદિરના બાળકો તેમજ અહલ્યા કન્યા છાત્રાલય અને શાખાની બાળાઓ એ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાની પ્રાર્થના, દેશભક્તિ ગીત અને ગૂંજે ગીતા ની રજૂઆત કરી તો નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ગાંધીધામ અને અંજારની કન્યાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા. આ કાર્યક્રમમાં સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરતાં બાળ લેખકો ૬ વર્ષીય પર્વ ઠક્કર ના ‘સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પુસ્તક તો ૧૧ વર્ષીય વાચા ઠક્કરના ‘ગીતા વર્ડ સર્ચ – ઇંડિયન કલ્ચર ફોર કિડ્સ’ પુસ્તકનું આમંત્રિત મહાનુભાવોને હસ્તે લોકાર્પણ થયું. ત્યાર બાદ સૌ બાળકો માટે બાળ લેખિકા વાચા ઠક્કર ના ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક આધારિત કોયડાઓની પરીક્ષા યોજાઇ હતી.

    આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા એ કહ્યું કે “આ ગુજરાત બાળ સાહિત્ય પર્વ જ્યારે કચ્છના આંગણે ઉજવાઇ રહ્યું છે તે સમગ્ર કચ્છ માટે ગર્વની વાત છે, અને આ બંને બાળ સાહિત્યકારો એ લખેલા પુસ્તકો અન્ય બાળકોને બાળ સાહિત્ય તરફ વાળવામાં મહત્વનો યોગદાન આપશે. આ પુસ્તકો પર વિવિધ શાળાઓમાં પરીક્ષાઓ યોજવી જોઈએ.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ નયના શશીકાંત એ કહ્યું કે “કચ્છમાં સૌ પ્રથમ વખત બાળ સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ ઉત્સાહભેર જોડાઈને બાળકોને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે પ્રેરિત કરવાનું જે કર્તવ્ય પૂરું પાળ્યું છે તે સરાહનીય છે.”

    તો ફેસ્ટિવલ ડાયરેકટર ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “આ ઉત્સવ કચ્છથી શરૂ થઈ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ૭ ભાષાઓની મહેક ફેલાવશે અને સાહિત્ય થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને આગેકૂચ કરીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આયોજક સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો અને સમ્મિલિત શાળાઓ અને સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગોવિંદભાઈ દનીચા, વિરાજબેન દેસાઇ, તરલિકાબેન દેસાઇ, એન કે ધોરિયા, જિગ્નેશભાઈ અબોટી, સુમા મોહન, સંગીતાબેન ચાવડા, બાગેશ્રી ચંદે, તથા અમૃતભાઈ સ્પંદન એ ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની વ્યવસ્થા મેહુલભાઈ, કલરવભાઈ, વૈશાલીબેન, અંજલીબેન, કૈલાશબેન તથા રશ્મિબેનએ સંભાળી હતી.

  • વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

    વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

    હાલમાં પ્રજાસત્તાક પર્વ પર જ્યાં દેશના દરેક ખૂણે રાષ્ટ્રગાન ગવાયું ત્યારે અંજારની અગિયાર વર્ષીય ગાયિકા વાચા ઠક્કરના ‘જન ગન મન’ ને વિશ્વભરમાં ચાહકોએ ઉત્સાહભેર વધાવ્યો. આ ગીતમાં અંજારના બગીચાની જલક હોતા તેના વિડીયો સાથે અંજાર અને કચ્છ વિશ્વસ્તરે રોશન થયું છે જે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. આ ગીતને યુટ્યુબ પર ત્રણ કરોડથી વધુ લોકોએ નિહાળ્યું, ૧ લાખથી પણ વધુ લોકોએ લાઇક્સ વરસાવ્યા ઉપરાંત સાડા સાત હજાર લોકોએ શોર્ટ્સ બનાવ્યા. એ સિવાય જીઓ સાવન પર નવ લાખથી વધુ લોકોએ આ ગીત માણ્યું તથા ત્યાં ટ્રેન્ડિંગ રહેતાં આ ગીતને જીઓ સાવને ‘બૉલીવુડ ડેકેડ 2010’ ની યાદીમાં પ્રથમ સ્થાન પણ આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર વાચાના આ ગીત પર દસ હજાર જેટલી રિલ બનતા છવીસમી જાન્યુઆરીથી તે હજુ પણ ટ્રેન્ડિંગમાં છે.

    યુટ્યુબ પર ટ્રેન્ડીંગ
    જીઓસાવન પર ૯ લાખ થી વધારે પ્લેય્સ
    ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડીંગ
    બોલીવુડ ડેકેડ 2010s માં સમાવેશ

    ગાયિકાએ ફક્ત સાત વર્ષની વયે આ ગીતને સ્વર આપ્યું જેમાં સંગીત અને દિગ્દર્શન જાણીતા ગીતકાર-સંગીતકાર ડૉ. કૃપેશ દ્વારા કરવામાં આવ્યું. આ ગીત કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વસ્તરે લોન્ચ થયું જેથી નાની ઉમર, દેશભક્તિ અને મધુર અવાજ સાથે આ ગાયિકા લોકોનો હ્રદયમાં છવાઈ ગઈ. આ ગીતનું સંકલન ‘લવ યુ ભારત’ આલ્બમમાં થયું જેને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી લોકાર્પિત કરી આશીર્વાદ આપ્યા હતાં.

    જન ગણ મન વાચા ઠક્કર દ્વારા
    જન ગણ મન નોટેશન વર્સન
    હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી ના હસ્તે ‘લવ યુ ભારત’ આલ્બમનું લોકાર્પણ
    • YouTube Shorts – 8k+ Short Videos Created on YouTube
    • JioSaavn – 9,00,000 + Plays on JioSaavn
    • Instagram Reels – Trending on Instagram with 10k+ Reels

    OTHER JANA GANA MANA VERSIONS

  • નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    પર્વ ફ્યૂઝન બેન્ડનો આ ગીત વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર થયું લોન્ચ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

    આ આરતીને કૃપ મ્યુઝિક દ્રારા વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર લોંચ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘણાં કલાકારો દ્વારા આ આરતી ગાવામાં આવી છે પણ છ વર્ષીય અને અગિયાર વર્ષીય બાળ કલાકારોએ કંઠ આપ્યું હોય એવું પ્રથમવાર બન્યું, જે અન્ય કલાકારો માટે પ્રેરણારૂપ છે. આ કાર્યક્રમમાં બેન્ડના કલાકારો એ અન્ય બાળકો અને માતાઓ સાથે મળીને માતાની આરાધના કરતાં આરતીની રજૂઆત કરી અને ત્યાર બાદ ગરબે રમ્યા.

    આ પ્રસંગે ગીતકાર અને સંગીતકાર ડો. કૃપેશ એ કહ્યું કે “નવરાત્રી પર્વના પાવન તહેવારમાં સાક્ષાત દેવી સ્વરૂપ કુમારીકાઓના આશીર્વાદથી આરતી લોન્ચ થઈ એ અમારું સૌભાગ્ય છે. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે સનાતન ધર્મ અને સંસ્કારો માટે કલા ક્ષેત્રે સતત કાર્યરત રહેતું અમારું આ બેન્ડ કૃપ મ્યુઝિક સાથે પોતાના ૫૦ ગીતો સુધીનું સફર કરી ચૂક્યું છે. જેમાં આ બંને બાળકો એ ભક્તિ ગીતો, પારિવારિક ગીતો અને દેશભક્તિ ગીતોને સથવારે સંસ્કૃતિ અને સંસ્કારોની સેવા કરી છે અને આગળ પણ કરતાં રહેશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકારો ફક્ત સંગીત જ નહીં પરંતુ સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રે પણ સક્રિય રહી સનાતન ધર્મ આધારિત પુસ્તકો પ્રકાશિત કરી તેમજ ગૂંજે ગીતા, પર્વ કી પાઠશાલા જેવા કાર્યક્રમો દ્વારા ધર્મના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે.

  • વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

    વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે વિશ્વભરના ભારતીયો માટે થનારી ગાયન, વાદન, નૃત્ય, અભિનય, મોડેલિંગ અને વક્તવ્ય માટેની સ્પર્ધાઓના કચ્છ ક્ષેત્રના ઓડિશનનું દયાનંદ આર્ય વૈદિક (ડીએવી) પબ્લિક સ્કૂલ ગાંધીધામ ખાતે પ્રારંભ થયું. જેમાં શાળાના સીઇઓ શ્રીમતી હેતલબેન પરમાર, આચાર્ય શ્રી દિગંતભાઈ ધોળકિયા, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ મેકર ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર તથા ડૉ. રાધાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

    સૂર ગુજરાત કે, નચ લે, ઓસમ અદાકાર, ધ મેજિકલ મ્યુઝિશિયન, ધ ગ્લોબલ ગુજરાત શૉ, કૃપ ઓપન માઇક તથા સૂર હિન્દુસ્તાન કે ને આવરી લેતી આ સ્પર્ધાઓમાં વિશ્વભરથી લોકો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ રીતે જોડાય છે. ત્યારે ગાંધીધામ ખાતે યોજાયેલ ઓડિશનમાં જુનિયર તેમજ સિનિયર વિભાગમાં કચ્છના વિવિધ શહેરોના સ્પર્ધકો જોડાયા. કાર્યક્રમના પ્રારંભમાં પર્વ ફ્યૂઝન બેન્ડના બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ પ્રાર્થના રજૂ કરી. આ પ્રસંગે શ્રીમતી હેતલબેન એ સ્પર્ધકોને કહ્યું કે “આપ સૌને કલા અને કૌશલ્યો દેખાડવાની શ્રેષ્ઠ તક અને યાદગાર અનુભવ મળે એ ઉદેશ્ય સાથે શાળાના પ્રાંગણમાં વૈશ્વિક કક્ષાની આ સ્પર્ધાઓના ગાંધીધામ ઓડિશનના સહભાગી બનવાનું અમને આનંદ છે.” તો સ્પર્ધાઓ વિષે વાત કરતાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “ગિવ વાચા નવોદિત કલાકારોને મંચ આપવા છેલ્લા સાત વર્ષોથી આ સ્પર્ધાઓ કરે છે ત્યારે આ વર્ષે વિવિધ શાળાઓ અને કોલેજો સાથે સંલગ્ન થઈ અમે ગામડાઓ અને શહેરના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી કલાકારો શોધવાનું પ્રયત્ન કરીશું જે માટે ટૂંક સમયમાં જ અન્ય સંસ્થાઓ સાથે પણ ઓડિશનનું આયોજન કરવામાં આવશે.”

    સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા ડૉ. પૂજાએ ઉમેર્યું કે “અગાઉ પણ આ સ્પર્ધાના વિજેતાઓને કૃપ મ્યુઝિક દ્વારા ફિલ્મો અને મ્યુઝિક વિડિયોમાં ઝળહળવાની તક મળી હતી. આ વખતે પણ વિજેતાઓને સુવર્ણ અવસર આપવામાં આવશે.” કૃપ અકાદમી દ્વારા સ્પર્ધકોને કલા ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન માટે નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી.

    કાર્યક્રમનું સંચાલન અંજલી સેવક દ્વારા કરવામાં આવ્યું તથા શાળાના શિક્ષકોએ વ્યવસ્થાપનમાં યોગદાન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધાઓમાં અમેરીકા અને કેનેડાના ગુજરાતી સ્પર્ધકો પણ વિજેતા રહી ચૂક્યા છે.

  • વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

    વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

    ખાસ વ્યક્તિઓ…ખાસ દિવસ! એક વ્યક્તિ, એક સાથે કેટલા પાત્ર નિભાવતી હોય છે! એમાં પણ સ્ત્રી, અદ્ભૂત શક્તિઓની સ્વામિની છે. આજે આપણે આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજા કૃપેશ ઠક્કરની વિવિધ ક્ષેત્રે કામગીરી અને સફળતાની વાત કરીશું. અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિમત્તા સાથે હંમેશા ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી બી. એ. એમ. એસ.ની ડીગ્રી મેળવી, પંદર વર્ષથી આયુર્વેદીક ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. મહિલાલક્ષી રોગોમાં ઉપચાર માટે આયુર્વેદના એમના પ્રયોગો સફળ રહ્યા છે.

    એક મહિલા તબીબ, શ્રેષ્ઠ માતા અને શ્રેષ્ઠ બાળક માટે પ્રયત્ન કરે, એ દિશામાં સ્તુત્ય કામગીરી કરે, સમાજ માટે એથી રૂડું શું? ઘર અને પરિવારની કુનેહપૂર્વક સંભાળ લેવાની સાથે, ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને આયુર્વેદનાં સમન્વય સાથેના ગર્ભસંસ્કાર કેન્દ્ર, જેમાં માતા પિતાને ગર્ભ સંસ્કાર નું મહત્વ, તેના તબક્કાઓ, અને સંસ્કાર શિક્ષણ તેમજ વ્યક્તિત્વ ઘડતર માટેની તાલીમ આપે છે વિવિધ કાર્યક્રમો અને સેમિનાર થકી તેઓ ગર્ભ સંસ્કારની જાગૃતિ અને ‘ગૂંજે ગીતા’ જનમાનસ સુધી પહોંચાડે છે.

    ‘આપ મક્કમતાથી આગળ વધી રહ્યા છો, શ્રેય કોઈને આપશો?’ ‘શ્વસૂર, પિયર તો ખરા જ, સ્નેહી સ્વજન પણ ખરા, પરંતુ, ડો.કૃપેશ, મારા પતિને આપીશ. કારણ કે એમનો સાથ, હિંમત, સહકાર, ઈશ્વર તરફની અતૂટ શ્રદ્ધા, અને દરેક રીતે સહયોગી વૃત્તિ, આ બહુ ભાગ્યથી મળતું હોય છે, માટે હું જે કંઈ છું, અથવા જે કંઈ કરી રહી છું, એના સહભાગી મારા પતિ છે.’ લગ્ન પછી બે વખત રિજેક્ટ થયા બાદ, ત્રીજી વખત વિઝા મળ્યા. ત્યારે પૂજાબેન લેવા પટેલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા  હતા. અઠવાડિયા પહેલાં રૂટિન ચેક અપ માટે ગયા તો એમના પેટમાં ૨૦×૨૨ની ગાંઠ!એ તબક્કે તબીબ પતિએ અમેરિકાની મળેલી નોકરીને ભાગ્ય પર છોડી, પત્ની સાથે રહેવાનો નિર્ણય લીધો. આવા ત્યાગ અને કાળજી દામ્પત્યને ઉજળું બનાવે છે.

    આવા દંપતિ પોતાના બાળકો માટે કોઈ રીતે કચાશ રાખે ખરા? ગર્ભ સંસ્કાર સાથે ચીવટ પૂર્વક સંસ્કૃતિ અને સંસ્કારો સિંચાયા હોય,એ બાળકોનું કૌશલ્ય ઝળહળી ઉઠે છે. બસ, એવું જ કંઈક એમના પુત્ર પર્વ, કે જે વિશ્વનું યંગેસ્ટ સિંગર અને એક્ટર તરીકે ભવ્ય કારકિર્દી પામ્યો છે. તો દીકરી વાચા,  સફળ ગાયિકા હોવાની સાથે સૌથી નાની વયની લેખિકા બની છે. આમાં પૂજાબેન આપણા બધાના સલામના હકદાર બને જ છે. અમેરિકામાં સ્થાયી થવાનો વખત આવ્યો ત્યારે એ લોકોએ દેશમાં આવવાનો નિર્ણય લીધો! અહીં ખુમારી, વતનપ્રેમ…. જે હોય તે  પરદેશની ઝાકઝમાળની માયા ત્યાગવી, એ નિર્ણય જ વંદનીય છે.

    બધું જ કેટલું સરસ કેટલું અદભુત લાગી રહ્યું છે! પરંતુ શું, જિંદગીની ગાડી આટલી આસાનીથી ચાલે ખરી? કદી જ નહીં! કોઈની નહીં! જ્યારે એમને પાંચ મહિનાનો ગર્ભ હતો ત્યારે એમને ખબર પડે કે એમના પર્વને કૈંક તકલીફ છે, ત્યારે ભીતર હલચલ થવી સ્વાભાવિક છે. ‘એના જન્મ પછી અઠવાડિયું રહીને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ત્યાં ગીર્દી જોઈને હેબતાઈ ગયા’ ક્લબ ફૂટની બીમારી છે, એ સાંભળીને કોણ હતાશ ન થઈ જાય? પરંતુ, ‘એ જ ઈશ્વર પરની શ્રદ્ધા સતત ચમત્કાર બતાવી જ રહી છે.’ એ લોકો નિરાશામાં જવાને બદલે ઈશ્વર જે કરે એ સારું, એ સમજીને આગળ વધી ગયા.  ત્યારે હરખથી પૂજા બહેન કહે છે કે, ‘એ એક વર્ષ અને 11 મહિનાનો હતો ત્યારે તેનો પહેલો આલ્બમ આવ્યો’ છે ને હકારાત્મક વિચારસરણીનું અદ્ભૂત પરિણામ!

    ડૉ. પૂજા ૨૦૧૪થી ‘કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત એમના પતિ ડો. કૃપેશ સાથે મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે કાર્યરત છે. માનસિક સ્વસ્થતા અને સંતુલિતતા અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. અને મોબાઈલની લત લાગે તો? કેમ છોડવી? આવી તો અનેક માનસિક તકલીફો,  ગુસ્સાથી માંડીને મેનોપોઝ સુધીના, બદલતા, બગડતા, મૂડ માટે, ક્લબ ફૂટની સફળ સારવાર માટે, પુત્ર પર્વના વ્યક્તિત્વ ઘડતરમાં એમની સફળ ભૂમિકા જોઈ શકાય છે.

    આપણને જાણીને આશ્ચર્ય થાય, પરંતુ બહુવિધ પ્રતિભાના ધની  એવા ડોક્ટર પૂજા ગાયિકા છે, સાથે તેઓ અભિનય પણ કરે છે. ‘પર્વ ફ્યુઝન બેન્ડ’ ના કલાકારો, પર્વ, વાચા અને ડોક્ટર કૃપેશ સાથે મળીને સ્વર આપે છે. જે વૈશ્વિક સ્તરે સાવન, ગાના, હંગામા, જેવા પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે. તો તેમના લવ યુ મા, તું છે ઓ મા, શ્રી રામ ભજનમાં અભિનય, આ ઉપરાંત પર્વ  ફ્યુઝન બેન્ડના વૈશ્વિક પ્રોજેક્ટ, ‘ગૂંજે ગીતા’માં ગાયિકા તરીકે પણ તેઓ પરફોર્મન્સ આપે છે. ‘જે પણ કહીશ તે સાચું જ કહીશ’ પ્રોડ્યુસર તરીકે એમણે બનાવેલી ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે. આ ક્ષેત્રની પ્રતિયોગિતામાં આયોજન અને સંચાલનની પાયાની ભૂમિકા ભજવે છે.

    તેઓ એક અદભુત ચેન્જ મેકર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના ઉજવાતા વેલેન્ટાઇન્સ ડે, સંસ્કૃતિ સાથે જોડી, પર્વની મહત્તા, ગરિમા, સાચવી લે છે. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા સમસ્ત જનમાનસ પર આક્રમણ કરી જ ચૂકી છે ત્યારે, ‘ડે’ને આપણે અટકાવી નથી શકવાના, તો આ કેટલો સરસ ઉપાય છે. એમનું આખું ગ્રૂપ આ રસ્તે વિવિધતા ભરી, મધર્સ ડેને માતૃ દીવસ બનાવી, ધરોહરને સાચવવા આયામ કરે છે.  કેન્દ્રમાં ગીતાના અધ્યાયો સંગીતમય રીતે ગાવાની તાલિમ આપે છે. તો ‘પર્વ કી પાઠશાલા’  અંતર્ગત ભારતીય તહેવારો અને પૌરાણિક પરંપરાઓના  જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેઓ દરેક ભૂમિકા સુસંગત ભજવવાની પ્રેરણા આપે છે.

    કલા, કૌશલ્ય અને અસીમ આત્મવિશ્વાસ…. કચ્છની આ દીકરી વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહી  હોય એ  ગૌરવની વાત બને છે. ‘આયુર્વેદ કરતાં સંગીત તરફ વધારે ઢળી છું, એમાં પણ ઘર, પરિવાર પ્રથમ’, ‘ભગવાન જે કરે તે સારું’, ‘માત્ર પોતા પૂરતું નહીં, વહેંચીને જીવવાનું’, ‘જિંદગી જંગ છે, જીતીને આગળ વધીએ’, ‘પ્રશ્નો તો આવતા જ રહેશે, મક્કમ મનોબળ જ ઉકેલ’, ‘પરિસ્થિતિમાં હકારાત્મકતા જોઈને આગળ વધી જવું’, અને ‘ભગવાન પરિક્ષા તો લે છે, પણ ‘મા’ બનીને’, આ એમની સાથેની વાતચીતનો નીચોડ છે, બધું ભાથું બાંધવા જેવું લાગ્યું, ખરું ને?

    Courtesy: Kalash Purti – Divya Bhaskar
    Colum: નારીવૃંદ
    Article By: માધવી

  • સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર કરે છે: અંજારમાં સેમિનાર યોજાયો

    સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર કરે છે: અંજારમાં સેમિનાર યોજાયો

    ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યૂઝિક તથા ઇઝી આઇડી દ્વારા સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અંજાર ખાતે કચ્છના લોકો માટે ‘મ્યુઝિક થેરાપી ફોર બેલેન્સ્ડ લાઇફ’ની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા મ્યુઝિક થેરાપી પર આધારિત સંશોધનો તેમજ સારવાર થઇ રહી છે, ત્યારે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કચ્છમાં સૌપ્રથમ વખત શિબિરનું આયોજન થયું હતું.

    શાળાના આચાર્યો તથા શિક્ષકો તેમજ વિવિધ શહેરોમાંથી ૫૦ થી પણ વધુ લોકો જોડાયા હતા. મ્યૂઝિક થેરાપિસ્ટ ડો. કૃપેશ ઠક્કરએ જીવનમાં સંતુલન જાળવવા મ્યુઝિક થેરાપીના ઉપયોગ ૫૨ વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ બાળક્લાકાર વાચા ઠક્કર અને ડો. પૂજા ઠક્કર સાથે મળીને સાંગીતિક પ્રયોગ પણ રજૂ કર્યો હતો.

    મન પર આધ્યાત્મિક ચક્રોનો પ્રભાવ હોય છે, જો ચક્રો અસંતુલિત હોય તો શારીરિક, સંગીતનાં માધ્યમથી થતા ફાયદા અંગે અંજારમાં સેમિનાર યોજાયો ત્યારની તસવીર. માનસિક તક્લીફો સર્જાય છે. આ સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર અને સશક્ત કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. આ શિબિરમાં આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજાએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અને સંગીતની સ્વાસ્થ્ય ૫૨ થતી અસરો વિશે સમજ આપી હતી.

    માસિક ચક્ર, મેનોપોઝ અને પ્રેગ્નન્સી જેવી મહિલાલક્ષી સમસ્યાઓમાં મ્યુઝિક થેરાપીના ઉપયોગથી રાહત મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે લોકોએ તેમના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સમાધાન મેળવ્યું હતું.