Tag: પર્વ ઠક્કર

પર્વ ઠક્કર

6 વર્ષીય પર્વ ઠક્કર (ધ યંગેસ્ટ સિંગર), જેને “ક્લબફૂટ વોરિયર” તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. તેને મુખ્યત્વે ગુજરાતી અને હિન્દી ભક્તિ સંગીતમાં, ગાયક અને અભિનેતા તરીકેની તેની અસાધારણ પ્રતિભા માટે ખ્યાતિ મેળવી છે.

પર્વ ઠક્કર વિશ્વના સૌથી યુવા અભિનેતા અને ગાયક તરીકેનું ગૌરવ ધરાવે છે. પર્વ એ ફક્ત ૧ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે “પર્વ – ધ યંગેસ્ટ સિંગર” નામના તેના પ્રથમ સોલો ભક્તિ આલ્બમના પ્રકાશન સાથે તેની ગાયન યાત્રાની શરૂઆત કરી. તેણે ૫૦ થી વધુ ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે. બાળ કલાકાર તરીકે, તેણે ક્રુપ મ્યુઝિક દ્વારા નિર્મિત ૧૫ થી વધુ મ્યુઝિક વિડિયોઝ માં એક્ટીંગ કરી છે.

તે ગીતા જયંતિ પર્વ, કૃપ લિટરેચર ફેસ્ટીવલ અને કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ માટે એમ્બેસેડર અને કલાકાર તરીકે ગર્વથી સેવા આપે છે. તેમની અસંખ્ય સિદ્ધિઓ ઉપરાંત, પર્વ ઠક્કરને વિશ્વના સૌથી યુવા ચેન્જમેકર તરીકે પણ બિરદાવવામાં આવે છે. પર્વનો જન્મ ક્લબફૂટની ક્ષતિ સાથે થયો હતો અને તે સંગીત દ્વારા, તે પીડા સામે લડ્યો અને સ્વસ્થ થયો. હવે, તે તેના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ક્લબફૂટ વિશે જાગૃતિ ફેલાવે છે અને ક્લબફૂટ બાળકોની સારવાર માટે ભંડોળ ઊભુ કરવાના શો કરે છે. તે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ માટે બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા નિભાવે છે.

  • હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

    હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

    હાલમાં હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે અંજારમાં ગીવ વાચા સેન્ટરનું શુભારંભ શાળા નંબર 14 ખાતે કરવામાં આવ્યું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ અને અંજારના બાળ કલાકારોએ હાજરી આપી હતી. સનાતન સંસ્કારોથી બાળકો અને યુવાનોના ચરિત્ર ઘડતર માટે કાર્યરત આ સેન્ટરનું ઉદ્ઘાટન બાળકોને હસ્તે જ કરવામાં આવ્યું. જેમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, યંગેસ્ટ ચેન્જમેકર વાચા ઠક્કર તથા અન્ય બાળકો સાથે ગીવ વાચાના ટ્રસ્ટીઓ ડૉ. કૃપેશ તથા શ્રીમતી નયનાબેન, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા અને આમંત્રિત અતિથીઓને હસ્તે સંસ્થાના કેન્દ્રસ્થાને રહેલા પંચેશ્વરની છવીનું અનાવરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા પઠન દ્વારા કરવામાં આવી; જેમાં આમંત્રિત સૌ લોકો જોડાયા હતા. ત્યાર બાદ બાળ કલાકારોએ ગૂંજે ગીતા રજુ કરી.

    પંચેશ્વર વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. કૃપેશ ઠક્કરએ કહ્યું કે ‘વર્ષોથી ભગવાનના કલા સ્વરૂપને કેન્દ્રમાં રાખી વિવિધ કલાઓના સમન્વયથી થતી પ્રવૃતિઓને આવરી લેતી આ છબીમાં શ્રી કૃષ્ણના મુરલીધર સ્વરૂપને, નૃત્યના દેવ નટરાજને, વિદ્યાના દેવી માતા સરસ્વતીને, મહાલેખક ભગવાન શ્રી ગણેશને અને સ્વાસ્થ્યના ભગવાન ધન્વન્તરીનો સમાવેશ કરવામાં આવ્યો છે” વધુમાં તેમણે ઉમેર્યું કે આ સેન્ટરમાં દર રવિવારે જન સામાન્ય માટે ‘ગૂંજે ગીતા કેન્દ્ર’ ના માધ્યમથી ગીતાના અધ્યાયોને સંગીતમય રીતે ગાવાની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ‘પર્વ કી પાઠશાલા’ અંતર્ગત ભારતીય તહેવારો વિષેની વિસ્તૃત સમજ સહજ રીતે આપી મુલ્યલક્ષી શિક્ષણ અને સંસ્કૃતિ સંવર્ધનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવશે તથા વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. આ કેન્દ્રમાં જી.એલ.સી.સી. કચ્છના સ્વયંસેવકો વૈશાલીબેન ભટ્ટ, અંજલીબેન સેવક, ડૉ. કૃપાલી પલણ, ડૉ. પૂજા ઠક્કર અને ડૉ. કૃપેશ સેવા આપવા જોડાયા છે.

    આ સાથે જ હનુમાન જન્મોત્સવના ભાગ રૂપે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘હનુમાન મંત્ર’ આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું. આ આલ્બમ કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વભરમાં વિવિધ પ્લેટફોર્મ પર નિ:શુલ્ક રિલીસ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં જી.એલ.સી.સી. અંજારના સ્વયંસેવકો શ્રી અમૃતભાઈ સ્પંદન, કલરવભાઈ રાઠોડ અને શંકર ગોસ્વામીએ નોંધપાત્ર યોગદાન આપ્યું.

  • રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

    રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

    હાલમાં જ રામનવમીના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું. આ રામભક્તિ ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર તથા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર તથા સુર ગુજરાત કે સિઝન ૨ અમેરિકાની વિજેતા રીતિ એ પોતાની કલાનું યોગદાન આપ્યું.

    સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા ભુજ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી દિનેશ કામત, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના માન. નવિનભાઇ વ્યાસ, સંસ્કૃત ભારતીના ન્યાસી. ડૉ. પંકજ શાહ, સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ દેશમુખ, ફ્રેન્ડસ ગ્રુપના રાહુલભાઇ ગોર અને કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિગીતનું વિમોચન કરવામાં આવ્યું; વિમોચનના આયોજનમાં અમિતભાઈ ગોર એ સહયોગ આપ્યો. લોકાર્પણ બાદ ભક્તિગીતનો વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેને ઉપસ્થિત દર્શકોએ વધાવી લીધું. આ ગીતના વીડિઓમાં અંજાર રઘુનાથજી મંદિર, અંજારની પ્રખ્યાત ભવ્ય રથયાત્રા તથા સ્વામિનારાયણ તળાવના નયનરમ્ય દ્રશ્યોને દિગ્દર્શક ડૉ. કૃપેશ એ સુંદર રીતે કેમેરામાં કંડાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તથા કૃપ ફિલ્મ્સની સમગ્ર ટીમએ આ વિડિયોનું શુટિંગ વિનામૂલ્યે કરી યોગદાન આપ્યું છે. બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા સંગીતકાર ડૉ. કૃપેશ એ જણાવ્યું કે આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સાથે અવગત કરાવવા આ બાળકો સતત આવા ભક્તિગીતો રજુ કરી અન્ય બાળકો અને યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે જે આજના સમયની માંગ છે. રામ નવમી સાથેની યાદોને વાગોળતા તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૧૯ રામ નવમીના તેમના ગીત “મંગલ ભવન અમંગલ હારી” અને “રામ ધૂન” માં ફક્ત એક વર્ષની વયે બાળ ગાયક અને અદાકાર તરીકે પદાર્પણ કરીને જ પર્વ ઠક્કર યંગેસ્ટ સીંગર અને એક્ટર ઇન વર્લ્ડ બન્યો છે.

    આ પ્રસંગે સંસ્થના ટ્રસ્ટી શ્રી નયનાબેન ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન રામ ધૂન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેવામાં આવ્યો છે. આ સાથે જ કચ્છને વિશ્વસ્તરે અગ્રીમ લાવવા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના ઉદેશ્ય મુજબ કચ્છના વિવિધ દર્શનીય સ્થળોને મ્યુઝીક વિડીયોમાં લેવામાં આવે છે. અગાઉ પણ આ બેન્ડ દ્વારા રચિત ‘રામ રાખે તેમ રહીએ’ ગીતમાં વાંઢાય ના રામ મંદિર ને, ‘મંગલ ભવન અમંગલહારી’ ગીતમાં મકલેશ્વર મંદિરને કેમેરામાં કંડારવામાં આવ્યા હતા. કચ્છના કલાકારોને વિશ્વ ફલક પર લઇ જવા ના ઉદેશ્ય સાથે તેમણે ઉમેર્યું કે આવનારા સમયમાં કચ્છના વિવિધ ધાર્મિક સ્થળોને અધ્યતન ટેકનોલોજીના ઉપકરણોથી ફિલ્માંન્કિત કરી ભક્તીગીતોના સથવારે વિશ્વભરમાં પહોંચાડવા માટે જી.એલ.સી.સી. અને ગિવ વાચા કચ્છના અન્ય કલાકરોને પણ આમંત્રિત કરે છે. ડૉ. પુજાબેન ઠક્કરે વધુમાં ઉમેર્યું કે ટ્રસ્ટના આ કાર્યને સહયોગ આપી માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે કૃપ ગ્રુપ ઓફ કંપનીઝ સદા તત્પર રહેશે.

  • ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

    ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

    આ પુસ્તક વિષે વાત કરતા લેખકે જણાવ્યું કે ‘અર્જુન ઉવાચ’ એ ફક્ત પુસ્તક નહીં પણ મારી અનુભવેલી આધ્યાત્મિક યાત્રા છે. એક સંવાદ છે પિતા અને પુત્રીનું, ‘ક્યાં છે કાનો? પ્રશ્નથી ‘અહં બ્રહ્મસ્મિ’ ના ઉત્તર સુધીનો. આ એવી યાત્રા છે જે મારી સમજ અનુસાર ગીતાનું પથદર્શન છે તથા કૃષ્ણનું અવલંબન છે. આ કથા છે સાત ગીતોની અને તેના સર્જન માટે પ્રેરણા સ્ત્રોત સમી એ સાત ઘટનાઓની. જીવનની ઘટમાળને ગીતાના દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરી કઈ રીતે સુસાધ્ય બનાવી શકાય તેનો આ પ્રયોગ છે; આ પુસ્તક એટલે પિતાએ પુત્રીને આપેલી સનાતન ધર્મના સંદેશની ભેંટ.

    આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરભાઈ એ ડૉ. કૃપેશ અને તેમના સમગ્ર પરિવારનું સન્માન કર્યું હતું. તેમણે ડોક્ટરને ‘કચ્છના યુવાઓ માટે આદર્શ વ્યક્તિ’ કહીને સરાહના આપી અને કહ્યું “આજે જયારે સરકારે ભગવદગીતાનો શિક્ષણમાં સમાવેશ કર્યું છે ત્યારે ગીતાના સારને બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં આ પુસ્તક રૂપે રજુ કરી આપે સમયની માંગ પૂરી કરી છે.” ડૉ. કાન્તીભાઈ એ ડોક્ટર અને તેમના પરિવારને “માત્ર સંસ્કૃતિ અને સંસ્કારો માટે જીવતા પરિવાર” તરીકે સંબોધી શુભકામનાઓ આપી તો અર્જુન ઉવાચ પુસ્તક વિષે વાત કરતા શ્રી મદનકુમારે કહ્યું કે “આમ તો ભગવાન ઉવાચ એવું હતું પણ અહી અર્જુન ઉવાચ કહીને કૃપેશ ભાઈએ ક્રાંતિ કરી છે.” આ ઉપરાંત એમણે જી.એલ.સી.સી.ના કાર્યોને બિરદાવતા સતત ગતિશીલ રહેવા પ્રોત્સાહન આપ્યું. શ્રી જયંતીભાઈ એ લેખક વિશે વાત કરતા ઉમેર્યું કે “માતૃભાષાનું ઋણ તેમને વિદેશથી અહી ખેંચી લાવ્યું છે.”

    જી.એલ.સી.સી. ના  વૈશ્વિક પ્રોજેક્ટ વિષે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને જણાવ્યું કે ‘સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રની પ્રવૃતિઓ થકી સંસ્કૃતિ સંવર્ધન કરવા અને નવોદિત કલાકારોને મંચ આપવા માટે જી.એલ.સી.સી. ની કચ્છની શાખાનું ગઠન કરી કચ્છને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો હવે સમય આવી ગયો છે.’ તેમણે તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી દિવાળીબેન જે. ઠક્કરના સ્મરણાર્થે દર વર્ષે ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ ઉજવવાની જોગવાઈ પણ કરી છે.

    કાર્યક્રમમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, તથા ડૉ. કૃપેશ દ્વારા ભક્તિ સંગીત રજુ કરવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકો એ વધાવી લીધું.આ ઉપરાંત ‘કૃપ ટોક્સ’ શો માં નાના બાળકોએ કાવ્ય પઠન કર્યું તથા ‘ફ્યુચર ઓફ પોએટ્રી’માં કવિતાના ભવિષ્યમાં ઓડિયો અને વિઝ્યુઅલ સ્વરૂપના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આપ્યું. આ સાથે જ “છાંવ જૈસે પાપા” પોએટ્રી ઓડીઓનું પણ આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીવ વાચા પબ્લિકેશન તરફથી હવે કચ્છમાં રહીને જ પોએટ્રી આલ્બમ તથા ઓડીઓ બુક બનાવવાની સગવડ પ્રાપ્ત થશે એવી જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમના આયોજનમાં ઇશાન ઠક્કર, બોની ઠક્કર, વિરલ ઠક્કર, હિતેશ ઠક્કર, અંજલી સેવક તથા કલરવ રાઠોડએ જહેમત ઉઠાવી.

  • ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.

    કાર્યક્રમની શરૂઆત ‘કૃપ ટોક્સ શો’ દ્વારા કરવામાં આવી. આ શો માં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અને કવિઓએ ‘નારી’ વિષય પર લખેલી કવિતાઓ પ્રસ્તુત કરી હતી. ઉભરતા રચનાકારોને મંચ આપવાના ઉદેશ્યથી ગિવ વાચા સંસ્થા અને કૃપ પબ્લિકેશન દ્વારા ‘નારી હૈ નારાયણી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જેમાં કચ્છ અને ગુજરાતની વિવિધ શાળા અને કોલેજના ૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉપરાંત જાણીતા સાહિત્યકારો પોતાની કવિતાઓ આપી છે.

    ‘બાતેં અનકહી’ માં જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશે ફિલ્મો અને આલ્બમમાં ગીત લખવાની બારીકીઓના સ્વાનુભવનો વિદ્યાર્થીઓ અને મેહમાનોને પરિચય કરાવ્યો તથા બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ’ ના લેખક તરીકે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સાથે જ ‘વુમન્સ પર્વ’ અને ‘નારી હૈ નારાયણી’ બુકના થીમ સોંગ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધું હતું.

    અંતે ‘નારી હૈ નારાયણી’ પુસ્તક અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ ગીતનું લોન્ચિંગ અતિથી વિશેષ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર, તોલાની ઇન્સ્ટીટ્યુટના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માની, કવિયત્રી પદ્માબેન મોટવાની, ગાયિકા અને લેખિકા ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર તથા ડૉ. કૃપેશ ઠક્કરના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપ મ્યુઝિક કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાની તક આપતાં ‘કૃપ પાર્ટનર પ્રોગ્રામ’ ની જાહેરાત પણ કરવામાં આવી.

    આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના રીડર્સ એન્ડ રાઈટર્સ ક્લબના આગેવાનો સુશ્રી વિમ્મી સદારંગાની, શ્રી સંદીપભાઈ જાની તથા પ્રોફેસર ડૉ. પ્રતીક અંબસાના તેમજ અંજલી સેવક અને કલરવ રાઠોડે જહેમત ઉઠાવી. અત્રે નોંધનીય છે કે સાહિત્યક્ષેત્રે પ્રથમવાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કવિતા પ્રકાશિત કરવાની તક મળી છે.

  • મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

    મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

    હાલમાં જ મહાશિવરાત્રી ના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી; જેમાં ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય- ડીજે મિક્ષ’ ભક્તિ ગીતનું લોકાર્પણ થયું.

    આ શિવભક્તિનું મહિમા દર્શાવતા ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પાંચ વર્ષીય પર્વ ઠક્કર, ધ યંગેસ્ટ ઓથર તથા ધ નોટેશન ગર્લ નામે પ્રખ્યાત દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગુજરાતના જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કરએ પોતાની કલાનું યોગદાન આપ્યું. મહાશિવરાત્રી નિમિતે ભદ્રેશ્વર મધ્યે નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિરે ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રદ્યુમનસિંહ જાડેજા, રસિકભાઈ પરમાર, ભગવાનજી ઠક્કર, ભરતભાઈ ગુપ્તા, જગદીશભાઈ ગણાત્રા, જીતેન્દ્ર ઠક્કર, રમુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, હનુભા જાડેજા, ચતુરસિંહ જાડેજા, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિ ગીતનું વિમોચન કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ આ કલાકારો દ્વારા આ ભક્તિ ગીતની રજૂઆત પણ કરવામાં આવી જેને વિશાળ જન-મેદનીએ ઉત્સાહભેર આવકાર્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ સાથે જ તેમણે આ ગીતના વીડિઓમાં ચોખંડા મહાદેવ મંદિરના નયનરમ્ય દ્રશ્યોને કંડારવાની જાહેરાત પણ કરી હતી.

  • વીર બાળદિવસે ‘ગુંજે ગીતા’ની પ્રસ્તુતિ સાથે અંજારના સ્મારકમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

    વીર બાળદિવસે ‘ગુંજે ગીતા’ની પ્રસ્તુતિ સાથે અંજારના સ્મારકમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

    અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને કૃપ મ્યુઝીકએ સાથે મળીને ‘વીર બાળ દિવસ પર્વ’ની ઉજવણી કરી હતી. ગિવ વાચાની ટીમે અંજારના અહલ્યા કન્યા છાત્રાલય’ ના બાળાઓ માટે ‘વીર બાળક સ્મારક’ના પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં 30 થી પણ વધુ બાળાઓને સંપૂર્ણ સ્મારક, પરિસર, મ્યુઝીયમ, આર્ટ ગેલરી તથા વીર બાળકોનું સ્મૃતિ સ્થાન બતાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ પર્વ ફ્યુઝન બેન્ડ અને આ બાળાઓ એ વીર બાળકોને શ્રધાંજલી આપવા માટે ‘ગુંજે ગીતા’ પ્રસ્તુત કરી જેમાં 50 થી વધુ પ્રવાસીઓ પણ જોડાયા હતા.

    આ સાથે જ સૌ લોકોએ મળીને પાંચ વર્ષીય પર્વ ઠક્કરનું યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ આલ્બમ તથા દસ વર્ષીય વાચા ઠક્કરના ‘બેસ્ટ ઓફ વાચા’ આલ્બમનું વિમોચન ગિવ વાચાનાં ટ્રસ્ટી નયનાબેન ઠક્કરના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં જ ફિલ્માંકિત થયેલા હીટ ગીતો રઘુપતિ રાઘવ રાજા રામ, મંગલમય સબ કર દેના, પ્યારી બેહના, લવ યુ મા, ઐ વતન – વંદે માતરમ, જન ગન મન તેમજ હૈ નમન – શહીદો કો સલામ નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ડૉ. પૂજા ઠક્કરે સર્વે વિદ્યાર્થીનીઓ અને ત્યાં ઉપસ્થિત પ્રવાસીઓ ને ‘ક્લબફૂટ’ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું તથા ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ થી પણ અવગત કરાવ્યા હતા. કાર્યક્રમ માટેની પૂર્વતૈયારીઓ રૂપે ‘પર્વ કી પાઠશાળા’ અંતર્ગત છેલ્લા એક સપ્તાહથી ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કરએ અહલ્યા કન્યા છાત્રાલયની બાળાઓને ‘ગુંજે ગીતા’ કાર્યક્રમ માટેની તાલીમ આપી હતી.

    જેમાં વ્યવસ્થાપક બહેનો સેજલબેન એન આશાબેને પુરતો સહયોગ આપ્યો હતો. વીર બાળ દિવસ પર્વની આ ઉજવણી માટે ગીવ વાચા ફાઉન્ડેશનના સ્વયં સેવકો વૈશાલી ભટ્ટ તથા અંજલી સેવક એ જહેમત ઉઠાવી હતી. શિવ પંડ્યાએ પોતાનો પુરો સહયોગ આપ્યો હતો.

  • “વીર બાળ દિવસ” વિશેષ: પર્વ ઠક્કર – ફક્ત કચ્છનું જ નહી પણ ગુજરાત અને દેશનું ગૌરવ

    “વીર બાળ દિવસ” વિશેષ: પર્વ ઠક્કર – ફક્ત કચ્છનું જ નહી પણ ગુજરાત અને દેશનું ગૌરવ

    • વિશ્વનો યંગેસ્ટ સીંગર અને એક્ટર
    • સોશલ મીડિયા ઇનફ્લુએન્સર
    • ક્લબ ફૂટ વોરિયર અને યંગેસ્ટ ચેંજ મેકર

    ૨૬ ડીસેમ્બરના રોજ જયારે ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે ત્યારે વાત કરીએ એક એવા બાળકની કે જેણે ફક્ત પાંચ વર્ષની ઉમરે જ વિશ્વભરમાં યંગેસ્ટ પ્લે-બેક સીંગર, યંગેસ્ટ એક્ટર, યંગેસ્ટ ચેંજ મેકર, ઇનફ્લુએન્સર, બ્રાન્ડ અમ્સેબેસેડર તરીકે પ્રસિદ્ધિ અને નામના મેળવી છે. પાંચ વર્ષની વયે પાંચ મહાન ઉપલબ્ધિઓ મેળવનાર આ મહાશય નાના નાના પગલાઓથી એટલી લાંબી અને મોટી મંઝિલ સુધી કઈ રીતે પોહોચ્યા ચાલો, એની વિગતવાર ચર્ચા કરીએ.

    ક્લબ ફૂટ વોરિયર

    કહેવાય છે કે સંઘર્ષ વિના સફળતા મળે નહિ. અપણે પર્વની સિદ્ધિઓને જોઇને પ્રભાવિત થઈએ તે પેહલા એ પણ જાણી લઈયે કે એણે નાનીશી ઉમરમાં સંઘર્ષ પણ મોટું  જોયેલું છે. જન્મતાની સાથે જ પર્વને ક્લબ ફૂટ નામની શારીરિક સ્થિતિ મળેલી જેમાં નવજાત પર્વના પગ અંદરની તરફ વળેલા હતા. પરંતુ સમયસર નિદાન અને સારવાર તથા દ્રઢ મનોબળ સાથે પર્વ ક્લબ ફૂટ વોરિયર તરીકે ઉભરી આવ્યો. અને પાંચ વર્ષની લાંબી સારવાર દરમિયાન સંગીત અને અભિનય ક્ષેત્રે પણ કુશળતા કેળવી જેના પરિણામે વિશ્વભરમાં યંગેસ્ટ સીંગર, યંગેસ્ટ એક્ટર તરીકે નામના મેળવી છે. આમ ફક્ત કલબફૂટને હરાવ્યું નહિ પણ તેનાથી ઉપર ઉઠી કેમ વ્યક્તિત્વ વિકાસ કરી શકાય તે અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરે છે જેથી ગિવ વાચા ફાઉન્ડેશને તેને ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ માટે સાલ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ‘વૈશ્વિક ગીફ્ટ ઓફ ટાઇમ અમ્સેબેસેડર’ જાહેર કર્યું. અને હવે પર્વ વિશ્વભરમાં ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટનું નેત્રુત્વ કરી રહ્યું છે.

    વિશ્વનો યંગેસ્ટ એક્ટર

    ફક્ત નવ મહિનાનો હતો પર્વ જયારે એક્ટર તરીકે એણે પોતાના કરિયરની શરૂઆત કરી છે. ડૉ. કૃપેશ ઠક્કર અને વાચા ઠક્કરના ‘રામ ધૂન’ મ્યુઝીક વિડીઓમાં પોતાનો પહેલો ડેબ્યુ આપીને જે સુપર હીટ રહ્યું હતું એની સાથે સાથે એક્ટર પર્વ પણ સ્ક્રીન અને લોકોના દિલોમાં છવાઈ ગયો. આ પછીતો કૃપ મ્યુઝીકના લગભગ દરેક બાળકલાકાર ધરવતા મ્યુઝીક વિડીઓમાં એક ચાઈલ્ડ એક્ટર તરીકે પર્વ ઝળહળવા લાગ્યો. હાલ સુધીમાં કૃપ મ્યુઝીકના ૧૫ થી પણ વધારે મ્યુઝીક વિડીઓમાં પર્વએ એકટરની ભૂમિકા ભજવેલી છે. જેમાં તેના નોંધનીય ગીતોમાં ‘જન ગન મન’, ‘રઘુપતિ રાઘવ રાજા રામ’, ‘રામ રાખે તેમ રહીએ’, ‘પપ્પા મારા સુપેરમન’, ‘તું છે ઓ માં’, તેમજ ‘એ વતન’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં લોકચાહના મેળ્યા બાદ આ ગીતોના સંકલન કરીને ‘વલ્ડસ યંગેસ્ટ એક્ટર-પર્વ ઠક્કર’ નામનું આલ્બમ વર્ષ ૨૦૦૧માં લોન્ચ કર્યું.

    વિશ્વનો યંગેસ્ટ સીંગર

    ગાયક તરીકે સૌથી નાની વય, આકર્ષક અવાજ, અને એ આવાજમાં છલકાતી માસુમીયત… આ બધી વિશેષતાઓને લઈને પર્વએ વિશ્વના યંગેસ્ટ સીંગર તરીકેની પાત્રતા મેળવી છે. પર્વ જયારે ૧ વર્ષ અને ૧૧ મહિનાનો હતો ત્યારે ગાયક તરીકે પોતાનો પહેલો સ્વર “પર્વ ધ યંગેસ્ટ સીંગર’ આલ્બમના ગીતો માટે આપેલું જેમાં પ્રભુભાક્તિના ૭ ધૂનોનો સમાવેશ થાય છે. ત્યાર પછીતો એના દરેક નવા ગીતોમાં ગાયન સિવાયની એની કલાકારીઓ થકી એક આગવી છવી દર્શાવતો રહ્યો, એટલે સુધી કે લોકો એને એના ગીત સિવાય એણે બોલેલા ડાયલોગ માટે પણ યાદ કરવા લાગ્યા. જે કારીગરી તેની આલ્બમ ‘પર્વ ધ યંગેસ્ટ સીંગર માંના ‘શ્રી રામ જય રામ જય જલારામ’, ‘હનુમાન મંત્ર’, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ જેવા ગીતોમાં જોઈ શકાય છે. આજ સુધીમાં પર્વ એ ૩૦ થી પણ વધારે ગીતો ગયેલા છે જે કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ કમ્પની દ્વારા વિશ્વભરમાં ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.

    સોશલ મીડિયા ઇનફ્લુએન્સર

    સફળ વ્યક્તિત્વ, પ્રભાવશાળી ગાયકી અને સમાજસેવા તથા જનજાગૃતિનિ ભાવના સાથે પર્વ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યો છે. જયારે મોટાભાગના બાળકો ફિલ્મી ગીતો પર લીપ્સિંગ અને ડાન્સ કરી રહ્યા છે ત્યારે પર્વ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ જેવા જનજાગૃતિના કામ માટે સતત કાર્ય કરી રહ્યો છે જેને પરિણામે ખુદ ઇનસ્ટાગ્રામ – ઇન્ડિયા પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. તેના યુટ્યુબ અને ઇનસ્ટાગ્રામ પર ૧૦,૦૦૦ થી પણ વધારે ફોલોઅર છે. જેના પર તે પોતાની ક્લબફૂટ અંગેની પોસ્ટ શેર કરતો હોય છે જેના મારફતે જન સામાન્ય પણ તેના આ પ્રોજેક્ટમાં વિવિધ રીતે ભાગ લે છે.

    બ્રાંડ અમ્બેસેડર

    પર્વની કારકિર્દી, વ્યક્તિત્વ અને સફળતાઓને પરિણામે તેની બ્રાન્ડ અમ્બેસેડર તરીકેની નામના પણ વિસ્તરતી ગયી. કલબ ફૂટ વોરિયર તરીકે જાગૃતિ લાવવા સૌ પ્રથમ ગિવ વાચા ફાઉન્ડેશને તેને ‘ગ્લોબલ કલબ ફૂટ અવેરનેસ’ પ્રોજેક્ટ માટે બ્રાન્ડ અમ્બેસેડર નિયુક્ત કર્યું. ત્યારબાદ કૃપ મ્યુઝીકમાં પોતાની સફળ કારકિર્દી રહેતા કૃપ મ્યુઝીક કંપનીએ તેને પોતાના રીયાલીટી શો ‘કે. એમ. ટેલેન્ટ હન્ટ – કિડ્સ’ અને કૃપ એકેડમીના માટે બ્રાન્ડ અમ્બેસેડર બનાવ્યો.

    ચેન્જ મેકર

    પર્વ આટલી નાની વયે કર્મયોગ થકી સામાજિક ક્ષેત્રે બદલાવ લાવવા માટે પણ વિવિધ સંસ્થાઓ જોડે કાર્યરત છે. જેમાં બે વૈશ્વિક પ્રોજેક્ટ ‘ગ્લોબલ કલબ ફૂટ અવેરનેસ’ પ્રોજેક્ટ તથા ‘ગુંજે ગીતા’ થકી સમાજમાં નવજાત બાળકોમાં થતી કલબ ફૂટ નામની બીમારી અંગે પ્રચલિત ગેરમાન્યતાઓને દુર કરવાની સાથે સાથે ગીતાના વિચારોને લોકો સુધી પોતાના પર્વ ફ્યુઝન બેન્ડ મારફતે લઇ જઇ રહ્યો છે. તેનું આ બેન્ડ વિવિધ શાળાઓ, અનાથાશ્રમો, કોલેજો અને વિવધ સંસ્થાઓમાં સંગીતમય ગીતાનું અધ્યયન કરી ભગવદ ગીતાને લોકભોગ્ય બનાવે છે. તેમજ આ કાર્યક્રમ થકી પોતાના કર્મયોગ થી કલબ ફૂટ ધરવતા અન્ય બાળકો માટે ધનલક્ષ્મી એકત્ર કરી રહ્યો છે. તેના આ કાર્યોમાં હંગામા જેવી ભારતની મોટી કંપની ગુજરાતના ખ્યાતનામ બાળરોગના હાડકાના નિષ્ણાંત ડોક્ટરો, વિવધ શૈક્ષણિક સંસ્થાઓ, એન. જી. ઓ. તેમજ જાણીતા કલાકારો મદદે આવ્યા છે.

    આ પાંચ વિશિષ્ટતાઓમાં તેના કાર્ય બદલ તેને ઘણાં એવોર્ડ પણ મળેલા છે જેમાં રઘુવંશી લોહાણા મહાપરીષદ દ્વારા ‘ઈંટરનેશનલ બેસ્ટ રઘુવંશી ચાઈલ્ડ આઇકોન એવોર્ડ’ તથા હંગામા દ્વારા ‘રાઈઝીંગ સ્ટાર ઓફ ઇન્ડિયા’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દુન પબ્લિક સ્કૂલ, અંજાર લોહાણા મહાજન તથા ગાંધીધામ ગુરુદ્વારા જેવી સામાજિક સંસ્થાઓ એ પણ સન્માનિત કર્યું છે.

  • ગાંધીધામમાં સતનામ વાહેગુરુ મંત્ર આલ્બમનું લોકાર્પણ થયું

    ગાંધીધામમાં સતનામ વાહેગુરુ મંત્ર આલ્બમનું લોકાર્પણ થયું

    બાળ કલાકારોના કંઠથી સજ્જ મંત્ર આલ્બમ યુ-ટ્યુબ ઉપર મુકાયું

    ગાંધીધામ તા. ૧૨ : અહીના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જયંતી નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા “સતનામ વાહેગુરુ મંત્ર” આલ્બમનું લોકાર્પણ કરાયું હતું.

    આ આલ્બમમાં પાંચ વર્ષીય યુવા ગાયક પર્વ ઠક્કર, ૧૦ વર્ષીય વાચા ઠક્કર અને ગીતકાર-સંગીતકાર ડો. કૃપેશે પોતાના સુરોનો સ્વર રેલાવ્યો છે. ગુરુદ્વારા ના મંત્રી સતપાલ સિંઘ, અમૃતસર ના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ, કૃપ મ્યુઝીક ના ચેરપર્સન ડો. પૂજા ઠક્કરના હસ્તે ગીતનું લોન્ચિંગ કરાયું હતું. ઉપપ્રમુખ ગુરુદિપ સિંઘ અને રાજેશ ઇસરાણીએ બાળ કલાકારોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે આ કલાકારોના પર્વ ફ્યૂઝન બેન્ડે સતનામ મંત્રની એક ઝલક પ્રસ્તુત કરી હતી. મંત્ર કૃપ મ્યુઝિક દ્વારા યૂટ્યુબ માધ્યમ દ્વારા મુકાયું હતું. નોંધપાત્ર છે કે પાંચ વર્ષ અગાઉ આ સંસ્થા દ્વારા ગુરૂ નાનક જયંતિ નિમિતે ધુન અને ફિલ્મ રજુ કરાઈ હતી. જેને બહોળા પ્રમાણમાં લોકચાહના મળી હતી.

  • ‘મારું ગુજરાત છે’ ગીતનું લોકાર્પણ

    ‘મારું ગુજરાત છે’ ગીતનું લોકાર્પણ

    અંજારના કલાકારો દ્વારા ગુજરાત દિવસ નિમિત્તે “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે’ ગીત રજૂ કરવામા આવ્યું હતુ. આ ગીતનું લોકાર્પણ અંજાર ટાઉનહોલ ખાતે વાસણભાઈ આહીર અને માલતીબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતુ. ગુજરાતની ગૌરવગાથા વર્ણવતા આ ગીતના ગીતકાર, સંગીતકાર અને દિગ્દર્શક ડો. કૃપેશ ઠકકર છે જયારે ગાયક તરીકે પાંચ વર્ષના પર્વ ઠકકર, ૧૦ વર્ષની વાચા ઠકકર તેમજ ડો. કૃપેશ ઠક્કરે કંઠ આપ્યો છે આ ગીતના વીડિયો માટે મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વાદ સાથે ગોવર્ધન પર્વત ખાતે શૂટિંગની વ્યવસ્થા કરી આપી હતી. ગીતને તૈયાર કરવા માટે ગિવ વાચા ફાઉન્ડેશનના ડો. પૂજા ઠકકર તેમજ અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભારતીય જનતા મજદૂર ટ્રેડ યુનિયન કાઉન્સિલના બ્રિજેન ગોંડલિયા તેમજ કિશનગિરિએ લોકાર્પણવિધિની જવાબદારી ઉઠાવી હતી.

  • ગુજરાતનું ગૌરવ: કચ્છનો માત્ર 4 વર્ષનો પર્વ વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો

    ગુજરાતનું ગૌરવ: કચ્છનો માત્ર 4 વર્ષનો પર્વ વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો

    વિશ્વ કક્ષાએ 15 ગીતોનો ખાસ આલ્બમ રજૂ : હંગામા મ્યુઝિકે રાઇસિંગ સ્ટાર ઓફ ઇન્ડિયાનું બિરૂદ આપ્યું

    3જી જૂન વર્લ્ડ ક્લબફૂટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે, અંજારની સંસ્થા દ્વારા વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એશિયાનો યંગેસ્ટ સિંગર અને એક્ટર અંજારનો માત્ર 4 વર્ષનો પર્વ નામનો બાળક આ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો છે.

    15 ગીતોમાં પોતાની કળા બતાવી

    ગિવ વાચા ફાઉન્ડેશન “વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટ દ્વારા ક્લબફૂટ તકલીફ સાથે જન્મેલા બાળકોને સચોટ અને સમયસર માર્ગદર્શન પૂરું પાડશે, જેમાં વૈશ્વિક કક્ષાના ડોક્ટરો પણ પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટના ભારતના પ્રતિનિધિ તરીકે અંજારનો માત્ર 4 વર્ષનો બાળક પર્વ કૃપેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. આ બાળક ક્લબફૂટની તકલીફ સાથે જન્મેલો હતો. તેની સમયસર સારવાર થવાથી તે સંપૂર્ણ ઠીક થયો હતો. આ ઉપરાંત તેણે સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ માટેના 15 જેટલા ગીતોમાં પોતાની કળાનું દાન આપ્યું છે. જેથી હંગામા મ્યુઝિકએ તેને “રાઈસિંગ સ્ટાર ઓફ ઈન્ડિયા”નું બિરુદ આપી તેના 15 ગીતોનો ખાસ આલ્બમ આ પ્રસંગે વિશ્વ કક્ષાએ રજૂ કર્યો હતો.

    દર વર્ષે 5 બાળકોની સારવારનો ખર્ચ લેવાની તૈયારી

    આ અંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશિકાંત ઠક્કરએ માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં ક્લબફૂટની સારવારના નિષ્ણાંત અમદાવાદના ડૉ. કમલેશ દેવમુરારી, ડૉ. પૂજા ઠક્કર, ડૉ. કૃપેશ ઠક્કર તેમજ નયનાબેન ઠક્કર અને ડૉ. પ્રકૃતિ દેવમુરારી પોતાની સેવા આપશે. આ સાથે જ ગુજરાતની જણાતી મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિક તેમજ ઈઝી આઈ ડી કંપનીએ દર વર્ષે 5 બાળકોના સારવારનો ખર્ચ લેવાની તૈયારી દર્શાવી છે.

    નવજાત બાળકોમાં જોવા મળતી શુ છે ક્લબફૂટ બીમારી?

    ક્લબફૂટએ નવજાત શિશુમાં થતી પગની ખામી છે. આ બીમારી સાથે બાળક જન્મે ત્યારે તેના પગ અંદરની તરફ વળેલા હોય છે. જો સમયસર આવા બાળકની સારવાર ના કરવામાં આવે તો ખોડખાંપણ કાયમી થઈ જાય છે અને બાળક આખી જિંદગી સરખી રીતે ચાલી નથી શકતું. પરંતુ જો યોગ્ય અને સમયસર સારવાર મળે તો બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે. ભારતમાં દર 1000 બાળકોએ 3 થી 4 બાળકો આ ખામી સાથે જન્મે છે. ત્યારે સમાજમાં આ રોગ વિષેની સમજણના અભાવે મોટા ભાગના માતા પિતા સારવાર મોડી શરૂ કરે છે જેથી બાળકને સંપૂર્ણ ઠીક થવામાં વધુ સમય લાગે છે અથવા તો થોડી ખોટ સાથે જીવન જીવવું પડે છે.