Category: Story

  • નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    પર્વ ફ્યૂઝન બેન્ડનો આ ગીત વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર થયું લોન્ચ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

    આ આરતીને કૃપ મ્યુઝિક દ્રારા વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર લોંચ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘણાં કલાકારો દ્વારા આ આરતી ગાવામાં આવી છે પણ છ વર્ષીય અને અગિયાર વર્ષીય બાળ કલાકારોએ કંઠ આપ્યું હોય એવું પ્રથમવાર બન્યું, જે અન્ય કલાકારો માટે પ્રેરણારૂપ છે. આ કાર્યક્રમમાં બેન્ડના કલાકારો એ અન્ય બાળકો અને માતાઓ સાથે મળીને માતાની આરાધના કરતાં આરતીની રજૂઆત કરી અને ત્યાર બાદ ગરબે રમ્યા.

    આ પ્રસંગે ગીતકાર અને સંગીતકાર ડો. કૃપેશ એ કહ્યું કે “નવરાત્રી પર્વના પાવન તહેવારમાં સાક્ષાત દેવી સ્વરૂપ કુમારીકાઓના આશીર્વાદથી આરતી લોન્ચ થઈ એ અમારું સૌભાગ્ય છે. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે સનાતન ધર્મ અને સંસ્કારો માટે કલા ક્ષેત્રે સતત કાર્યરત રહેતું અમારું આ બેન્ડ કૃપ મ્યુઝિક સાથે પોતાના ૫૦ ગીતો સુધીનું સફર કરી ચૂક્યું છે. જેમાં આ બંને બાળકો એ ભક્તિ ગીતો, પારિવારિક ગીતો અને દેશભક્તિ ગીતોને સથવારે સંસ્કૃતિ અને સંસ્કારોની સેવા કરી છે અને આગળ પણ કરતાં રહેશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકારો ફક્ત સંગીત જ નહીં પરંતુ સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રે પણ સક્રિય રહી સનાતન ધર્મ આધારિત પુસ્તકો પ્રકાશિત કરી તેમજ ગૂંજે ગીતા, પર્વ કી પાઠશાલા જેવા કાર્યક્રમો દ્વારા ધર્મના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે.

  • કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાત યાત્રાએ નીકળેલા કચ્છી કલાકાર

    કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાત યાત્રાએ નીકળેલા કચ્છી કલાકાર

    કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાતની યાત્રાએ નીકળેલા કચ્છી બાળ કલાકારને સત્કર્મ કરવા બદલ મુખ્યમંત્રીએ આશીર્વાદ આપ્યા હતા. અંજારનો છ વર્ષીય બાળ કલાકાર પર્વ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી ગાયન અને અભિનય થકી સનાતન સંસ્કૃતિ, દેશભક્તિ અને પારિવારિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે, ત્યારે હાલમાં ગૂંજે ગીતા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ માટે જનજાગૃતિ અર્થે ગુજરાત યાત્રા કરી રહેલ પર્વ ઠક્કર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લેવા પહોંચ્યો ત્યારે તેના કાર્યને બિરદાવતા પ્રશસ્તિપત્ર આપ્યું અને પ્રશંસા કરતાં કહ્યું કે, અભિનય, ગાયન, બ્રાન્ડ એમ્બેસેડર અને ક્લબફૂટ વોરિયર તરીકે ઘણા વળાંકો પાર કરી પર્વનું ચેન્જ મેકર તરીકે જે વ્યક્તિત્વ નિર્માણ થયું છે તે ભવ્ય છે.

    તેનું કૌશલ્ય અને પ્રતિભા, ઘણા પુરસ્કારો અને પ્રશંસા મેળવવા માટે ઉત્કૃષ્ટ છે. ફ્ક્ત બે વર્ષની ઉમરથી જ પોતાના પ્રથમ ભક્તિગીતોના આલ્બમ થકી ધ યંગેસ્ટ સિંગરનું ખિતાબ મેળવેલ પર્વના ૫૦ જેટલા આલ્બમ વિશ્વભરમાં લોન્ચ થયા છે તથા ૨૦ જેટલા ગીતોમાં તેણે અભિનય કરેલ છે. તેના ગીતોને બસ્સો જેટલા પ્લેટફોર્મ થકી ૨૫ કરોડથી વધુ લોકો માણી ચુક્યા છે. ક્લબર્ટ વોરિયર તરીકે તે નવજાત બાળકોમાં જોવા મળતી આ બીમારી અંગે પ્રચલિત ગેરમાન્યતાઓને દૂર કરવા ઉપરાંત ભગવદ્ ગીતાના પ્રચાર અર્થે પોતાના પર્વ ફ્યૂઝન બેન્ડ સાથે વિવિધ શહેરો અને સંસ્થાઓમાં ગૂંજે ગીતાના કાર્યક્રમ પણ કરે છે.

  • છ વર્ષીય પર્વ ઠક્કરએ સનાતન એક્ટીવિટી પુસ્તક દ્વારા સાહિત્ય ક્ષેત્રે કર્યું પદાર્પણ

    છ વર્ષીય પર્વ ઠક્કરએ સનાતન એક્ટીવિટી પુસ્તક દ્વારા સાહિત્ય ક્ષેત્રે કર્યું પદાર્પણ

    સાંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે થયું વિમોચન

    કચ્છ–અંજારના બાળ કલાકાર પર્વ ઠક્કર એ સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતું પોતાનું પ્રથમ પુસ્તક ‘પર્વ કી પાઠશાલા- સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પ્રકાશિત કર્યું. જેનું કચ્છના લોકલાડીલા સાંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે ભુજ ખાતે લોકાર્પણ થયું. ગાયક અને અદાકાર તરીકેની કારકિર્દી ઉપરાંત કલા ક્ષેત્રે વધુ એક સોપાન સર કરવા બદલ શ્રી વિનોદભાઇએ પર્વ ઠક્કરને પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કર્યું તો અંજાર શહેર વતી ધારાસભ્ય શ્રી ત્રિકામભાઈ છાંગાએ પણ શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.

    બીજા ધોરણમાં અભ્યાસ કરતાં પર્વ દ્વારા રચિત બાળકો માટેનું આ પુસ્તક સનાતન સંસ્કૃતિના રોચક કોયડાઓથી ભરપૂર છે. આઝાદી અજ્ઞાનતા સે મુહિમ અંતર્ગત આ પુસ્તકને પર્વ એ જનસેવા અર્થે ગિવ વાચા ફાઉન્ડેશનને સમર્પિત કરી ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટને ટેકો આપવા સમાજસેવાની પ્રવૃતિમાં સાહિત્ય થકી યોગદાન આપ્યું છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર ડૉ. કૃપેશ એ કહ્યું કે “વય નહીં પરંતુ વ્યક્તિત્વ મોટું હોવું જોઈએ. સિંગર અને એક્ટર હોવાની સાથે હવે જ્યારે પર્વ યંગેસ્ટ ઓથર બન્યો છે તેમજ આટલી નાની ઉમરે પોતાની કલા થકી સમાજ સેવા અને સંસ્કૃતિનું જતન કરી તે સનાતની હોવાની ફરજ બજાવે છે ત્યારે પિતા તરીકે ગર્વ થાય છે.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન એ કહ્યું કે “શબ્દવંદના અંતર્ગત લેખકો જ્યારે પોતાના પુસ્તકની આવક સંસ્થાને સમર્પિત કરી સેવાના સહભાગી બની શકે છે ત્યારે બાળ પર્વનું આ કર્મયોગ અન્ય લેખકો માટે પ્રેરણારૂપ બનશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકના વિમોચન સાથે પર્વ ઠક્કર ભારતના સૌથી નાની ઉમરના લેખક તરીકે પ્રસ્થાપિત થયો.

  • પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

    પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

    ગીતાને કેન્દ્રમાં રાખી સત્કર્મ માટે ગુજરાતની યાત્રાએ નીકળેલા ફ્યુઝન બેન્ડના કલાકારો

    ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઈઝીઆઈડીએ ત્રીસ દિવસીય ક્લબફૂટ અવેરનેસ મંથ પ્રોજેક્ટ થકી ગુજરાતનાં વિવિધ શહેરોમાં લોકજાગૃતિ માટેની પહેલ કરી છે. ત્યારે વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે પ્રતિનિધિ તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા હતા.

    આ પ્રોજેક્ટનો વૈશ્વિક એમ્બેડર પર્વ ઠક્કર ક્લબફૂટ નામની બીમારી સાથે જન્મ્યો. સમયસર સારવા૨થી સ્વસ્થ થઇ ક્લબફૂટ વોરિયર બન્યો છે. એટલું જ નહિ છ વર્ષની વયે તેના ૩૦થી વધુ ગીતો વિશ્વભરમાં લોન્ચ થયા છે. વાચા ઠક્કર સાથે પર્વ ગીતાનાં શ્લોકો સંગીતબદ્ધ રીતે ગાય છે અને લોકો પસંદ કરી રહ્યા છે. તેનો પરિવાર પોતાના બેન્ડ સાથે ગુંજ ગીતા શો કરે છે. પ્રોજેક્ટ હેડ ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર અસરગસ્ત બાળકોના વાલીઓને માર્ગદર્શન આપી આ બીમારી અંગેની ગેરમાન્યતાઓને દૂર કરવામાં યોગદાન આપે છે. ગીતાને કેન્દ્રમાં રાખી સત્કર્મ કરવા આ બેન્ડના કલાકારો ગુજરાત યાત્રા માટે નીકળ્યા છે. ડૉ કૃપેશ એ કહ્યું કે, કલબફૂટની પાંચ વર્ષ સુધી ચાલતી સારવારમાં બાળકને પીડામાંથી રાહત આપવા મ્યુઝિક થેરાપી રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. જે બાળકના સર્વાંગી વિકાસમાં પણ મદદ કરે છે, જેનું પર્વ જીવંત ઉદાહરણ છે.

  • વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

    વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે વિશ્વભરના ભારતીયો માટે થનારી ગાયન, વાદન, નૃત્ય, અભિનય, મોડેલિંગ અને વક્તવ્ય માટેની સ્પર્ધાઓના કચ્છ ક્ષેત્રના ઓડિશનનું દયાનંદ આર્ય વૈદિક (ડીએવી) પબ્લિક સ્કૂલ ગાંધીધામ ખાતે પ્રારંભ થયું. જેમાં શાળાના સીઇઓ શ્રીમતી હેતલબેન પરમાર, આચાર્ય શ્રી દિગંતભાઈ ધોળકિયા, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ મેકર ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર તથા ડૉ. રાધાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

    સૂર ગુજરાત કે, નચ લે, ઓસમ અદાકાર, ધ મેજિકલ મ્યુઝિશિયન, ધ ગ્લોબલ ગુજરાત શૉ, કૃપ ઓપન માઇક તથા સૂર હિન્દુસ્તાન કે ને આવરી લેતી આ સ્પર્ધાઓમાં વિશ્વભરથી લોકો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ રીતે જોડાય છે. ત્યારે ગાંધીધામ ખાતે યોજાયેલ ઓડિશનમાં જુનિયર તેમજ સિનિયર વિભાગમાં કચ્છના વિવિધ શહેરોના સ્પર્ધકો જોડાયા. કાર્યક્રમના પ્રારંભમાં પર્વ ફ્યૂઝન બેન્ડના બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ પ્રાર્થના રજૂ કરી. આ પ્રસંગે શ્રીમતી હેતલબેન એ સ્પર્ધકોને કહ્યું કે “આપ સૌને કલા અને કૌશલ્યો દેખાડવાની શ્રેષ્ઠ તક અને યાદગાર અનુભવ મળે એ ઉદેશ્ય સાથે શાળાના પ્રાંગણમાં વૈશ્વિક કક્ષાની આ સ્પર્ધાઓના ગાંધીધામ ઓડિશનના સહભાગી બનવાનું અમને આનંદ છે.” તો સ્પર્ધાઓ વિષે વાત કરતાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “ગિવ વાચા નવોદિત કલાકારોને મંચ આપવા છેલ્લા સાત વર્ષોથી આ સ્પર્ધાઓ કરે છે ત્યારે આ વર્ષે વિવિધ શાળાઓ અને કોલેજો સાથે સંલગ્ન થઈ અમે ગામડાઓ અને શહેરના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી કલાકારો શોધવાનું પ્રયત્ન કરીશું જે માટે ટૂંક સમયમાં જ અન્ય સંસ્થાઓ સાથે પણ ઓડિશનનું આયોજન કરવામાં આવશે.”

    સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા ડૉ. પૂજાએ ઉમેર્યું કે “અગાઉ પણ આ સ્પર્ધાના વિજેતાઓને કૃપ મ્યુઝિક દ્વારા ફિલ્મો અને મ્યુઝિક વિડિયોમાં ઝળહળવાની તક મળી હતી. આ વખતે પણ વિજેતાઓને સુવર્ણ અવસર આપવામાં આવશે.” કૃપ અકાદમી દ્વારા સ્પર્ધકોને કલા ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન માટે નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી.

    કાર્યક્રમનું સંચાલન અંજલી સેવક દ્વારા કરવામાં આવ્યું તથા શાળાના શિક્ષકોએ વ્યવસ્થાપનમાં યોગદાન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધાઓમાં અમેરીકા અને કેનેડાના ગુજરાતી સ્પર્ધકો પણ વિજેતા રહી ચૂક્યા છે.

  • છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    ૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અંજારના છ વર્ષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હસ્તે લોકાર્પણ થયું.

    આઝાદીના આ ઉત્સવને સંગીત સાથે ઊજવતાં આ આલ્બમમાં બાળગાયક અને અભિનેતા પર્વ ઠક્કરના સાત ગીતોનો સમાવેશ થાય છે. જેમાં જન ગણ મન, ઐ વતન, વંદે માતરમ, હૈ નમન, શહીદો કો સલામ તેમજ જન ગણ મન નૉટેશનમાં તેની ઉત્તમ ગાયકી અને અદાકારી જોવા મળે છે. આ આલ્બમ ગીતકાર, સંગીતકાર અને ગાયક ડો. કૃપેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ તૈયાર થયું છે જેમાં દસ વર્ષીય વાચા ઠક્કરએ પણ કંઠ આપ્યો છે. આ બંને કલાકારોએ રાષ્ટ્રગીતને સૂરોમાં લયબદ્ધ રીતે ગાઈ નૉટેશન સ્વરૂપે રજૂ કરી વિક્રમ સર્જ્યો છે. પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતો વૈશ્વિક સ્તરે બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર કૃપ મ્યુઝિક દ્વારા વિનામૂલ્યે રજૂ કરવામાં આવ્યા હતા.

    છેલ્લા ચાર વર્ષોથી સતત પ્રગતિ કરતો આ બાળકલાકાર જ્યારે મંત્રીની મુલાકાતે પહોંચ્યો ત્યારે તેની સફળ કારકિર્દી અને કલા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અભિયાનમાં તેના યોગદાન માટે હર્ષભાઈએ ખૂબ સરાહના કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ગીતના વિડીયો વિશે વાત કરતાં દિગ્દર્શક ડો. કૃપેશએ જણાવ્યું કે આ દેશભક્તિ ગીતોનું ફિલ્માંકન કચ્છના વિવિધ નયનરમ્ય સ્થળો એ કરવામાં આવ્યું છે, આ ગીતો થકી આવનારી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય એ જ અમારો ઉદેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ઠક્કર પોતાના બેન્ડ સાથે આ દેશભક્તિ ગીતો લઈને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિવિધ શહેરોમાં ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમોમાં નિઃશુલ્ક પર્ફૉર્મ કરે છે.

  • અંજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શિષ્યોએ ગુરુને આપી અનેરી દક્ષિણા

    અંજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શિષ્યોએ ગુરુને આપી અનેરી દક્ષિણા

    ગાયકોએ પોતાના ગીતોના આલ્બમનું ગુરુજીના હસ્તે વિમોચન કરાવ્યું

    ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઈઝી આઈ ડી તથા કપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુકત ઉપક્રમે અંજારની શાળા નંબર ૩ માં ગુરુપૂર્ણિમા પર્વ યોજવામાં આવ્યું હતું. જેમાં સિંગર પર્વ ઠક્કર. વાચા ઠક્કર, ડૉ. પૂજા તથા ગીતકાર, સંગીતકાર અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશએ પોતાના આલ્બમ હિટ્સ ઓફ પર્વ ફ્યુઝન બેન્ડ’ નું તેમના ગુરુજનોને હસ્તે લોકાર્પણ કરીને અનોખી ગુરુદક્ષિણા આપી હતી. ડૉ. કૃપેશ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

    કચ્છી કલાકારોએ ગુરુપૂજાના કાર્યક્રમમાં તેમના ગુરુઓ માવજીભાઈ મજેઠિયા, કલ્પનાબેન મહેતા. એન. કે. ધોરિયા, વૈશાલીબેન ભટ્ટ અને અંજલીબેન સેવકનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે ગીતા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ ગુરુજનોના હસ્તે શિષ્યોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતું. આલ્બમ વિશે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, ‘હું પારિવારિક મૂલ્યો, માતૃભૂમિ અને દેશભક્તની ભાવના ઊજાગર થાય તેવા ગીતો વધુ લખું છું જેને પર્વ અને વાચા મધુર કંઠ આપે છે. આ આલ્બમ અમારા પર્વ ફ્યુઝન બેન્ડના સંગીતને પ્રસ્થાપિત કરે છે. ત્યારે આજે મારી જ શાળામાં મારા ગુરુજનોના આશીર્વાદથી આ આલ્બમનું લોકાર્પણ એ એક અનેરી અનુભૂતિ આપે છે. ડૉ. પૂજાએ જણાવ્યું હતું કે, આ બેન્ડ ભારતીય સંસ્કારો અને સનાતન મૂલ્યોને વિશ્વભરમાં પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે આ આલ્બમનું કલાકારો પોતાના ગુરુના આશીર્વાદથી લોકાર્પણ કરાવે છે.

  • કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ક્લબફુટ વોરિયર તરીકે પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર

    છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે. હાલમાં જે ગીતા કાર્યક્રમ સાથે ગુજરાત યાત્રા પર નીકળેલા પર્વ ફ્યુઝન બેન્ડના આ કલાકારો પર્વ ઠક્કર તથા ડો. કૃપેશની ગાંધીનગર ખાતે ઋષિકેશભાઈ સાથે મુલાકાત થઈ હતી અને તેમના હસ્તે સાત ભક્તિ ગીતોના આલ્બમનું વિમોચન થયું હતું. હેલ્થ મિનિસ્ટરે પર્વને પ્રશસ્તિ પત્ર આપી અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે પિતા ડૉ. કૃપેશે કહ્યુ કે જન્મથી જ પર્વને મ્યુઝિક થેરાપીની સારવાર આપવામાં આવી છે. જેના પરિણામે તે દ્રઢ આત્મવિશ્વાસ સાથે ક્લબફુટ વોરિયર તરીકે ઉભરી આવ્યો છે.

    આ ઉપરાંત તે સૌથી નાની ઉંમરનો સફ્ળ ગાયક પણ બન્યો છે. તેના ગીતો થકી અન્ય અસરગ્રસ્ત બાળકોને પણ જીવનમાં કંઇક કરવાન પ્રેરણા મળે તે જ ઉદ્દેશ્ય છે. સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને ઉમેર્યું કે ક્લબફુટ બીમારીના નામને આવરી લેતા આ આલ્બમનું વિમોચન જનજાગૃતિન ઉદ્દેશ્યને સાર્થક કરવામાં મદદરૂપ થશે.

  • વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

    વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

    ખાસ વ્યક્તિઓ…ખાસ દિવસ! એક વ્યક્તિ, એક સાથે કેટલા પાત્ર નિભાવતી હોય છે! એમાં પણ સ્ત્રી, અદ્ભૂત શક્તિઓની સ્વામિની છે. આજે આપણે આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજા કૃપેશ ઠક્કરની વિવિધ ક્ષેત્રે કામગીરી અને સફળતાની વાત કરીશું. અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિમત્તા સાથે હંમેશા ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી બી. એ. એમ. એસ.ની ડીગ્રી મેળવી, પંદર વર્ષથી આયુર્વેદીક ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. મહિલાલક્ષી રોગોમાં ઉપચાર માટે આયુર્વેદના એમના પ્રયોગો સફળ રહ્યા છે.

    એક મહિલા તબીબ, શ્રેષ્ઠ માતા અને શ્રેષ્ઠ બાળક માટે પ્રયત્ન કરે, એ દિશામાં સ્તુત્ય કામગીરી કરે, સમાજ માટે એથી રૂડું શું? ઘર અને પરિવારની કુનેહપૂર્વક સંભાળ લેવાની સાથે, ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને આયુર્વેદનાં સમન્વય સાથેના ગર્ભસંસ્કાર કેન્દ્ર, જેમાં માતા પિતાને ગર્ભ સંસ્કાર નું મહત્વ, તેના તબક્કાઓ, અને સંસ્કાર શિક્ષણ તેમજ વ્યક્તિત્વ ઘડતર માટેની તાલીમ આપે છે વિવિધ કાર્યક્રમો અને સેમિનાર થકી તેઓ ગર્ભ સંસ્કારની જાગૃતિ અને ‘ગૂંજે ગીતા’ જનમાનસ સુધી પહોંચાડે છે.

    ‘આપ મક્કમતાથી આગળ વધી રહ્યા છો, શ્રેય કોઈને આપશો?’ ‘શ્વસૂર, પિયર તો ખરા જ, સ્નેહી સ્વજન પણ ખરા, પરંતુ, ડો.કૃપેશ, મારા પતિને આપીશ. કારણ કે એમનો સાથ, હિંમત, સહકાર, ઈશ્વર તરફની અતૂટ શ્રદ્ધા, અને દરેક રીતે સહયોગી વૃત્તિ, આ બહુ ભાગ્યથી મળતું હોય છે, માટે હું જે કંઈ છું, અથવા જે કંઈ કરી રહી છું, એના સહભાગી મારા પતિ છે.’ લગ્ન પછી બે વખત રિજેક્ટ થયા બાદ, ત્રીજી વખત વિઝા મળ્યા. ત્યારે પૂજાબેન લેવા પટેલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા  હતા. અઠવાડિયા પહેલાં રૂટિન ચેક અપ માટે ગયા તો એમના પેટમાં ૨૦×૨૨ની ગાંઠ!એ તબક્કે તબીબ પતિએ અમેરિકાની મળેલી નોકરીને ભાગ્ય પર છોડી, પત્ની સાથે રહેવાનો નિર્ણય લીધો. આવા ત્યાગ અને કાળજી દામ્પત્યને ઉજળું બનાવે છે.

    આવા દંપતિ પોતાના બાળકો માટે કોઈ રીતે કચાશ રાખે ખરા? ગર્ભ સંસ્કાર સાથે ચીવટ પૂર્વક સંસ્કૃતિ અને સંસ્કારો સિંચાયા હોય,એ બાળકોનું કૌશલ્ય ઝળહળી ઉઠે છે. બસ, એવું જ કંઈક એમના પુત્ર પર્વ, કે જે વિશ્વનું યંગેસ્ટ સિંગર અને એક્ટર તરીકે ભવ્ય કારકિર્દી પામ્યો છે. તો દીકરી વાચા,  સફળ ગાયિકા હોવાની સાથે સૌથી નાની વયની લેખિકા બની છે. આમાં પૂજાબેન આપણા બધાના સલામના હકદાર બને જ છે. અમેરિકામાં સ્થાયી થવાનો વખત આવ્યો ત્યારે એ લોકોએ દેશમાં આવવાનો નિર્ણય લીધો! અહીં ખુમારી, વતનપ્રેમ…. જે હોય તે  પરદેશની ઝાકઝમાળની માયા ત્યાગવી, એ નિર્ણય જ વંદનીય છે.

    બધું જ કેટલું સરસ કેટલું અદભુત લાગી રહ્યું છે! પરંતુ શું, જિંદગીની ગાડી આટલી આસાનીથી ચાલે ખરી? કદી જ નહીં! કોઈની નહીં! જ્યારે એમને પાંચ મહિનાનો ગર્ભ હતો ત્યારે એમને ખબર પડે કે એમના પર્વને કૈંક તકલીફ છે, ત્યારે ભીતર હલચલ થવી સ્વાભાવિક છે. ‘એના જન્મ પછી અઠવાડિયું રહીને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ત્યાં ગીર્દી જોઈને હેબતાઈ ગયા’ ક્લબ ફૂટની બીમારી છે, એ સાંભળીને કોણ હતાશ ન થઈ જાય? પરંતુ, ‘એ જ ઈશ્વર પરની શ્રદ્ધા સતત ચમત્કાર બતાવી જ રહી છે.’ એ લોકો નિરાશામાં જવાને બદલે ઈશ્વર જે કરે એ સારું, એ સમજીને આગળ વધી ગયા.  ત્યારે હરખથી પૂજા બહેન કહે છે કે, ‘એ એક વર્ષ અને 11 મહિનાનો હતો ત્યારે તેનો પહેલો આલ્બમ આવ્યો’ છે ને હકારાત્મક વિચારસરણીનું અદ્ભૂત પરિણામ!

    ડૉ. પૂજા ૨૦૧૪થી ‘કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત એમના પતિ ડો. કૃપેશ સાથે મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે કાર્યરત છે. માનસિક સ્વસ્થતા અને સંતુલિતતા અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. અને મોબાઈલની લત લાગે તો? કેમ છોડવી? આવી તો અનેક માનસિક તકલીફો,  ગુસ્સાથી માંડીને મેનોપોઝ સુધીના, બદલતા, બગડતા, મૂડ માટે, ક્લબ ફૂટની સફળ સારવાર માટે, પુત્ર પર્વના વ્યક્તિત્વ ઘડતરમાં એમની સફળ ભૂમિકા જોઈ શકાય છે.

    આપણને જાણીને આશ્ચર્ય થાય, પરંતુ બહુવિધ પ્રતિભાના ધની  એવા ડોક્ટર પૂજા ગાયિકા છે, સાથે તેઓ અભિનય પણ કરે છે. ‘પર્વ ફ્યુઝન બેન્ડ’ ના કલાકારો, પર્વ, વાચા અને ડોક્ટર કૃપેશ સાથે મળીને સ્વર આપે છે. જે વૈશ્વિક સ્તરે સાવન, ગાના, હંગામા, જેવા પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે. તો તેમના લવ યુ મા, તું છે ઓ મા, શ્રી રામ ભજનમાં અભિનય, આ ઉપરાંત પર્વ  ફ્યુઝન બેન્ડના વૈશ્વિક પ્રોજેક્ટ, ‘ગૂંજે ગીતા’માં ગાયિકા તરીકે પણ તેઓ પરફોર્મન્સ આપે છે. ‘જે પણ કહીશ તે સાચું જ કહીશ’ પ્રોડ્યુસર તરીકે એમણે બનાવેલી ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે. આ ક્ષેત્રની પ્રતિયોગિતામાં આયોજન અને સંચાલનની પાયાની ભૂમિકા ભજવે છે.

    તેઓ એક અદભુત ચેન્જ મેકર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના ઉજવાતા વેલેન્ટાઇન્સ ડે, સંસ્કૃતિ સાથે જોડી, પર્વની મહત્તા, ગરિમા, સાચવી લે છે. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા સમસ્ત જનમાનસ પર આક્રમણ કરી જ ચૂકી છે ત્યારે, ‘ડે’ને આપણે અટકાવી નથી શકવાના, તો આ કેટલો સરસ ઉપાય છે. એમનું આખું ગ્રૂપ આ રસ્તે વિવિધતા ભરી, મધર્સ ડેને માતૃ દીવસ બનાવી, ધરોહરને સાચવવા આયામ કરે છે.  કેન્દ્રમાં ગીતાના અધ્યાયો સંગીતમય રીતે ગાવાની તાલિમ આપે છે. તો ‘પર્વ કી પાઠશાલા’  અંતર્ગત ભારતીય તહેવારો અને પૌરાણિક પરંપરાઓના  જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેઓ દરેક ભૂમિકા સુસંગત ભજવવાની પ્રેરણા આપે છે.

    કલા, કૌશલ્ય અને અસીમ આત્મવિશ્વાસ…. કચ્છની આ દીકરી વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહી  હોય એ  ગૌરવની વાત બને છે. ‘આયુર્વેદ કરતાં સંગીત તરફ વધારે ઢળી છું, એમાં પણ ઘર, પરિવાર પ્રથમ’, ‘ભગવાન જે કરે તે સારું’, ‘માત્ર પોતા પૂરતું નહીં, વહેંચીને જીવવાનું’, ‘જિંદગી જંગ છે, જીતીને આગળ વધીએ’, ‘પ્રશ્નો તો આવતા જ રહેશે, મક્કમ મનોબળ જ ઉકેલ’, ‘પરિસ્થિતિમાં હકારાત્મકતા જોઈને આગળ વધી જવું’, અને ‘ભગવાન પરિક્ષા તો લે છે, પણ ‘મા’ બનીને’, આ એમની સાથેની વાતચીતનો નીચોડ છે, બધું ભાથું બાંધવા જેવું લાગ્યું, ખરું ને?

    Courtesy: Kalash Purti – Divya Bhaskar
    Colum: નારીવૃંદ
    Article By: માધવી

  • મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

    મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

    સંગીતની મન અને શરીર પર થતી અસરો પર કરાતાં સંશોધનો

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

    સંસ્થા દ્વારા સંગીતની મન અને શરીર પર થતી અસરો પર વિવિધ સંશોધનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં સર્જરી વખતે સંગીતની હકારાત્મક અસરો પર મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી બાળ પર્વ કે જે કલબ ફૂટથી અસરગ્રસ્ત હતો તેને મ્યુઝિક થેરાપી નિયમિત રીતે આપવામાં આવતી હતી. જેના પરિણામે તેને સંગીત થકી પીડામાંથી રાહત તો મળી જ સાથે તેના વ્યક્તિત્વમાં દેઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે બૌધિક અને ભાવનાત્મક વિકાસ જોવા મળ્યો હતો. ઓપરેશન માટે લીધેલી મ્યુઝિક થેરાપીથી તેણે નિર્ભીક રીતે સર્જરી કરાવી હતી. નાના બાળકને આ રીતે પ્રસન્નતાથી ઓપરેશન માટે સ્વસ્થ જોઈને ડોક્ટરો પણ અચંબિત થયા હતા. માત્ર એટલું જ નહીં ઓપરેશન પછી તેણે ખાસ ડોક્ટરો તથા હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હોસ્પિટલમાં ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

    આ અંગે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, મ્યુઝિક થેરાપી એ શરીરના સાત ચક્રોને સંગીતના સાત સૂરોના તાલમેલથી જાગૃત કરતું વિજ્ઞાન છે. પર્વને નિયમિત રીતે મળી રહેલી થેરાપીનું સફળ પરિણામ તેનો પ્રભાવશાળી વ્યક્તિત્વ, દેઢ આત્મવિશ્વાસ અને ઓપરેશન વખતે પણ ચહેરા પરના સ્મિતમાં જોઈ શકાય છે. વધુમાં આ વિશે વાત કરતા આયુર્વેદ વિશેષજ્ઞ તથા ચાઈલ્ડ કાઉન્સેલર માતા ડૉ. પૂજા ઠક્કરે ઉમેર્યું હતું કે, સર્જરીએ કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતી કપરી તનાવજનક પરિસ્થિતિ છે. પર્વની સર્જરીના એક મહિના પૂર્વેથી જ તેને ખાસ થેરાપી આપી હતી.