Tag: પર્વ ઠક્કર

પર્વ ઠક્કર

6 વર્ષીય પર્વ ઠક્કર (ધ યંગેસ્ટ સિંગર), જેને “ક્લબફૂટ વોરિયર” તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. તેને મુખ્યત્વે ગુજરાતી અને હિન્દી ભક્તિ સંગીતમાં, ગાયક અને અભિનેતા તરીકેની તેની અસાધારણ પ્રતિભા માટે ખ્યાતિ મેળવી છે.

પર્વ ઠક્કર વિશ્વના સૌથી યુવા અભિનેતા અને ગાયક તરીકેનું ગૌરવ ધરાવે છે. પર્વ એ ફક્ત ૧ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે “પર્વ – ધ યંગેસ્ટ સિંગર” નામના તેના પ્રથમ સોલો ભક્તિ આલ્બમના પ્રકાશન સાથે તેની ગાયન યાત્રાની શરૂઆત કરી. તેણે ૫૦ થી વધુ ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે. બાળ કલાકાર તરીકે, તેણે ક્રુપ મ્યુઝિક દ્વારા નિર્મિત ૧૫ થી વધુ મ્યુઝિક વિડિયોઝ માં એક્ટીંગ કરી છે.

તે ગીતા જયંતિ પર્વ, કૃપ લિટરેચર ફેસ્ટીવલ અને કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ માટે એમ્બેસેડર અને કલાકાર તરીકે ગર્વથી સેવા આપે છે. તેમની અસંખ્ય સિદ્ધિઓ ઉપરાંત, પર્વ ઠક્કરને વિશ્વના સૌથી યુવા ચેન્જમેકર તરીકે પણ બિરદાવવામાં આવે છે. પર્વનો જન્મ ક્લબફૂટની ક્ષતિ સાથે થયો હતો અને તે સંગીત દ્વારા, તે પીડા સામે લડ્યો અને સ્વસ્થ થયો. હવે, તે તેના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ક્લબફૂટ વિશે જાગૃતિ ફેલાવે છે અને ક્લબફૂટ બાળકોની સારવાર માટે ભંડોળ ઊભુ કરવાના શો કરે છે. તે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ માટે બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા નિભાવે છે.

  • છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    ૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અંજારના છ વર્ષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હસ્તે લોકાર્પણ થયું.

    આઝાદીના આ ઉત્સવને સંગીત સાથે ઊજવતાં આ આલ્બમમાં બાળગાયક અને અભિનેતા પર્વ ઠક્કરના સાત ગીતોનો સમાવેશ થાય છે. જેમાં જન ગણ મન, ઐ વતન, વંદે માતરમ, હૈ નમન, શહીદો કો સલામ તેમજ જન ગણ મન નૉટેશનમાં તેની ઉત્તમ ગાયકી અને અદાકારી જોવા મળે છે. આ આલ્બમ ગીતકાર, સંગીતકાર અને ગાયક ડો. કૃપેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ તૈયાર થયું છે જેમાં દસ વર્ષીય વાચા ઠક્કરએ પણ કંઠ આપ્યો છે. આ બંને કલાકારોએ રાષ્ટ્રગીતને સૂરોમાં લયબદ્ધ રીતે ગાઈ નૉટેશન સ્વરૂપે રજૂ કરી વિક્રમ સર્જ્યો છે. પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતો વૈશ્વિક સ્તરે બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર કૃપ મ્યુઝિક દ્વારા વિનામૂલ્યે રજૂ કરવામાં આવ્યા હતા.

    છેલ્લા ચાર વર્ષોથી સતત પ્રગતિ કરતો આ બાળકલાકાર જ્યારે મંત્રીની મુલાકાતે પહોંચ્યો ત્યારે તેની સફળ કારકિર્દી અને કલા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અભિયાનમાં તેના યોગદાન માટે હર્ષભાઈએ ખૂબ સરાહના કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ગીતના વિડીયો વિશે વાત કરતાં દિગ્દર્શક ડો. કૃપેશએ જણાવ્યું કે આ દેશભક્તિ ગીતોનું ફિલ્માંકન કચ્છના વિવિધ નયનરમ્ય સ્થળો એ કરવામાં આવ્યું છે, આ ગીતો થકી આવનારી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય એ જ અમારો ઉદેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ઠક્કર પોતાના બેન્ડ સાથે આ દેશભક્તિ ગીતો લઈને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિવિધ શહેરોમાં ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમોમાં નિઃશુલ્ક પર્ફૉર્મ કરે છે.

  • કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ક્લબફુટ વોરિયર તરીકે પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર

    છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે. હાલમાં જે ગીતા કાર્યક્રમ સાથે ગુજરાત યાત્રા પર નીકળેલા પર્વ ફ્યુઝન બેન્ડના આ કલાકારો પર્વ ઠક્કર તથા ડો. કૃપેશની ગાંધીનગર ખાતે ઋષિકેશભાઈ સાથે મુલાકાત થઈ હતી અને તેમના હસ્તે સાત ભક્તિ ગીતોના આલ્બમનું વિમોચન થયું હતું. હેલ્થ મિનિસ્ટરે પર્વને પ્રશસ્તિ પત્ર આપી અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે પિતા ડૉ. કૃપેશે કહ્યુ કે જન્મથી જ પર્વને મ્યુઝિક થેરાપીની સારવાર આપવામાં આવી છે. જેના પરિણામે તે દ્રઢ આત્મવિશ્વાસ સાથે ક્લબફુટ વોરિયર તરીકે ઉભરી આવ્યો છે.

    આ ઉપરાંત તે સૌથી નાની ઉંમરનો સફ્ળ ગાયક પણ બન્યો છે. તેના ગીતો થકી અન્ય અસરગ્રસ્ત બાળકોને પણ જીવનમાં કંઇક કરવાન પ્રેરણા મળે તે જ ઉદ્દેશ્ય છે. સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને ઉમેર્યું કે ક્લબફુટ બીમારીના નામને આવરી લેતા આ આલ્બમનું વિમોચન જનજાગૃતિન ઉદ્દેશ્યને સાર્થક કરવામાં મદદરૂપ થશે.

  • વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

    વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

    ખાસ વ્યક્તિઓ…ખાસ દિવસ! એક વ્યક્તિ, એક સાથે કેટલા પાત્ર નિભાવતી હોય છે! એમાં પણ સ્ત્રી, અદ્ભૂત શક્તિઓની સ્વામિની છે. આજે આપણે આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજા કૃપેશ ઠક્કરની વિવિધ ક્ષેત્રે કામગીરી અને સફળતાની વાત કરીશું. અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિમત્તા સાથે હંમેશા ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી બી. એ. એમ. એસ.ની ડીગ્રી મેળવી, પંદર વર્ષથી આયુર્વેદીક ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. મહિલાલક્ષી રોગોમાં ઉપચાર માટે આયુર્વેદના એમના પ્રયોગો સફળ રહ્યા છે.

    એક મહિલા તબીબ, શ્રેષ્ઠ માતા અને શ્રેષ્ઠ બાળક માટે પ્રયત્ન કરે, એ દિશામાં સ્તુત્ય કામગીરી કરે, સમાજ માટે એથી રૂડું શું? ઘર અને પરિવારની કુનેહપૂર્વક સંભાળ લેવાની સાથે, ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને આયુર્વેદનાં સમન્વય સાથેના ગર્ભસંસ્કાર કેન્દ્ર, જેમાં માતા પિતાને ગર્ભ સંસ્કાર નું મહત્વ, તેના તબક્કાઓ, અને સંસ્કાર શિક્ષણ તેમજ વ્યક્તિત્વ ઘડતર માટેની તાલીમ આપે છે વિવિધ કાર્યક્રમો અને સેમિનાર થકી તેઓ ગર્ભ સંસ્કારની જાગૃતિ અને ‘ગૂંજે ગીતા’ જનમાનસ સુધી પહોંચાડે છે.

    ‘આપ મક્કમતાથી આગળ વધી રહ્યા છો, શ્રેય કોઈને આપશો?’ ‘શ્વસૂર, પિયર તો ખરા જ, સ્નેહી સ્વજન પણ ખરા, પરંતુ, ડો.કૃપેશ, મારા પતિને આપીશ. કારણ કે એમનો સાથ, હિંમત, સહકાર, ઈશ્વર તરફની અતૂટ શ્રદ્ધા, અને દરેક રીતે સહયોગી વૃત્તિ, આ બહુ ભાગ્યથી મળતું હોય છે, માટે હું જે કંઈ છું, અથવા જે કંઈ કરી રહી છું, એના સહભાગી મારા પતિ છે.’ લગ્ન પછી બે વખત રિજેક્ટ થયા બાદ, ત્રીજી વખત વિઝા મળ્યા. ત્યારે પૂજાબેન લેવા પટેલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા  હતા. અઠવાડિયા પહેલાં રૂટિન ચેક અપ માટે ગયા તો એમના પેટમાં ૨૦×૨૨ની ગાંઠ!એ તબક્કે તબીબ પતિએ અમેરિકાની મળેલી નોકરીને ભાગ્ય પર છોડી, પત્ની સાથે રહેવાનો નિર્ણય લીધો. આવા ત્યાગ અને કાળજી દામ્પત્યને ઉજળું બનાવે છે.

    આવા દંપતિ પોતાના બાળકો માટે કોઈ રીતે કચાશ રાખે ખરા? ગર્ભ સંસ્કાર સાથે ચીવટ પૂર્વક સંસ્કૃતિ અને સંસ્કારો સિંચાયા હોય,એ બાળકોનું કૌશલ્ય ઝળહળી ઉઠે છે. બસ, એવું જ કંઈક એમના પુત્ર પર્વ, કે જે વિશ્વનું યંગેસ્ટ સિંગર અને એક્ટર તરીકે ભવ્ય કારકિર્દી પામ્યો છે. તો દીકરી વાચા,  સફળ ગાયિકા હોવાની સાથે સૌથી નાની વયની લેખિકા બની છે. આમાં પૂજાબેન આપણા બધાના સલામના હકદાર બને જ છે. અમેરિકામાં સ્થાયી થવાનો વખત આવ્યો ત્યારે એ લોકોએ દેશમાં આવવાનો નિર્ણય લીધો! અહીં ખુમારી, વતનપ્રેમ…. જે હોય તે  પરદેશની ઝાકઝમાળની માયા ત્યાગવી, એ નિર્ણય જ વંદનીય છે.

    બધું જ કેટલું સરસ કેટલું અદભુત લાગી રહ્યું છે! પરંતુ શું, જિંદગીની ગાડી આટલી આસાનીથી ચાલે ખરી? કદી જ નહીં! કોઈની નહીં! જ્યારે એમને પાંચ મહિનાનો ગર્ભ હતો ત્યારે એમને ખબર પડે કે એમના પર્વને કૈંક તકલીફ છે, ત્યારે ભીતર હલચલ થવી સ્વાભાવિક છે. ‘એના જન્મ પછી અઠવાડિયું રહીને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ત્યાં ગીર્દી જોઈને હેબતાઈ ગયા’ ક્લબ ફૂટની બીમારી છે, એ સાંભળીને કોણ હતાશ ન થઈ જાય? પરંતુ, ‘એ જ ઈશ્વર પરની શ્રદ્ધા સતત ચમત્કાર બતાવી જ રહી છે.’ એ લોકો નિરાશામાં જવાને બદલે ઈશ્વર જે કરે એ સારું, એ સમજીને આગળ વધી ગયા.  ત્યારે હરખથી પૂજા બહેન કહે છે કે, ‘એ એક વર્ષ અને 11 મહિનાનો હતો ત્યારે તેનો પહેલો આલ્બમ આવ્યો’ છે ને હકારાત્મક વિચારસરણીનું અદ્ભૂત પરિણામ!

    ડૉ. પૂજા ૨૦૧૪થી ‘કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત એમના પતિ ડો. કૃપેશ સાથે મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે કાર્યરત છે. માનસિક સ્વસ્થતા અને સંતુલિતતા અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. અને મોબાઈલની લત લાગે તો? કેમ છોડવી? આવી તો અનેક માનસિક તકલીફો,  ગુસ્સાથી માંડીને મેનોપોઝ સુધીના, બદલતા, બગડતા, મૂડ માટે, ક્લબ ફૂટની સફળ સારવાર માટે, પુત્ર પર્વના વ્યક્તિત્વ ઘડતરમાં એમની સફળ ભૂમિકા જોઈ શકાય છે.

    આપણને જાણીને આશ્ચર્ય થાય, પરંતુ બહુવિધ પ્રતિભાના ધની  એવા ડોક્ટર પૂજા ગાયિકા છે, સાથે તેઓ અભિનય પણ કરે છે. ‘પર્વ ફ્યુઝન બેન્ડ’ ના કલાકારો, પર્વ, વાચા અને ડોક્ટર કૃપેશ સાથે મળીને સ્વર આપે છે. જે વૈશ્વિક સ્તરે સાવન, ગાના, હંગામા, જેવા પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે. તો તેમના લવ યુ મા, તું છે ઓ મા, શ્રી રામ ભજનમાં અભિનય, આ ઉપરાંત પર્વ  ફ્યુઝન બેન્ડના વૈશ્વિક પ્રોજેક્ટ, ‘ગૂંજે ગીતા’માં ગાયિકા તરીકે પણ તેઓ પરફોર્મન્સ આપે છે. ‘જે પણ કહીશ તે સાચું જ કહીશ’ પ્રોડ્યુસર તરીકે એમણે બનાવેલી ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે. આ ક્ષેત્રની પ્રતિયોગિતામાં આયોજન અને સંચાલનની પાયાની ભૂમિકા ભજવે છે.

    તેઓ એક અદભુત ચેન્જ મેકર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના ઉજવાતા વેલેન્ટાઇન્સ ડે, સંસ્કૃતિ સાથે જોડી, પર્વની મહત્તા, ગરિમા, સાચવી લે છે. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા સમસ્ત જનમાનસ પર આક્રમણ કરી જ ચૂકી છે ત્યારે, ‘ડે’ને આપણે અટકાવી નથી શકવાના, તો આ કેટલો સરસ ઉપાય છે. એમનું આખું ગ્રૂપ આ રસ્તે વિવિધતા ભરી, મધર્સ ડેને માતૃ દીવસ બનાવી, ધરોહરને સાચવવા આયામ કરે છે.  કેન્દ્રમાં ગીતાના અધ્યાયો સંગીતમય રીતે ગાવાની તાલિમ આપે છે. તો ‘પર્વ કી પાઠશાલા’  અંતર્ગત ભારતીય તહેવારો અને પૌરાણિક પરંપરાઓના  જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેઓ દરેક ભૂમિકા સુસંગત ભજવવાની પ્રેરણા આપે છે.

    કલા, કૌશલ્ય અને અસીમ આત્મવિશ્વાસ…. કચ્છની આ દીકરી વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહી  હોય એ  ગૌરવની વાત બને છે. ‘આયુર્વેદ કરતાં સંગીત તરફ વધારે ઢળી છું, એમાં પણ ઘર, પરિવાર પ્રથમ’, ‘ભગવાન જે કરે તે સારું’, ‘માત્ર પોતા પૂરતું નહીં, વહેંચીને જીવવાનું’, ‘જિંદગી જંગ છે, જીતીને આગળ વધીએ’, ‘પ્રશ્નો તો આવતા જ રહેશે, મક્કમ મનોબળ જ ઉકેલ’, ‘પરિસ્થિતિમાં હકારાત્મકતા જોઈને આગળ વધી જવું’, અને ‘ભગવાન પરિક્ષા તો લે છે, પણ ‘મા’ બનીને’, આ એમની સાથેની વાતચીતનો નીચોડ છે, બધું ભાથું બાંધવા જેવું લાગ્યું, ખરું ને?

    Courtesy: Kalash Purti – Divya Bhaskar
    Colum: નારીવૃંદ
    Article By: માધવી

  • મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

    મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

    સંગીતની મન અને શરીર પર થતી અસરો પર કરાતાં સંશોધનો

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

    સંસ્થા દ્વારા સંગીતની મન અને શરીર પર થતી અસરો પર વિવિધ સંશોધનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં સર્જરી વખતે સંગીતની હકારાત્મક અસરો પર મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી બાળ પર્વ કે જે કલબ ફૂટથી અસરગ્રસ્ત હતો તેને મ્યુઝિક થેરાપી નિયમિત રીતે આપવામાં આવતી હતી. જેના પરિણામે તેને સંગીત થકી પીડામાંથી રાહત તો મળી જ સાથે તેના વ્યક્તિત્વમાં દેઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે બૌધિક અને ભાવનાત્મક વિકાસ જોવા મળ્યો હતો. ઓપરેશન માટે લીધેલી મ્યુઝિક થેરાપીથી તેણે નિર્ભીક રીતે સર્જરી કરાવી હતી. નાના બાળકને આ રીતે પ્રસન્નતાથી ઓપરેશન માટે સ્વસ્થ જોઈને ડોક્ટરો પણ અચંબિત થયા હતા. માત્ર એટલું જ નહીં ઓપરેશન પછી તેણે ખાસ ડોક્ટરો તથા હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હોસ્પિટલમાં ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

    આ અંગે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, મ્યુઝિક થેરાપી એ શરીરના સાત ચક્રોને સંગીતના સાત સૂરોના તાલમેલથી જાગૃત કરતું વિજ્ઞાન છે. પર્વને નિયમિત રીતે મળી રહેલી થેરાપીનું સફળ પરિણામ તેનો પ્રભાવશાળી વ્યક્તિત્વ, દેઢ આત્મવિશ્વાસ અને ઓપરેશન વખતે પણ ચહેરા પરના સ્મિતમાં જોઈ શકાય છે. વધુમાં આ વિશે વાત કરતા આયુર્વેદ વિશેષજ્ઞ તથા ચાઈલ્ડ કાઉન્સેલર માતા ડૉ. પૂજા ઠક્કરે ઉમેર્યું હતું કે, સર્જરીએ કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતી કપરી તનાવજનક પરિસ્થિતિ છે. પર્વની સર્જરીના એક મહિના પૂર્વેથી જ તેને ખાસ થેરાપી આપી હતી.

  • મધર્સ ડે માતાના નામ અને ભારતીય સંસ્કારોથી બન્યું મા પર્વ

    મધર્સ ડે માતાના નામ અને ભારતીય સંસ્કારોથી બન્યું મા પર્વ

    વિશ્વભરમાં ઉજવાતા મધર્સ ડે ને અમેરિકાથી પરત ફરેલા ડોક્ટર એ ભારતીય સંસ્કારો, સનાતન ધર્મ અને નૈતિક મૂલ્યો ને સંકલિત કરીને ત્રીસ દિવસીય ‘મા પર્વ’ તહેવારનું સ્વરૂપ આપ્યું. જે માટે ‘માતૃદેવો ભવઃ’ ના વૈદિક સૂત્રથી મધર્સ ડે નિમિતે સૌ સેવા કાર્યો તેમણે ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે તેમની માતાના નામ સાથે ઉજવવાની પહેલ કરી અને માતા પિતાના નામ સાથે ઓળખ સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય બન્યા.

    તેમના નેતૃત્વ હેઠળ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઈઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે મા પર્વની શરૂઆત તા. ૧૫ એપ્રિલ એ ગીવ વાચા સેન્ટર અંજાર ખાતે સંસ્થાના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો એ માતૃ પૂજન સાથે કરી, તો પૂર્ણાહુતી 14 મે મધર્સ ડે નિમિતે વંદે માતરમ મેમોરીયલ, ભુજોડી ખાતે ભારત માતા અને ધરતી માતાની વંદના સાથે કરવામાં આવી. આ ત્રીસ દિવસીય પર્વ અંતર્ગત ફક્ત એક માતા નહિ પણ સનાતન સંસ્કૃતિ પર આધારિત ડૉ. કૃપેશના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ અનુસાર માતાના અગિયાર રૂપ એટલે કે મા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ, માતૃભૂમિ, ભારત માતા, લોકમાતા (નદીઓ), ધરતી માતા અને દેવી મા એમ વિવિધ સ્વરૂપોની વંદના અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા અનેકવિધ કાર્યક્રમો થયા; જેમાં સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો, કવિ સંમેલન, ગૌશાળામાં ગૂંજે ગીતા, વૃદ્ધાશ્રમમાં માતૃપૂજા, માતા ને સમર્પિત ગીતો અને ઓડીઓ પોએટ્રી ના વિમોચન તથા ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા સ્વાસ્થ્ય સંબંધિત કાર્ય નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વિશિષ્ટતા એ હતી કે પ્રથમ વખત કોઈ લેખકે પુસ્તક પ્રકાશિત થતા પહેલા તેમાં દર્શાવેલા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું સામાજિક સ્તરે અમલીકરણ કર્યું હોય.

    પર્વ ફ્યુઝન બેન્ડ ના કલાકારો વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ પૂજા કૃપેશ, ધ નોટેશન ગર્લ વાચા પૂજા કૃપેશ, ડૉ. પૂજા પ્રવિણા જગદીશ તથા ડૉ. કૃપેશ એ આ ત્રીસ દિવસમાં પંદર જેટલા સંગીતમય ગૂંજે ગીતાના કાર્યક્રમો વિવિધ શહેરોમાં રજુ કર્યા. ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યોએ કલમ થકી યોગદાન આપ્યું તો સ્વયંસેવકોએ સંસ્થાના જે તે શહેરના ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે માતાના નામ સાથે જોડાઈને સેવા કરી.

    ગીવ વાચા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન દિવાળીબેન જેઠાલાલ અને ડૉ. શશીકાંત દેવકાબા ઉમરશી એ મધર્સ ડે, ઇન્ડિયન વે ની આ નવી વિચારધારામાં મા પર્વ દરમિયાન સંલગ્ન થયેલી સંસ્થાઓ અને લોકોનું હૃદય થી આભાર માન્યો. આમ એક પરિવાર એ શરૂ કરેલ આ પરંપરા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે વૈશ્વિક બની છે.

  • મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

    મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

    અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું. જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ નયના શશીકાંત, ડૉ. પૂજા ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ‘યા દેવી સર્વભુતે’ ના ભાવથી દેવી સ્વરૂપ વૃદ્ધ માતાઓનું પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા તથા ગૂંજે ગીતા પ્રસ્તુત કરી જેમાં ગીતા પઠન માટે પચાસ થી પણ વધુ વડિલો જોડાયા.

    આ કાર્યક્રમમાં લેખક ડૉ. કૃપેશના  પુસ્તક ‘અર્જુન ઉવાચ : મા પર્વ’ ના મુખ પૃષ્ઠનું લોકાર્પણ વૃદ્ધ માતાઓના વરદ હસ્તે થયું. આ પ્રસંગે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, આશાપુરા ફાઉન્ડેશન વતી રાગીણીબેન વ્યાસ અને હસ્મીતાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. દેવી પુજાના હૃદયસ્પર્શી આયોજનમાં માતાઓએ પોતાના અનુભવને વ્યક્ત કરતા કહ્યું કે “આજના સમયમાં સંયુક્ત કુટુંબનું આદર્શ પૂરું પાડતું આ પરિવાર જયારે અમારું પૂજન કરી આ સંસ્કારોને જીવંત રાખતું હોય ત્યારે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ. એક માતા પિતાની ફરજ બને છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય જેથી ભવિષ્યમાં અમારી જેમ કોઈને નિસહાય ના રહેવું પડે. ખાસ કરીને આ બંને બાળકો કે જે માતૃ પૂજા કરી રહ્યા છે તેમના થી આજની પેઢીને શીખ લેવી જોઈએ.” તો આ પ્રસંગે વક્તવ્ય આપતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “મા પર્વ માં અમે સૌ મારા આગામી પુસ્તક ‘અર્જુન ઉવાચ:મા પર્વ’ માં સૂચિત સનાતન ધર્મ અનુસાર માતાના અગિયાર સ્વરૂપો પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે દેવી સ્વરૂપ માતાઓના આશીર્વાદ લઇ અને કચ્છમાં નવ જેટલા ગુંજે ગીતા કેન્દ્રો શરુ કરવાની અભિલાષા છે. કે જેથી આવનરી પેઢીમાં પોતાના માતા પિતા પ્રત્યેના કૃતજ્ઞતાના ભાવને જીવંત રાખી શકાય.” સંસ્થાનો આ સંકલ્પ પૂર્ણ થાય એટલે વડીલોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી.

  • ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

    ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

    ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા હાલમાં ચાલી રહેલા ‘મા પર્વ’ અંતર્ગત માતૃભૂમિને વંદન કરવા ગુજરાત દિવસ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતના વિડિયોનું શ્રી ત્રિકમદાસજી મહારાજને હસ્તે સચ્ચિદાનંદ મંદિર લોકાર્પણ કરાયું. ગુજરાત અને તેની વિશેષતાઓનું ગુણગાન ધરાવતા આ ગીતને ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર એ શબ્દો તથા સંગીતથી શણગાર્યું છે તેમજ કચ્છી કલાકારો યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ પર્વ ઠક્કર, વાચા ઠક્કર તથા ડોકટરે કંઠ આપ્યું છે.

    આ વિડિયોનું શુટિંગ ગોવર્ધન ધામ તેમજ ભીમાસર ખાતે થયેલુ છે તથા ગુજરાતની ગરિમા એવા પર્યટન સ્થળોને પણ તેમાં સાંકળવામાં આવ્યા છે. આ ગીતના ફિલ્માંકન વિશે વાત કરતા ડૉ. કૃપેશે કહ્યું કે “હાલ ચાલી રહેલ ત્રીસ દિવસીય આ ઉત્સવમાં અમે મારા પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ માં દર્શાવેલ માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરીએ છીએ ત્યારે માતૃભાષા થકી માતૃભૂમિની આરાધના કરવાની તક અમને મળી એ અમારું સૌભાગ્ય છે અને ગુજરાત દિવસના શુભ અવસર પર આ વીડિઓ રજુ કરી જન્મભૂમિ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છે.” બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા ત્રિકમદાસજી મહારાજ એ કહ્યું કે, “અંજારના આ બંને બાળકો સનાતન મૂલ્યોને ફક્ત કચ્છ કે ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારત અને વિશ્વકક્ષાએ ઉજાગર કરે છે ત્યારે ગુજરાત દિવસ નિમિતે તેમનું આ કાર્ય કચ્છ માટે ગૌરવની વાત છે.”

    કૃપ ફિલ્મ્સ દ્વારા કચ્છના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં આવ્યા છે તેમજ કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ દ્વારા વિશ્વભરમાં બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર આ ગીતને નિ:શુલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ કચ્છી કલાકારો કચ્છનાં વિવિધ પયર્ટન તથા ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરવા પોતાના ગીતોનું ત્યાં ફિલ્માંકન કરી તેને વિશ્વભરમાં પહોંચાડે છે.

  • ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

    ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

    હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત ત્રીસ દિવસીય તહેવારમાં માતાના અગિયાર સ્વરૂપોની પૂજા સાથે મધર્સ ડે ની ઉજવણી થાય છે ત્યારે અંજારના શિષ્યોએ માતાના સ્વરૂપ એવા તેમના ગુરૂનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

    કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ તેમના ગુરુ કલ્પનાબેન મહેતાના પૂજન સાથે કરી ત્યાર બાદ બાળ કલાકારો પર્વ અને વાચા એ તેમના ગુરૂ રીચાબેન ચાવડાની પૂજા કરી તથા શિક્ષિકાઓ શીતલબેન રબારી, ભાવનાબેન ભાવસાર, વૈશાલીબેન ભટ્ટ અને અંકિતાબેન જોશીની તેમના શિષ્યોએ આચાર્ય દેવો ભવ: ની ભાવનાથી પૂજન અને તુલસી માતા વડે સત્કાર કર્યું. આ સાથે ભાવવિભોર થયી ગયેલા ગુરૂ-શિષ્યોએ તેમની લાગણીઓ વ્યક્ત કરી. ત્યાર બાદ ગૂંજે ગીતા કાર્યક્રમ દ્વારા ગીતા માતાની આરાધના કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ ગિટાર પર ગીતા પ્રસ્તુત કરી. આ પ્રસંગ વિશે વાત કરતા ડોકટરે કહ્યું કે “મા પર્વમાં સૌ સાથે મળીને સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે. ત્યારે શિક્ષિકા કે જેઓ માતાની જેમ જ કાળજીપૂર્વક શિક્ષા અને જ્ઞાન આપી બાળકના ચારિત્ર્ય ઘડતરમાં યોગદાન આપે છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા બાળકો શીખે એ આજના સમયની માંગ છે.”

    આ ઉપરાંત કાર્યક્રમમાં ગર્ભ સંસ્કાર અને માતૃપૂજાના મહત્વ વિશે ડૉ. પૂજા ઠક્કર એ, તો માતૃભાષાના ઋણ વિશે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’ એ સમજ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝી આઈડી એ મા પર્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા તમામ ડીજીટલ સેવાઓ નિ:શુલ્ક આપી યોગદાન આપ્યું છે.

  • મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

    મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

    હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયો તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

    ૧૫ એપ્રિલથી 14 મે સુધી ચાલી રહેલા વૈશ્વિક ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત સંસ્થા સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો કરી રહી છે ત્યારે ગૌમાતા માટે મોટી નાગલપર મુકામે આવેલી શ્રી સચિદાનંદ મંદિરની વ્રજ ગૌશાળામાં ગૌ પૂજા અને ગૂંજે ગીતાનું આયોજન થયું. આ કાર્યક્રમ નાના બાળકોને ગાય માતાની પૂજાના મહત્વ વિશેની સમજ આપવામાં આવી; ત્યાર બાદ સૌએ સાથે મળીને ગાય માતાની પૂજા કરી તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પાંચ વર્ષીય પર્વ ઠક્કર, દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ નયના શશીકાંત દ્વારા ગૂંજે ગીતા રજુ કરવામાં આવી જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમના આયોજન બદલ મહંત શ્રી ત્રીકમદાસજી મહારાજે શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, ટીએચઓ. ડૉ. રાજીવભાઈ અંજારિયા તથા કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા ઉપસ્થિત રહ્યા અને ગૌ પૂજા કરી સૌને પ્રોત્સાહન આપ્યું. મા પર્વ વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે “ભારતીય સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોમાં ‘ગાવો વિશ્વાસ્ય માતર:’ એમ ગાયને માતા કહી છે. ગૌ પૂજા દ્વારા બાળકો ગાય માતાની પૂજા કરતાં શીખે અને ગાયનું મહિમા સમજે એ ઉદેશ્યથી આ પ્રવૃતિ કરવામાં આવે છે.” વધુમાં એક મ્યુઝીક થેરાપીસ્ટ તરીકે પોતાના અનુભવો વ્યક્ત કરતા એમણે ઉમેર્યું કે “ભક્તિ સંગીતની મન ઉપર હકારાત્મક અસરો ફક્ત મનુષ્યોમાં જ નહિ ગાયો પર પણ થાય છે માટે જયારે ગાય માતા સમક્ષ સંગીતમય રીતે ગીતા પઠન થાય એ તેમના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી બની શકે.” ગૌશાળામાં ગૌ પૂજા અને ગીતા પાઠને લોકોએ નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો છે જેના પરિણામે આ પ્રવૃતિઓ ભવિષ્યમાં પણ થતી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

    કૃપ મ્યુઝીક એ ગીતાના અધ્યાયને વિશ્વભરમાં બસોથી પણ વધુ પ્લેટફોર્મ પર નિશુલ્ક લોન્ચ કરી આ કાર્યમાં યોગદાન આપ્યું છે. સફળ સંચાલન માટે ડૉ. પૂજા ઠક્કર તથા વૈશાલીબેન ભટ્ટ એ જહેમત ઉઠાવી જેમાં સ્વયંસેવકો અંકુર સેવક, અંજલી સેવક, કલરવ રાઠોડ અને યશ ટાંક એ સેવા આપી.

  • માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

    માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ.

    આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને  મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.

    આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ગ્લોબલ ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડરના નિમણુકથી કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ, વાચા, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશને તેમના માતા પિતાના નામ સહીત આમંત્રિત મહાનુભાવોના હસ્તે એમ્બેસેડર ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડૉ. કૃપેશે જાહેરાત કરી કે “માતૃદેવો ભવ: અને પિતૃ દેવો ભવઃ ના સનાતન સંસ્કારને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા હવેથી તેઓ ટ્રસ્ટના સર્વે કાર્યોમાં ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે ઓળખાશે. આ મહિના દમિયાન તેમના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત સનાતન સંસ્કૃતિ પ્રમાણે માતાના વિવિધ રૂપોની સેવા ગૂંજે ગીતા, ગૌ પૂજા, હેલ્થ કેમ્પ, સ્વછતા પર્વ તથા શબ્દવંદના કાર્યક્રમ થકી કરશે.” આ સાથે જ તેમણે પોતાના નામને માતા પિતાના નામ સાથે જોડવાની પ્રથાની સમગ્ર વિશ્વમાં પહેલ કરી તથા સંસ્થા સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આ પ્રથામાં જોડાઈ માતા પિતાના નામ સાથે સામાજિક કર્યો કરવા આમંત્રણ આપ્યું. ગિફ્ટ ઓફ ટાઇમના કેન્દ્રીય વિચાર વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે “ગીવ વાચા સંસ્થા ‘સમયદાન’ આપવામાં માને છે. સ્વયંસેવકો પોતાનો કિમતી સમય સંસ્થાને દાન કરી કલા અને કૌશલ્યો થકી માતાના નામ સાથે જોડાઈ સેવા કરે છે, માટે તેઓ અમારા ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર બને છે.”

    માતૃ પૂજાનું પ્રારંભ આમંત્રિત માતાઓના પૂજન અને તુલસી દ્વારા સત્કાર સાથે કરવામાં આવી. અત્રે નોંધનીય છે કે અહલ્યા કન્યા છાત્રાલયની વીસથી પણ વધુ બાળાઓએ તેમની પાલક માતા સેજલબેન મનવરની પૂજા કરી સર્વેને પ્રેરણા આપી હતી. ૧૫ એપ્રિલ થી ૧૪ મે સુધી ચાલનારા આ પર્વમાં દર રવિવારે માતૃ પૂજાનું આયોજન કરવામાં આવશે. કૃપ મ્યુઝીક દ્વારા આ પર્વના ગીતો લવ યુ મા, નારી હૈ નારાયણી, ભક્તિ યોગ, ધન્ય ધરા ગુજરાતની, ઐ વતન, વંદે માતરમ અને મિસ યુ મા  ને વિશ્વભરમાં વિનામૂલ્યે લોન્ચ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મહિના માટે કૃપ ફિલ્મ પ્રોડક્શનએ પોતાની યુટ્યુબ ચેનલ પણ નિશુલ્ક આપવાની જાહેરાત કરી.

    આ કાર્યક્રમનું આયોજન ડો. પૂજા પ્રવિણા જગદીશભાઈના નેતૃત્વ હેઠળ થયું જેમાં અંજલીબેન સેવક, કલરવભાઈ રાઠોડ અને યશભાઈ ટાંક જહેમત ઉઠાવી હતી.